મોદી સરકાર માટે આવતું અઠવાડિયું છે મુશ્કેલી ભર્યું.આ કારણો ના લીધે જમ્મુ કાશ્મીર પર રહેશે વિશ્વ ની નજર

હવે મોદી સરકાર માટે આવવા વાળા અઠવાડિયામાં ખુબ મુશ્કેલી આવવાની છે અને કાશ્મીરની પરિસ્થિતિ ખુબ કપળી રહેવાની છે

અને જો ત્યાંની પ્રજા પથ્થર મારો કરશે તો તેમને સજા ફટકારવામાં આવશે.મોદી સરકાર શાંતિથી કાશ્મીરમાં કામ કરશે તો ત્યાંના પથ્થર મારો તેમને શાંતિથી કામ કરવા નહિ દે એટલે ખુબ કડક પગલાં લેવા પડશે અને તેને અમલમાં મુકવામાં પણ સખત થવું પડશે

આથી પથ્થર મારો પથ્થર મારતા પહેલા વિચારે કે હવે પહેલા જેવું નહિ રહ્યું સરકાર ખુબ સખ્ત થઇ ગઈ છે.અને 370 કલમ હટ્યા પછી કાશ્મીરની પ્રજાને ખુબ ફાયદો થશે.

મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં 30 હજારથી વધારે જવાનોને તૈનાત કર્યા છે.

શ્રીનગર સિવાય, બડગામ, ડોડા અને ઉધમપુર સહિતના વિસ્તારમાં સઘન સુરક્ષા સાથે કલમ 144 લાગૂ કરવામાં આવી છે.

મોદી સરકારે આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરના તમામ જિલ્લામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.જેથી ખીણમાં ઈન્ટરનેટ,મોબાઈલ અને બ્રોડબેન્ડ સેવાને પણ બંધ કરી દેવામાં આવી છે.

જમ્મુમાં વહેલી સવારે લોકો જીવનજરૂરી ચીઝ વસ્તુ ખરીદવા માટે નિકળ્યા હતા.શાકભાજીનું માર્કેટ પણ જમ્મુમાં ફરીવાર શરૂ થયુ છે.

જ્યારે કેટલાક લોકો રોજદાર અને કામધંધા માટે પણ જઈ રહ્યા છે અને ત્યાંની વસ્તી ખુશી નો માહોલ જોવા મળે છે

મોદી સરકાર માટે જમ્મુ-કાશ્મીરમાં આવતું એક અઠવાડિયું પરીક્ષાનું છે. કાલે એટલે કે શુક્રવારે જુમ્માની નમાઝ છે.

રાજ્યની વિશેષ સ્થિતિમાં બદલાવ બાદ આ પહેલા જુમ્મા છે. ત્યાર બાદ 12 ઓગસ્ટે બકરી ઈદ છે. 14 ઓગસ્ટે પાકિસ્તાનનો અને 15 ઓગસ્ટે દેશનો સ્વતંત્રતા દિવસ છે.

સામાન્ય રીતે પાકિસ્તાનના આઝાદી દિવસ પર ઘાટીમાં પ્રદર્શન થાય છે. આ એક અઠવાડિયામાં કેન્દ્ર સરકારને રાજ્યના લોકોનો મુડ જાણવાનો મોકો મળશે.

જમ્મુ-કાશ્મીરમાં વિશેષ રાજ્યનો દરજ્જો આપનાર કલમ 370ને હટાવ્યા બાદ પ્રદેશમાં ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.

ઘણા વિસ્તારમાં કર્ફ્યુ લગેલું છે. કાશ્મીરમાં કર્ફ્યું ક્યાં સુધી રહેશે તેની અત્યાર સુધી કોઈ ઓફિશયલ ઘોષણા નથી કરવામાં આવી.

જોકે ખબરોના જણાવ્યા અનુસાર આવતા શુક્રવાર અને ઈદ-એલ-અહહાના મોકા પર કાશ્મીરના લોકોને કર્ફ્યુમાં ઢીલ આપવામાં આવી શકે છે.

જમ્મુ-કાશ્મીરથી કલમ 370ના આર્ટિકલ હટાવ્યા બાદથી પડોસી દેશ પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. એવા માં ઈમરાનખાન કોઈ પણ નાપાક નિર્ણય લઈ શકે છે.

તેના કારણે આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કાશ્મીરમાં સુરક્ષા જવાનોની તૈનાતી હજુ પણ રહેશે.

જેકે શુક્રવારે અને ઈદના મોકા પર કર્ફ્યુમાં ઢીલ આપીને સરકારને કાશ્મીરના લોકોના મુડનો અંદાજ જરૂર થઈ જશે. ત્યાર બાદ પણ સરકાર કર્ફ્યુ અને સુરક્ષા દળોના તૈનાત રહેવા પર કોઈ નિર્ણય લઈ શકે છે.

રાજ્ય પ્રશાસનની સાથે મળીને કેન્દ્ર સરકાર કાશ્મીરની સ્થિતિ પર નજીકથી નજર રાખીને બેઠી છે. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલે ઘાટીની સ્થિતિની હકીકત જાણવા માટે ત્યાંની મુલાકાત પણ લીધી.

ડાવાલે અહીં રાજ્યપાલ સત્યપાલ મલિક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની સાથે મીટિંગ પણ કરી હતી. ડોવાલે કાશ્મીરમાં સ્થાનીક લોકો સાથે પણ મુલાકાત કરી.

અને તેમને વિશ્વાસ અપાવ્યો કે દરેક વસ્તુઓ તેમના સારા માટે થઈ રહી છે. કાશ્મીરના લોકો પણ તે વાતને સમજતા જોવા મળ્યા.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે જુમ્માની નમાઝને ધ્યાનમાં રાખી લાગુ કલમ 144 હેઠળ અમુક ઢીલ આપવામાં આવી શકે છે.

ત્યાં જ 12 ઓગસ્ટે ઈદ ઉલ અઝહા પણ છે. એવામાં તે મોકા પર સુરક્ષા પ્રતિબંધોમાં ઢીલ આપીને ઘાટીના લોકોના મુડનું આકલન કરવાનો પ્રયત્ન સરકાર કરી શકે છે.

અત્યાર સુધી અધિકારીઓએ અહીં હાલત સ્થિર અને સંતોષજનક જણાવ્યા છે. ઘાટીમાં સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર ખૂબ નજીકથી નજર રાખી રહી છે.

અને સાથે જ ઘાટી અને દક્ષિણ કાશ્મીરમાં લોકોના મુડ પર પણ સાવધાની પૂર્વક નજર રાખી રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top