હવે પાકિસ્તાનની અંતિમ ક્ષણો ,ભારત સાથે ના આ તમામ સબંધો કર્યા બંધ જાણો વિગતે
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ કરાતા અકળાયેલા પાકિસ્તાને ભારતના હાઈકમિશનર અજય બિસારિયાને હાંકી કાઢ્યા છે.
પાક.વડાપ્રધાન ઈમરાન ખાનના વડપણ હેઠળ ઈસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી)ની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.પાકિસ્તાન ને તેના નિર્ણય પર જાણે ખુબજ ગર્વ છે.પાક.હવે કાશ્મીર મુદ્દાને યુએનએસસીમાં ઉઠાવશે.
બંને વચ્ચે ની બેઠક પછી વિદેશમંત્રી શાહ મહેબૂબ કુરેશીએ કહ્યું કે તેમના હાઈકમિશનર નવી દિલ્હીમાં નહીં હોય અને ભારતના હાઈકમિશનને પાછા મોકલાશે. પાકિસ્તાને ભારત સાથે વેપાર બંધ કરવાની સાથે રાજદ્વારી સંબંધોમાં ઘટાડો કરવાનું પણ નક્કી કર્યું છે.
પાકિસ્તાન આ મુદ્દો યુએન સુરક્ષઆ પરિષદમાં પણ ઉઠાવશે. બેઠકમાં સેના, આઈએસઆઈ અને તેમના મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓ અને મોટા અધિકારીઓ જોડાયા હતા.
પીએમ કાર્યાલયથી જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું કે એનએસસીએ કાશ્મીર મુદ્દાને યુએનએસસીમાં ઉઠાવવા અને ભારત સાથે દ્વિપક્ષીય વેપાર બંધ કરવા તથા રાજકીય સંબંધોની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે.જેના થઈ ભારત ને કોઈ પણ જાત નું નુકસાન નથી.
ઇમરાન ખાન નું એવું કહેવું છે કે ભારતમાં મુસ્લિમ અને અલ્પસંખ્યક ખતરામાં છે. ઇમરાને મંગલવારે કહ્યું હતું, ”મને લાગે છે કે ભારતમાં કાશ્મીરીઓને મિટાવવા માગે છે.
તે કાશ્મીરમાં વંશીય રીતે મુસલમાનોનો સફાયો કરી શકે છે. સ્થિતિઓને જોઇને લાગે છે કે ફરી પુલવામાં જેવી ઘટના થશે. પછી તે મારા પર આરોપ લગાવશે કે વધુ એક એરસ્ટ્રાઇક કરીશું.
આપણે ફરી પાછો તેનો જવાબ આપીશુ. પછી યુદ્ધ થશે. અમે લોહીના છેલ્લા ટીપા સુધી લડીશું.”વધુ કહ્યું, ”જ્યારે અમે સત્તા સંભળી તો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબીને હટાવવાનો હતો. તેથી સૌથી પહેલા અમે પાડોશીઓ સાથે સારા સંબંધો બનાવવાનું ઇચ્છ્યું. જ્યારે ભારત સાથે વાત કરીતો તેમણે પાકિસ્તાનની આતંકી ઘટનાઓને લઇને ચિંતા જતાવી.
મેં નરેન્દ્ર મોદીને કહ્યું કે અમે આતંકવાદ માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ ક્યારે થવા નહીં દઇએ.”વધુ માં ઇમરાન કહે છે કે દુનિયાને કાશ્મીરની જાણકારી નથી ઇમરાને કહ્યું, હું અને મારી પાર્ટી વિશ્વના નેતાઓને એ કહેવાની જવાબદારી લઇએ છીએ કે કાશ્મીરમાં શું થઇ રહ્યું છે ? મને લાગે છે કે દુનિયાને તેની જાણકારી નથી. હું તેમને જણાવવા માગુ છું
કે ભારત સરકાર કાશ્મીરમાં મુસલમાનો સાથે શું કરી રહી છે. હકીકતમાં તેઓ ખતરામાં છે. ”જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી આર્ટિકલ ૩૭૦ને નાબુદ કરી દેવામાં આવી છે. જેને પગલે હવે કાશ્મીર પચાવી પાડવાના સપના જોઇ રહેલા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.
પાકિસ્તાને સરહદે આતંકીઓની સંખ્યા વધારી દીધી છે, સાથે હવે સરહદે કાશ્મીર સાથે જે વ્યાપાર થતો હતો તેને પણ બંધ કરી દીધો છે.
એટલુ જ નહીં ભારતીય વિમાનોને પાકિસ્તાનમાં પ્રવેશતા અટકાવવા માટે ભારત માટે એરસ્પેસ પણ બંધ કરી દીધો છે.
પાકિસ્તાનના નિર્ણયને પગલે હવે પાકિસ્તાન તરફ હવે ભારતનું કોઇ જ વિમાન હાલ નહીં જઇ શકે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા માટેની બેઠક બોલાવી હતી.
આ બેઠકમાં જ ભારત વિરોધી નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠક બાદ સરકારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ઇમરાન ખાન, સૈન્ય અધિકારીઓ અને વહીવટી વિભાગના અધિકારીઓએ બેઠકમાં નિર્ણય લીધો છે કે હવેથી ભારત સાથેના ડિપ્લોમેટિક સંબંધો પર હવે વિરામ મુકવામા આવશે.
જોકે હાલ આ સંબંધોને ઘટાડી દેવાયા છે અને આગામી દિવસોમા કાયમ માટે પુરા કરવાની ધમકી આપી છે. આ ઉપરાંત પાકિસ્તાને કહ્યું છે કે ભારત સાથેના વ્યાપારને પણ હાલ સસ્પેન્ડ કરવામાં આવે છે. જોકે આ નિર્ણયોથી પાકિસ્તાન પોતાના જ પગ પર કુવાડો મારી રહ્યું છે.
કેમ કે વ્યાપાર બંધ કરવાથી પાકિસ્તાનને જ વધુ નુકસાન થશે. આ ઉપરાંત એવી ધમકી આપી હતી કે ભારતે કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબુદ કરી તેને હવે સંયુક્ત રાષ્ટ્ર તેમજ સુરક્ષા પરિષદમાં પડકારવામાં આવશે. જેનાથી સંપૂર્ણ તેનેજ નુકશાન દેખાઈ રહ્યું છે.
તેની સાથે અન્ય કેટલાક નાટકો કરવાની જાહેરાત પણ પાકિસ્તાને કરી હતી, દર વર્ષે ૧૪મી ઓગસ્ટે પાકિસ્તાન સ્વતંત્રતા દિન ઉજવે છે, જોકે આ વખતનો સ્વતંત્રતા દિન પાકિસ્તાન કાશ્મીરના સમર્થનમાં ઉજવશે તેવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત પાકિસ્તાની સૈન્યને પણ આદેશ આપવામાં આવ્યા છે કે સરહદે ચાંપતી નજર રાખવામાં આવે.
જેના સામે ભારતીય સેના પહેલાથી જ સજ્જ થઈ ને બેઠી છે.ઇમરાન ખાને બેઠક બોલાવી હતી કેહવાઈ છે .ઇમરાન ખાને જે બેઠક બોલાવી હતી તેમાં સંરક્ષણ, વિદેશ, આઇએસઆઇના વડા, સૈન્યના અધિકારીઓ પણ સામેલ હતા. પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા કાઉન્સિલ સૈન્ય અને અન્ય સુરક્ષા એજન્સીઓની ટોચની બોડી છે, જેની બેઠક ઇમરાન ખાને બોલાવી હતી. આ જ બેઠકમાં ભારત સ્થિત પાકિસ્તાનના રાજદુતને પરત બોલાવી લેવાનો નિર્ણય પણ લેવાયો હતો.
આ ઉપરાંત પાકિસ્તાનમાં જે ભારતીય હાઇ કમિશનર છે તેમના નિકાલનો પણ આદેશ કરી દીધો હતો તેથી હવે ભારતીય હાઇ કમિશનર પણ ભારત પરત આવી જશે. સાથે પાકિસ્તાને એવી પણ ધમકી આપી હતી કે કાશ્મીર મામલો અહીં પુરો નથી થયો અને તેને લઇને અમે કોઇ પણ હદે જવા તૈયાર છીએ.
જ્યારે પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું છે.
કે ભારત સાથેના ડિપ્લોમેટિક સંબંધોને હવે પાકિસ્તાને કાયમ માટે પુરા કરી દેવા જોઇએ.ત્યારે ભારત પાકિસ્તાન ની આ સંપૂર્ણ ચાલો અગાવથીજ સમજી ગયું છે.પાકિસ્તાનમાંથી ભારતમાં આવતી વસ્તુઓનું પ્રમાણ ૨૦૧૬-૧૭ની સરખામણીમાં ૨૦૧૭-૧૮માં વધ્યું હતું. ૨૦૧૬-૧૭માં પાકિસ્તાનમાંથી ૪૫૫.૫ બિલિયન ડોલરની કિંમતની વસ્તુઓની આયાત ભારતમાં થઈ હતી, જે ૨૦૧૭-૧૮માં વધીને ૪૮૮.૫મિલિયન ડોલર થઈ હતી.પાકિસ્તાન અને ભારત વચ્ચે નીચે દર્શાવેલ વસ્તુ ની હેરા ફેરીથાઈ છે.
(૧) ફળો
ફળો ખૂબ પસંદ કરવામાં આવે છે.૨૦૧૭માં પાકિસ્તાનમાં મોટા પ્રમાણમાં ફળો ભારતમાં આવ્યા હતા. જેમાં ડ્રાયફ્રૂટ્સ, તરબૂચ અને બીજા ફળો સામેલ છે. પાકિસ્તાનના આ ફળોનું મોટું બજાર છે. એટલે સુધી કે પાકિસ્તાનની કેરીને પણ ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. આંકડા જણાવે છે કે 2017માં 89.62 મિલિયન ડોલર એટલે કે 63 કરોડના ફળો ભારતે ખરીદ્યા હતા. પાકિસ્તાનમાંથી આવતા ફળો સામાન્ય રીતે કાશ્મીર અને દિલ્હીની બજારમાં આવે છે.
(૩)સિંધવમીઠું અને સીમેન્ટની ખૂબ માંગ
વ્રતમાં ખવાતું સિંધવમીઠું , સલ્ફર, પથ્થર અને ચૂનાની ભારતમાં ખૂબ માંગ છે. ભારતની લોકપ્રિય બીનાની સીમેન્ટ પાકિસ્તાનમાં જ બને છે. જ્યારે વ્રતમાં ઉપયોગમાં લેવાતું સિંધાલુણ પાડોશી દેશમાંથી જ આવે છે. એટલે સુધી કે સૌંદર્ય પ્રસાધનોમાં ઉપયોગમાં લેવામાં આવતી મુલતાની માટી પાકિસ્તાનથી આવે છે. ત્રીજા નંબરે ચામડાનો સામાન પાકિસ્તાનમાંથી આવે છે.
(૩)અમુક મેડિકલ ઉપકરણો
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ પાકિસ્તાન આપણે પેટ્રોલિયમ ઉત્પાદનો અને ક્રુડ પણ મોકલે છે. આપણા દેશમાં ઉપયોગમાં આવતા ઓપ્ટિકલ્સ પણ પાકિસ્તાનમાંથી આવે છે. મોટા પ્રમાણમાં મેડિકલ સાધનો પણ પાકિસ્તાનથી આવે છે.
(૪) કપાસ અને તાંબુ
પાકિસ્તાનમાંથી મોટા પ્રમાણમાં આપણે કોટન પણ આયાત કરીએ છીએ. તાંબુ અને સ્ટીલ પણ પાકિસ્તાનમાંથી આયાત કરવામાં આવે છે. આ બંને વસ્તુ મોટાપ્રમાણમાં પાકિસ્તાનથી મંગાવવામાં આવે છે. આ ઉપરાંત ગેર કાર્બનિક કેમિકલ્સ, મેટલ કમ્પાઉન્ડ પણ પાકિસ્તાનમાંથી મંગાવવામાં આવે છે. એટલું જ નહીં ખાંડમાંથી બનતી મીઠાઈઓ પણ પાકિસ્તાનમાંથી મંગાવવામાં આવે છે.
પાકિસ્તાનની આ બ્રાન્ડ લોકપ્રિય છે.
પાકિસ્તાનની અનેક બ્રાન્ડ ભારતમાં લોકપ્રિય છે. આ બ્રાન્ડ્સની વસ્તુઓ કાશ્મીર અને ઉત્તર ભારતમાં જોવા મળે છે. પાકિસ્તાની એમ્બ્રાઇડરી અને કોટન ફેબ્રિક બ્રાંડ બેરીજીના બે સ્ટોર દિલ્હીમાં આવેલા છે. આ ઉપરાંત જુનૈદ જમ આશેદને ભારતમાં પસંદ કરવામાં આવે છે.લાહોરના કૂર્તા, પેશાવરના ચંપલો પણ દિલ્હીની બજારમાં ખૂબ વેચાય છે આ તમામ વસ્તુ બંધ થાય તો પણ ભારત ને કાઈ નુકશાન નથી ભારત પાસે આવી અન્ય ઘણી વસ્તુઓ છે.