India

કોરોનાના તમામ વેરિયન્ટનો “ભાંગીને ભૂક્કો” કરી નાંખવામાં સક્ષમ છે ભારતની આ સ્વદેશી દવા

ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન તરફથી તૈયાર કરવામાં આવેલી દવા 2-DG કોરોના વાયરસની વિરુદ્ધ ઘણી જ પ્રભાવશાળી છે. તાજેતરમાં જ સામે આવેલી એક સ્ટડીમાં આ વાતનો ખુલાસો થયો છે. ગત 1 જૂનના DRDOએ કહ્યું હતુ કે, 2-DG દવાનો હૉસ્પિટલમાં ભર્તી દર્દીઓમાં સહાયક ઉપચાર તરીકે ઉપયોગ કરી શકાય છે. નવી સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે DRDOની દવા 2-DG કોવિડ-19ના તમામ વેરિયન્ટની વિરુદ્ધ અસરકારક છે અને આ વાયરસને વધતો અટકાવે છે.

DRDO દ્વારા કોરોના વાઇરસની સારવાર માટે દવા 2-DG તૈયાર કરવામાં આવી છે, જેને થોડા સમય પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે લૉન્ચ કરી હતી. ત્યારે તાજેતરમાં જાહેર કરવામાં આવેલા એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોનાની આ દવા કોરોના વાયરસના તમામ વેરિયન્ટ વિરૂદ્ધ અસરકારક છે. આ દવા શરીરમાં વાયરસને વધતો અટકાવે છે.

DRDOની આ દવા સેલને સંક્રમણથી પ્રેરિત સાઇટોપેથિક ઇફેક્ટ દૂર કરી દે છે. 2-DGને 17 મેના કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને ડૉ. હર્ષવર્ધને લૉન્ચ કરી હતી. લૉન્ચિંગ દરમિયાન કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે આ દવામાં દર્દીઓના સ્વસ્થ થવાના સમયને ઓછો કરવાની અને ઑક્સિજનની માંગને 40 ટકા સુધી ઓછી કરવાની ક્ષમતા છે.

દવાનું નામ 2 ડીઓક્સી-ડી-ગ્લુકોઝ છે જેને ટૂંકમાં 2-DG કહેવાય છે. રિપોર્ટ પ્રમાણે આ દવાને કારણે કોરોનાના દર્દીને ઓક્સિજન આપવાની જરૂરિયાત ઘટે છે. આ દવા ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન એટલે કે DRDOની ઔષધિ અને સંબદ્ધ વિજ્ઞાન સંસ્થા INMASએ હૈદરાબાદ સ્થિત ડૉ. રેડ્ડીઝ લૅબ સાથે મળીને તૈયાર કરી છે. આ દવાને ત્રણ તબક્કાની ટ્રાયલ બાદ મંજૂરી આપવામાં આવી હતી.

જે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી હતી તેમાં સામે આવ્યું હતું કે આ દવાને કારણે કોરોના વાઇરસના દર્દીઓની તબિયતમાં ઝડપથી સુધારો આવ્યો અને દવા લીધા બાદ તેમને ઓક્સિજન આપવાની જરૂરિયાત રહેતી નથી. આ પરીક્ષણ INMAS-DRDO અનેસીસીએમબી (સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મોલ્યુકુલર બાયૉલૉજી)ના વૈજ્ઞાનિકોએ દ્વારા કરવામાં આવ્યું હતું.પ્રથમ પરીક્ષણમાં સારા પરિણામ બાદ મે 2020માં બીજી ટ્રાયલ માટેની મંજૂરી આપવામાં આવી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker