સરદાર પટેલનું સપનું થશે પૂરું, નર્મદા ડેમની સપાટી પ્રથમ વખત આટલા સ્તરે – જાણો વિગતે

હવે સરદાર પટેલનું એ સપનું પુરુ થસે.જેની રાહ તેમને ઘણી જોઈ હતી અત્યારે સમગ્ર ભારત તથા ગુજરાત માં સારો એવો વરસાદ થવાથી નર્મદા ડેમની સપાટી પ્રથમ વખત 131 મીટરે પોહચી હતી.

નર્મદા ડેમ પર દરવાજા લગાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત ડેમ પરના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઇ પાછલા ઘણા દિવસથી નર્મદા ડેમમાં પાણીની સતત આવક થઇ રહી હતી.

ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચ્યા બાદ મોડી રાતે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

નર્મદા ડેમના 25 દરવાજા 0.92 સે.મી. સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમની સપાટી 131.16 મીટર છે અને ડેમમાં હાલ 6,23,635 ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે 50,070 ક્યુસેક પાણીની જાવક થઈ છે. જ્યારે મોડી રાત્રે ડેમ ઓવરફ્લો થતાં ડેમના ૨૫ દરવાજા 0.92 સેમી ખોલવામાં આવ્યા છે અને 6 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે.

ડેમના દરજાવા ખોલતાં રાજ્યનાં ત્રણ જિલ્લા વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે ભરૂચ અને નર્મદા જિલ્લાના કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમની જળસપાટી 131 મીટરે વટાવી જતાં દરવાજા ખોલનો નિર્ણય લેવાયો હતો.

હાલ ડેમની સપાટી 131.16  મીટર છે અને ડેમમાં હાલ 6,23,635 ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે, જ્યારે 50,070 ક્યુસેક્સ પાણીની જાવક થઈ રહી છે. કલેક્ટરે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે. ગુજરાતમાં પાણીને લઈને આજનો દિવસ ઈતિહાસમાં અંકિત થનારો છે.

સરદાર સાહેબના નર્મદા ડેમના સ્વપ્નથી ગુજરાત હવે 30 દિવસ દૂર છે. 1948 માં સરદાર સાહેબે સંપૂર્ણ ડેમ ભરાઈ જવાનું સ્વપ્ન જોયેલું. આગામી 30 દિવસમાં આપણે 138 મીટર સુધી ડેમ ભરવા તરફ જઈ રહ્યાં છીએ. ધીમે ધીમે 138 મીટર સુધી નર્મદા ડેમનું લેવલ લઈ જવાની સરકારની તૈયારી છે.

ત્યારે હવે આ પાણી વધુ માં વધુ આગળ જશે અને સમગ્ર ગુજરાત માં આ પાણી નો લોકો ને લાભ મળશે તેમાં ખાસ કરી ને સૌરાષ્ટ્ર ને લાભ થશે. આવી રીતે મળશે લોકો ને નર્મદા નું પાણી નર્મદા ડેમના દરવાજા ખોલતાં ગુજરાતની જનતા દાયકાઓથી જે યોજનાની સફળતાની અપેક્ષા રાખતી હતી તે પૂર્ણ થઈ છે.

60 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરીને જેની શરૂઆત કરી હતી તે યોજના આજે સાકાર થઈ છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં CM રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ડેમની મુલાકાત લીધી હતી.

નીતિન પટેલે જણાવ્યું કે, ડેમના દરવાજા બંધ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપ્યા બાદ ફાયદો થયો છે. નર્મદા બંધમાં ગયા વર્ષે પાણી ભરવાની શુભ શરૂઆત કરી હતી. નર્મદા માતાની કૃપાથી મોટા પ્રમાણમાં ડેમમાં પાણી આવી રહ્યું છે અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ 131 મીટર સુધી આપણે પાણી ભરી શકીએ છીએ.

ગુજરાતની પ્રજાની વર્ષો જૂની જે લાગણી હતી તે ભગવાને પૂર્ણ કરી છે. નર્મદા ડેમના દરવાજા ખોલતાં 1200 મેગાવોટની ક્ષમતાએ વીજળીનું ઉત્પાદન થયું છે. જ્યારે 14 હજાર ક્યૂસેક પાણી હાલ કેનાલમાં છોડવામાં આવ્યું છે. નર્મદામાં પૂર આવે ત્યારે ગુજરાતની તમામ નદીઓનો ઉપયોગ ગ્રીડ તરીકે કરવાનું સ્વપ્ન હતું કે સાકાર થતું જોવા મળી રહ્યું છે.

25 દરવાજા ખોલતાં નર્મદાનું 1400 ક્યૂસેક પાણી હાલ મહી નદીમાં છોડવામાં આવ્યું છે. જ્યારે 300 ક્યૂસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું છે.

નર્મદાનું પાણી આગળ વધીને મહેસાણા જિલ્લામાં ખારી અને રૂપેણમાં જ્યારે બનાસકાંઠાની બનાસ નદી સુધી પણ પહોંચાડવાનું આયોજન સરકાર કરી રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર માટે સૌની યોજનાથી મા નર્મદાનું પાણી અપાશે. આ સાથે કચ્છને પણ તરસ્યું નહીં છોડાય. સૌની યોજનાને નર્મદાનું પાણી પાઈપલાઈનની મદદથી પંપિંગ સ્ટેશનથી મળશે.

નર્મદા સરદાર સરોવર ડેમ ઓવરફલો થતાં સૌરાષ્ટ્રનું જળસંકટ હળવું થયું છે. સૌરાષ્ટ્રના અનેક ડેમોને પાણીથી ભરી દેવામાં આવશે જેમાં રાજકોટ જિલ્લાને પૂરું પાડતા ડેમો પણ ભરવામાં આવશે. રાજકોટ, રાજકોટ ગ્રામ્ય, ધોરાજી, જેતપુર, ઉપલેટા અને ગોંડલ પંથકનું જળસંકટ હળવું થઈ જશે. સૌરાષ્ટ્રના વિવિધ ડેમોમાં ચાર લીંકથી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે.

લીંક-1 ની મદદથી જામનગરના રણજીત સાગર ડેમમાં પાણી પહોંચાડાશે. જ્યારે લીંક-૩ની મદદથી આજી-1, ન્યારી-2 અને ભાદર-1 ડેમમાં પાણી પહોંચાડાશે. આરીતે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ના વિવિધ ભાગો કેજયા આજ સુધી પાણી નથી પોહ્ચ્યું ત્યાં હવે નર્મદા નું પાણી પહોંચશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top