ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ તેને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે બીજેપીએ પ્રથમ તબક્કાના ઉમેદવારની યાદી આજે જાહેર કરી છે. ગઈ કાલે દિલ્હી કમલમમાં મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે ત્યાંથી જ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના પહેલાં તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે. નોંધનીય છે કે, કોંગ્રેસમાં ઘાટલોડિયા સીટથી અમીબેન યાજ્ઞીક ચૂંટણી લડવાના છે.
ભાજપે જાહેર કરેલા ઉમેદવારો
ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે.
અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા
કચ્છની માંડવી બેઠક પરથી અનુરૂદ્ધ દવે
ભૂજ બેઠક પરથી કેશુભાઇ પટેલ
અંજાર બેઠક પરથી ત્રિકમભાઇ છાંડા
ગાંધીધામ બેઠક પરથી માલતીબેન મહેશ્વરી
રાપર બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજાદસાડા બેઠક પરથી પી.કે.પરમાર
લિંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણા
વઢવાણ બેઠક પરથી જીજ્ઞાબેન પંડ્યા
ધ્રાંગધ્રા બેઠક પરથી પ્રકાશભાઇ વરમોરા
ચોટીલા બેઠક પરથી શામજીભાઇ ચૌહાણ
ટંકારા બેઠક પરથી દુર્લભજી દેથરિયા
રાજકોટ પૂર્વથી ઉદય કાનગડ
દ્ધારકા બેઠક પરથી પબુભા માણેક
જૂનાગઢ બેઠક પરથી સંજયભાઇ કોરડીયાવિસાવદર બેઠક પરથી હર્ષ રિબડીયા
સોમનાથ બેઠક પરથી માનસિંહ પરમાર
તાલાલા બેઠક પરથી ભગાભાઇ બારડ
ઉના બેઠક પરથી કે.સી.રાઠોડ
અમરેલી બેઠક પરથી કૌશિક વેકરિયા
લાઠી બેઠક પરથી જનક સાવલીયા
ગારીયાધાર બેઠક પરથી કેશુભાઇ નાકરાણી
પાલીતાણા બેઠક પરથી ભીખાભાઇ બારૈયા
ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી પુરુષોત્તમ સોલંકી
ભાવનગર પશ્વિમ બેઠક પરથી જીતુ વાઘાણીબોટાદ બેઠક પરથી ઘનશ્યામભાઇ વિરાણી
નાંદોદ બેઠક પરથી ડૉક્ટર દર્શનાબેન દેશમુખ વસાવા
જંબુસર બેઠક પરથી ડી.કે.સ્વામી
વાગરા બેઠક પરથી અરુણસિંહ રાણા
ઝઘડીયા બેઠક પરથી રિતેશ વસાવા
અંકલેશ્વર બેઠક પરથી ઇશ્વરભાઇ પટેલ
ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલ
માંગરોળ બેઠક પરથી ગણપત વસાવા
માંડવી બેઠક પરથી કુંવરજી હળપતિ
કામરેજ બેઠક પરથી પ્રફુલભાઇ પાનસેરીયા
સુરત પૂર્વ બેઠક પરથી અરવિંદ રાણા
સુરત ઉત્તર બેઠક પરથી ક્રાંતિ બલર
વરાછા બેઠક પરથી કિશોર કાનાણી
કરંજ બેઠક પરથી પ્રવિણ ઘોઘારી
લિંબાયત બેઠક પરથી સંગીતા પાટીલ
મજુરા બેઠક પરથી હર્ષ સંઘવી
કતારગામ બેઠક પરથી વિનુ મોરડીયા
સુરત પશ્વિમ બેઠક પરથી પૂર્ણેશ મોદી
બારડોલી બેઠક પરથી ઇશ્વર પરમાર
નિઝમ બેઠક પરથી ડૉક્ટર જયરામ ગામિત
વ્યારા બેઠક પરથી મોહન કોકાણી
ગણદેવી બેઠક પરથી નરેશ પટેલ ધરમપુર બેઠક પરથી અરવિંદ પટેલ
વલસાડ બેઠક પરથી ભરત પટેલ
પારડી બેઠક પરથી કનુભાઇ દેસાઇ
કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરી
ઉમરગામ બેઠક પરથી રમણલાલ પાટદર
વાવ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોર
થરાદ બેઠક પરથી શંકર ચૌધરી
દાંતા બેઠક પરથી રઘુભાઇ પારઘી
વડગામ બેઠક પરથી મણીભાઇ વાઘેલા
ડીસા બેઠક પરથી પ્રવિણ માળી
સિદ્ધપુર બેઠક પરથી બળવંતસિંહ રાજપૂત
ઇડર બેઠક પરથી રમણલાલ વોરા
પ્રાંતિજ બેઠક પરથી ગજેન્દ્રસિંહ પરમાર
વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલવેજલપુર બેઠક પરથી અમિત ઠાકર
એલિસબ્રિજ બેઠક પરથી અમિત શાહ
નિકોલ બેઠક પરથી જગદીશ વિશ્વકર્મા
નરોડા બેઠક પરથી પાયલબેન ગોકરાણી
અમરાઇવાડી બેઠક પરથી હસમુખ પટેલ
દરિયાપુર બેઠક પરથી કૌશિક જૈન
ખાડીયા-જમાલપુર બેઠક પરથી ભૂષણ ભટ્ટ
સાબરમતી બેઠક પરથી ડૉક્ટર હર્ષદ પટેલ
દસક્રોઇ બેઠક પરથી જમના પટેલ
ધોળકા બેઠક પરથી કિરીટસિંહ ડાભી
ધંધુકા બેઠક પરથી કાળુભાઇ ડાભી
મણીનગર બેઠક પરથી અમુલ ભટ્ટ
માતર બેઠક પરથી કલ્પેશ પરમારનડિયાદ બેઠક પરથી પંકજ દેસાઇ
બાલાસિનોર બેઠક પરથી માનસિંહ ચૌહાણ
લુણાવાડા બેઠક પરથી જીજ્ઞેશ સેવક
સંતરામપુર બેઠક પરથી કુબેર ડિંડોર
મોરવાહડફ બેઠક પરથી નિમિષાબેન સુથાર
ગોધરા બેઠક પરથી સી.કે.રાઉલજી
ગુજરાતની ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ તેને સપ્તાહ વીતી ગયું. અત્યાર સુધીમાં કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદી બહાર પાડીને 43 ઉમેદવારો જાહેર કર્યા.
ભારતીય જનતા પાર્ટીની પેટર્ન રહી છે કે ઉમેદવારોના ફોર્મ ભરવાના હોય તેના ચાર કે પાંચ દિવસ પહેલાં જ ઉમેદવારો જાહેર કરે છે. તેનું કારણ એ છે કે ભાજપના જે ઉમેદવારો જાહેર થાય તેના કારણે ભાજપમાં જ અસંતોષની આગ વધુ ન ફેલાય અને પક્ષને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રખાય છે. ખાસ તો કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને જો ટિકિટ અપાય છે તો પક્ષના જ આગેવાનો અને કાર્યકરોમાં કચવાટ ફેલાય છે. આ ભાજપને નુકસાન કરી શકે છે.