Gujarat

રાજકોટમાં સર્જાઈ કરૂણાંતીકાઃ ટ્રેનની અડફેટે 2 બાળકોના મોત

રાજકોટમાં ટ્રેનના પાટા પર રમી રહેલા બે બાળકોના ટ્રેન અડફેટે મોત થયા છે. આ બનાવની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત મોતને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રાજકોટના ભાદર નદીના પુલ પરની આ ઘટના છે. જ્યાં બાળકો ટ્રેનના પાટા પર રમી રહ્યા હતા. પણ અચાનક પાટા પર રાજકોટથી સોમનાથ જતી ટ્રેન આવી ગઈ હતી. ટ્રેનની વ્હીસલનો અવાજ સાંભળીને બાળકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અને તેઓ ટ્રેનથી બચવા માટે દોડધામ કરવા લાગ્યા હતા. પણ નદીના પુલ પર હોવાથી તેઓ પાસે અન્ય કોઈ વિકલ્પ ન હતો.

અને અંતે બે બાળકોનાં ટ્રેનની હટફેટે મોત નિપજ્યા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતાં લોકોનાં ટોળેટોળાં દોડી આવ્યા હતા. અને બાળકોના પરિવારોએ હૈયાફાટ રૂદન કરતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. અને આવા દર્દનાક મોતને લઈને લોકોની આંખ પણ ભીની થઈ ગઈ હતી. જો કે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker