જો તમે આ રીતે તોડો છો તુલસી ના પાન,તો જરૂર તમારા પર વરસશે શ્રી હરિ ની કૃપા

આ તો તમને પણ જાણતા હસો કે આપણા હિન્દૂ ધર્મ માં પૂજા અને પાઠનું કેટલું મહત્વ છે.અને આ પણ સાચુજ છે કે પુજા પાઠ દરિમયાન ઘણી વાતો એવી હોય છે જેનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી હોય છે આજે અમે તમને બતાવતા જઇ રહ્યા છે.

તુલસી ના વિશે જેનો પ્રયોગ પૂજા માં વિષેશ રૂપ થી કરવામાં આવે છે.શાસ્ત્રો માં માનવામાં આવ્યું છે કે તુલસી ની પૂજા થી પરિવાર માં સુખ શાંતી ની સાથે ભગવાન વિષ્ણુ ની કૃપા મળશે.માટે વૈષ્ણવ ના ઘરો માં તુલસી નો છોડ અવસ્ય હોય છે.

 

એટલું જ નહિ જણાવી દઇએ કે ભગવાન વિષ્ણુ ને તુલસી ખૂબ પ્રિય છે.માટે ઘણીવાર એમની પૂજા અને કોઈ શુભ કાર્ય માં તુલસી ના પાન ચડાવાય છે.ભગવાન વિષ્ણુ ના ભોગ માં તુલસી પાન ખૂબ જરૂરી છે.

આના વગર શ્રી હરિ વિષ્ણુ ભોગ સ્વીકાર નથી કરતા.એમના જ રૂપ શાલિગ્રામ જી ની સાથે તુલસી જી નો વિવાહ દેવ છટ એકાદશી ના દિવેસ કરવામાં આવ્યો હતો.

કહેવામાં આવે છે કે હિન્દુ ધર્મમાં ત્રણ સૌથી મોટા દેવ છે વિષ્ણુ ભગવાન ને જગત નો પાલનહાર કહેવામાં આવે છે અને એમની પૂજા થી કોઈ દિવસ સાંસારિક વસ્તુઓ માં કમી નથી આવતી.

સૌથી પહેલા તમારી જાણકારી માટે એ બતાવી દઇએ કે તુલસી ના પાન પાંચ પ્રકાર ના હોય છે.

પહેલા શ્યામ તુલસી,બીજા રામ તુલસી,ત્રીજા વિષ્ણુ તુલસી,ચોથા વન તુલસી,પાંચમા લીંબુ તુલસી પણ તમને એની જાણ નઈ હોય કે તુલસી ના પાન જેનો પ્રયોગ પુજા દરમિયાન કરીએ છીએ એને પણ તોડવા ના નિયમ હોય છે,હા તમે જ્યારે ઈચ્છો ત્યારે તુલસી ના પાન જોડે ગયા અને પાન તોડી નાખ્યા.

હિંદુ ધર્મમાં તુલસી નું ખૂબ મહત્વ છે. અને એટલા માટે આની સાથે જોડાયેલી થોડી માન્યતાઓ પણ છે જેને અપનાવી ખૂબ જરૂરી છે.એટલું જ નહીં તુલસી ના બધા પાન દેવીય છે અને આને વગર ધાર્મિક નિયમો વગર તોડવું સારું નથી.

તો ચાલો જાણીએ કયા છે તુલસી ના પાન તોડવા ના શાસ્ત્રીય અને ધાર્મિક નિયમ

ભૂલ થી પણ કયારે રવિવાર,શુક્રવાર,એકાદશી,અમાવસ,ચૌદસ તિથિ,અને દસમ ના દિવસે તુલસી ના પાન ન તોડવા જોઈએ આવું કરવું કોઈ ધાર્મિક અપરાધ થી ઓછુ નથી.

માટે કોઈ વગર કારણે તુલસી ના પાન ના તોડવા જોઈએ અને બીજું પણ ધ્યાન રાખો કે ભૂલ થી પણ રવિવાર અને એકાદશી એ તુલસી જી ને જળ ન ચડાવવું જોઈએ.

અને એ પણ ધ્યાન રાખો કે તુલસી ના પાન તોડવા જઈ રહ્યા છો તો કોઈ દિવસ એને નખથી ના તોડવા જોઈએ અને તુલસી ના પાન તોડતા પહેલાં માતૃલક્ષી ગોવિંદ હદયાનંદ કારીની નારાયનશ્યા પૂજાર્થ ચીનોમી ત્વવા નમોસ્તુતે આ મન્ત્ર નો ઉચ્ચાર કરવો જોઈએ.

કોઈ વાર તુલસી ના પાન જાતે સુકાઈ ને પડી જાય છે.આવા માં પડેલા પાન નો ઉપયોગ ઔષધિ અથવા અન્ય ક્રિયાઓ માં કરવો જોઈએ.અથવા માટી માં દબાવી દેવા જોઈએ.

અને ધ્યાન રાખો કે તુલસી આખી સુકાઈ જાય તો અને માટી માં દબાવી દેવા જોઈએ અને આ જગ્યા એ બીજો તુલસી નો છોડ રોપવો જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top