પાછલા ઘણા દિવસો થી તમામ દેશવાસીઓ જમ્મુકાશ્મીર ને લઈને ઘણા ચિંતિત હતા ત્યારે હંમેશા પોતાના નિર્ણયથી સૌ કોઈને ચોંકાવનારા પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે પણ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયથી સૌને ચોંકાવી દીધા.
ત્યારે લોકો એ પણ વિચારે છે કે મોદી નું આ મિશન કેટલું ગુપ્ત હતું .મોદીનું ‘મિશન કાશ્મીર’ એટલું ગુપ્ત હતુ કે તેની જાણ કોઈને નહોતી. અહીં સુધી કે તેમના અંગત ના કેટલાક મંત્રીઓ પણ સરકારના આ નિર્ણયથી અજાણ હતા.
મોદીનો બીજો કાર્યકાળ શરૂ થતા સાથે જ આ મિશનને પૂરું કરવાનું કામ શરૂ થઈ ગયું હતું. ગુપ્ત રીતે થયેલા આ મિશન ની ગુપ્તતા જાણવા જેવી છે તો આવો જાણીએ કાશ્મીર મુદો તો મોદી એ વર્ષો પહેલા ઉઠાવ્યો હતો પરંતુ તે સમયે તેમની પાસે કોઈ તાકાત નહતી.
એવામાં જયારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારથીજ તેઓ આ નિર્ણય પાછળ હતા પરંતુ ઘણી બધી મુશ્કેલી બાદ આ નિર્ણય સાકાર થયો છે.હકીકતમાં બીજા કાર્યકાળની શરૂઆત થતા જ મોદી સરકારના એક વરિષ્ઠ અધિકારીને રાષ્ટ્રપતિના આદેશ પર ઉપયોગ થનારા કાગળો વિશે પૂછાયુ હતું.
જમ્મુ-કાશ્મીર વિશે અનુમાન લગાવતા પહેલાની આ ઘટના હતી.અધિકારીને જમ્મુ-કાશ્મીરના ‘સ્પેશિયલ સ્ટેટસ’ હટાવવાના ઐતિહાસ પગલાની પણ ગંધ નહોતી આવી શકી.
બીજી તરફ મોદી એવી અટકળો હતી કે સરકાર આર્ટિકલ 35A પર કંઈક મોટું કરવાનું મન બનાવી ચૂકી છે પરંતુ અસલી પ્લાન તો સરકારના વરિષ્ઠ સહયોગીઓથી પણ ગુપ્ત રાખવામાં આવ્યો હતો.
આ ગુપ્તતા પાછળ પણ ઘણો રાજ છે. આ નિર્ણય ને લઈને હંમેશા સરકાર ખુબજ એકટીવ હતી મોદી સરકારના પહેલા કાર્યકાળના અંતિમ મહિનામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જગમોહનના પુસ્તક ‘માઈ ફ્રોઝન ટ્રબ્યુલેન્સ’માં આપેલી સલાહ અનુસાર આર્ટિકલ 370માં કેટલાક સુધારાની વાત સરકારના વરિષ્ઠ સહયોગીઓ સાથે થઈ હતી. પરંતુ આ વાત ખુબજ અંગત સહયોગી સાથેજ થઈ છે માટે તે ખુબજ ગુપ્ત રહી છે.
ભારતીય જનતા પાર્ટીના બાહુબલી તથા ચાણક્ય કહેવાતા અમિત શાહ ના ગૃહમંત્રી બન્યા બાદ પીએમ મોદીએ આ કામ ફરી ત્યાંથી શરૂ કર્યું જ્યાંથી અધૂરું છોડ્યું હતું. NSA અજીત ડોભાલને આ મિશનને સફળ બનાવવાની જવાબદારી સોંપાઈ હતી.
સરકારે આ ઉપરાંત ગૃહ સચિવ રાજીવ ગૌબા અને જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બી.વી આર સુબ્રમણ્યન સહિત ઘણા અધિકારીઓને આ કામને અંજામ સુધી પહોંચાડવા માટે પસંદ કર્યા. તે એક ખુબજ મોટો નિર્ણય હતો.
ગૃહમંત્રી શાહના નેતૃત્વમાં ટીમે આર્મી ચીફ જનરલ બિપિન રાવત અને અર્ધસૈનિક દળોના પ્રમુખો પાસેથી સહયોગ અને કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મદદ મગાઈ. પાકિસ્તાન તરફથી સંભવિત ખતરો અને અફઘાનિસ્તાન સરહદથી સૈનિકો હટાવવા શાંતિ માટે ખતરો માનવામાં આવતા હતો.
અને આ રીતે કાશ્મીરમાં સુરક્ષાદળોને તહેનાત કરવાનો સાચા હેતુ છુપાવવાને મદદ મળી.આ મિશન ખૂબ જ ગુપ્તતા થી થયું હતું અને આ મિશન ને ગુપ્ત રાખવા પાછળ અનેક કારણો જોડાઈ લા છે અને આ કારણો ને લીધેજ આ મિશનને આટલું ગુપ્ત રાખવામાં આવ્યું હતું.