CrimeRajkot

રાજકોટ: 11 વર્ષની સગીરા પર નરાધમે આચર્યું દુષ્કર્મ

રાજકોટ જીલ્લાથી વધુ એક વખત દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના હડમતાળા ગામે મંદિરના પંટાગણમા એક વ્યક્તિ દ્વારા 11 વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવવામાં આવી છે. જ્યારે હડમતાળા ગામમાં દુષ્કર્મનો બનાવ સામે આવતા જ આ વ્યક્તિ પર લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે.

જ્યારે આજે પણ આપણા સભ્ય સમાજમા સ્ત્રી પર થતા અત્યાચારોના બનાવ અટકવાનુ નામ લઈ રહ્યા નથી. ત્યારે વધુ એક વખત રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામા દુષ્કર્મનો બનાવ બન્યો હોવાનુ જાણકારી સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગોંડલ તાલુકાના હડમતાળા ગામે સીમ વિસ્તારમા રહેનાર એક સગીરા ખાંડ લેવા માટે ગામમા ગઈ હતી. આ સમયે અજય સંજયભાઈ વાળા નામના વ્યક્તિની તેના પર નજર બગડી અને તે તેનું બાવડુ પકડી તેને મંદિરના પંટાગણમા લઈને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તેની સાથે બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યું હતું.

તેની સાથે દુષ્કર્મ આચરતા સમયે સગીરાનો અવાજ અન્ય કોઈ ન સાંભળી જાય તે માટે સગીરાના મોઢા પર તેના દ્વારા ડુચો મારી દેવાયો હતો. સગીરા દ્વારા સમગ્ર બાબત અંગે પરિવારજનોને કહ્યું ત્યારે પરિવારજનો દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આઈપીસીની કલમ 376 તેમજ પોક્સો એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેની સાથે ગણતરીની કલાકોમા આરોપીની ધરપકડ કરી તેને જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો. આ બાબતમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. આરોપીને મેડિકલ અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ છે. મેડિકલની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરાશે. તેની સાથે જ આરોપીના રિમાન્ડની માંગણી પણ કરાશે. જ્યારે નામદાર કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા તેની ગુનાને લઈને વધુ પૂછપરછ કરાશે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker