આપણા દેશ ને ભારત,ઇન્ડિયા,અને હિન્દુસ્તાન ના નામ થી કેમ ઓળખવામાં આવે છે.જાણો એના પાછળ ની કહાની

આપણે બધા ને આપણા દેશથી ખૂબ પ્રેમ છે.આ દેશ માં ઘણી એવી વસ્તુઓ જે એને ખાસ બનાવે છે.મુસલમાન દેશ માં બધી જગ્યાએ તમને અલગ અલગ સંસ્કૃતિઓ અને અલગ અલગ ધર્મ અને જાત પાત ના લોકો જોવા મળે છે.

તો પણ અહીં ના લોકો સાથે મળી ને અને શાંતિ થી રહેવાનું પસંદ કરે છે.ભારત ની સંસ્કૃતિ ની ચર્ચા વિદેશો માં પણ થતી હોય છે.ઘણા વિદેશીઓ તો ભારત માં આવીને હિન્દૂ ધર્મ ને પણ અપનાવી લે છે.

એમને ભારત ના ભગવાન અને રીતિ રિવાજો માં ખૂબ ઇન્ટરેસ્ટ હોય છે વિદેશમાં આપણા દેશ ને ઇન્ડિયા ના નામ થી ઓળખાય છે અને આપણે આને ભારત ના નામથી ઓળખીએ છીએ.અને ઘણા લોકો આને હિન્દુસ્તાન પણ કહે છે.

એવા માં તમે કોઈ દિવસ વિચાર્યું છે કે કેમ આપણા દેશ ને આ ત્રણ નામો ભારત, ઇન્ડિયા, હિન્દુસ્તાનથી કેમ ઓળખવામાં આવે છે?અને શું કારણ છે કે દેશ નું નામ આ પાડવામાં આવ્યું.આ બધા નામના પાછળ એક દિલચસ્પ કહાની છુપાયેલી છે.જે અમે તમને જણાવીશું.

દેશ નું નામ ભારત કેવી રીતે પડ્યું.

આપણા સંવિધાનમાં અધિકારીક રૂપથી દેશ નું નામ ભારત રાખવામાં આવ્યું છે.આ નામ ભગવાન રામ ના પૂર્વજ સમ્રાટ ભરત ચક્રવર્તી ના નામ પરથી પાડવામાં આવ્યું છે.

સમ્રાટ ભારતના સામ્રાજ્ય ની સીમા કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હતી. અને એમનું સામ્રાજ્ય આખા દેશમાં ઘણી જગ્યા સુધી ફેલાયેલ હતું.એવામાં એમના નામ પરથી દેશ નું નામ ભારત રાખવામાં આવ્યું હતું.

હિંદુસ્તાન નામ કેવી રીતે પડ્યું.

ઘણા લોકો આપણા દેશ ને હિન્દુસ્તાન કહેવાનું પસંદ કરે છે.આ નામ નો સંબંધ હિમાલય ના પશ્ચિમ માં વહેતી નદી સિંધુ થી છે. સિંધુ નદી ની પાસે એક મોટા ભુભાગ ને સિંધુ ઘાટી કહેવામાં આવે છે.આ ઘાટી ની સભ્યતા ખૂબ જૂની અને લોકપ્રિય છે.

અહીં પહેલા તુર્કીસ્તાન ના લૂંટારા અને ઈરાની લોકો આવ્યા હતા.એમને અહીં રહેતા લોકો ને સિંધુ ના આધાર પર હિન્દૂ નામ આપી દીધું.તે સમયે આ લૂંટાર આપણા દેશ ને હિન્દુસ્તાન કહીને પુકારતા હતા.એવામાં આપણા દેશ ના લોકોએ પણ આ શબ્દનો ઉપયોગ કરવાનો ચાલુ કરી દીધો.હવે દેશ નું આ નામ ખૂબ ફેમસ થઈ ગયું છે.

ઇન્ડિયા નામ કેવી રીતે પડ્યું.

વર્તમાનમાં આખી દુનિયાના લોકો આપણા દેશને ઇન્ડિયા ના નામથી જ ઓળખે છે.તમે આ જાણી ને હેરાન થશો કે આ નામ દેશ ના લોકો ને નહીં પણ અંગ્રેજોએ પાડ્યું હતું. સિંધુ નદી ને અંગ્રેજીમાં’ઇન્ડ્સ વેલી’ના નામ થી પણ ઓળખવામાં આવે છે.

એવામાં જ્યારે અંગ્રેજો દેશ માં રાજ કરવા માટે આવ્યા હતા ત્યારે એમને હિન્દુસ્તાન અને ભારત નામ બોલવામાં મુશ્કેલી પડતી હતી. એટલા માટે એ સિંધુ નદી નું બીજું નામ ઇન્ડ્સ વેલી ના આધાર પર દેશ ને ઇન્ડિયા કહી ને બોલાવવા લાગ્યા.બસ ત્યારથી જ દેશ ની બહાર ની દુનિયા માટે નામ ઇન્ડિયા જ પડી ગયું.

જો તમને આ જાણકારી સારી લાગી હોય તો બીજા ની જોડે પણ શેર કરવાનું ના ભુલશો. કેમ કે એ પણ આપણા દેશ વિશે જાણકારી મેળવી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top