હવે પાટીદારો પહેલાની જેમ ખેતી નથી કરતા હવે આગળ આવીને તેઓ સરકારી નોકરીમાં ઊચ્ચ સ્થાને પહોંચવા માંગે છે. આ માટે તેમના સમાજે એક સંસ્થા ઉભી કરી છે જે ફક્ત એક રૂપિયાના ટોકનદરે તેમને શ્રેષ્ઠ અધિકારી બનાવશે.
‘દીકરી સ્વાવલંબી યોજના’ હેઠળ સિવિક સર્વિસ સેન્ટરમાં હાલ 104 દીકરી UPSC-GPSC ની તાલીમ લઈ રહી છે નિકોલમાં આવેલ સંસ્થામાં છોકરીઓ ટ્રેનિંગ લઈ રહી છે.
સરદારધામ અને કેળવણીધામ ટ્રસ્ટે ‘દીકરી સ્વાવલંબી યોજના’શરૂ કરી યુપીએસસી અને જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષા આપી કલેક્ટર,ડેપ્યુટરીકલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર સહિતની પોસ્ટ હાંસલ કરવા ઈચ્છતી પાટીદાર સમાજની તમામ દીકરીઓને વર્ષે માત્ર રૂપિયા 1ની ટોકન ફીમાં એડમિશન આપવામાં આવે છે.
દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે 2016થી શરૂ કરવામાં આવેલા સિવિક સર્વિસ સેન્ટરમાં રહેવા તેમજ જમવાની પણ સગવડ કરવામાં આવી છે.
હાલમાં ટ્રસ્ટના આ સેન્ટરમાં104 દીકરી યુપીએસસી અને જીપીએસસીની તાલીમ લઈ રહી છે.
હાલ 104 દીકરી તાલીમ લેય છેઅમદાવાદમાં ત્રણ વર્ષથી ચાલતાં કેળવણીધામ અને સરદારધામ સિવિક સેન્ટરમાં અત્યાર સુધી 5594 દીકરીઓ તાલીમ લઈ ચૂકી છે. 190 દીકરીએ તો માત્ર રૂપિયા 1ની ટોકનથી અભ્યાસકરી સ્પર્ધાત્મક પરીક્ષા પણ પાસ કરી છે. સંસ્થાએ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફાઉન્ડેશન ક્લાસ પણ શરૂ કર્યા છે.
દર શનિ-રવિ ચાલતા આ ક્લાસમાં 62 દીકરી તાલીમ લઈ રહી છે.પાટીદાર સમાજની કોઈપણ દીકરી આ સંસ્થામાં એડમિશન મેળવી શકે છે. જો કે, આ માટે સંસ્થાએ નક્કી કરેલી એન્ટ્રન્સ એક્ઝામના 3 લેવલ પાસ કરવા પડે છે. એ પછી જ એડમિશનઆપવામાં આવે છે.
સરદારધામ સંસ્થા 1 હજાર વિદ્યાર્થિની રહી શકે તેવી ગર્લ્સ હોસ્ટેલ તૈયાર કરી રહી છે. આ સંસ્થાના દાતા તથા ટ્રસ્ટીઓએ દીકરીઓને દત્તક લીધી છે અને તેમનાઅભ્યાસનો બધો ખર્ચ ઉઠાવે છે. સરદારધામ પાટીદાર દીકરા માટે પણ બોયઝ હોસ્ટેલ તૈયાર કરી રહ્યું છે. દીકરીઓનું પગભર થવાનું સપનું પૂર્ણ થાય તે માટે ખાસ પહેલદીકરીઓને પગભર કરવાનું આ સહિયારું સપનું છે.
જે પરિવારને એક જ સંતાનનો ખર્ચ પરવડતો હોય ત્યાં દીકરી તેના સપના બાજુએ મૂકી દેતી હોય છે. સંસ્થાનો હેતુ દીકરીઓનેએજ્યુકેશનની સાથે પગભર કરવાનો છે જેથી અમે 1 વ્યક્તિ 1 દિવસનું 1 રૂપિયો દાન આપે એવી અવેરનેસ ફેલાવી રહ્યા છે.
અમે 2020 સુધીમાં 1 હજાર દીકરી સુધી પહોંચવાનું લક્ષ્યાંકછે.ટી.જી. ઝાલાવાડીયા, ચેરમેન, યુપીએસસી સેન્ટર,સદારધામ/કેળવણીધામ,નિકોલ પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ ફરજિયાતએડમિશન કોને મળે કોઈપણ પાટીદાર દીકરી એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી 1 રૂપિયામાં ઉચ્ચ શિક્ષણનો લાભ લઈ શકે છે.
એડમિશન કેવી રીતે મળે.સંસ્થાની વેબસાઇટ પર એડમિશનની જાહેરાત છે. એન્ટ્રન્સ એક્ઝામનું ફોમ ઓનલાઇન હોય છે અને ભરવાનું પણ ઓનલાઈન છે તેનો કોઈ ચાર્જ નથી.
એન્ટ્રન્સ એક્ઝામ કેવી હોય છે. 200 માર્કની 3 કલાકની લેખિત પરીક્ષા હોય છે. પાસ થનારે અઠવાડિયા બાદ નિબંધ લેખન પરીક્ષા આપવી પડે છે અને તેમાં પાસ થનારની નિવૃત્ત IAS અને IPS કક્ષાના અધિકારી મૌખિક પરીક્ષા લે છે.