પવિત્ર શ્રાવણ માસ માં લોકો ભગવાન ને રિજવવા ખુબજ પ્રયત્ન કરતાહોઈ છે પરંતુ હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને સાથે જ અનેક શ્રદ્ધાળુઓ પોતાની રીતે પૂજા અર્ચના કરી રહ્યા છે.
આજે આપણે ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવા માટે કયા કામો ન કરવા તેની વાત કરીશું. તો આવો જાણીએ એવી 10 બાબતો જેને શ્રાવણ મહિનામાં ખાસ ટાળવી જોઈએ.
(૧) પિત્ત વાળું દૂધ.
વિજ્ઞાનના આધારે ચોમાસામાં દૂધ માં પિત્ત વધારે હોઈ છે અનેજો તેને શિવજીના અભિષેકમાં ઉપયોગમાં લેવાય તો તે ખુબજ અશુભ માનવ માં આવે છે તેથી તેનો ઉપયોગ ટાળો.
(2) લીલા શાકભાજી
ઘણા લોકો ભગવાન ને લીલા શાકભાજી ચડાવતા હોઈ છે પરંતુ લીલા શાકભાજી સાથે ઘાંસ પણ ઉગે છે અને તેમાં જંતુની સંખ્યા વધારે હોય છે તેથી આ શાકનો ઉપયોગ ન કરવો હિતાવહ છે.
(૩) રીંગણાં.
વિજ્ઞાન કહે છે કે રીંગણમાં કીડા વધારે પડે છે અને શાસ્ત્રો પ્રમાણે તે અશુદ્ધ કહેવાય છે માટે તેને શ્રાવણમાં ન વાપરો.તેજ સારું છે.
(૪) ખરાબ વિચારો
શ્રાવણ ભક્તિનો મહિનો હોવાથી તેમાં ખરાબ વિચારો કરવાથી દૂર રહેવું અને શક્ય તેટલી વધુ શિવ આરાધના કરો.આનાથી ભગવાન ની કૃપા પણ તમારા પાર રહશે.
(૫) હળદર
હળદર એક સ્ત્રી સંબંધિત વસ્તુ છે માટે તેને શિવલિંગ પર ક્યારેય ન ચઢાવો.જો આભૂલ તમે કરશો તો ભગવાન તમારા થી નારાજ થઇ શકે છે.
તમારાથી મોટા, સગા, સાથી અને જ્ઞાની લોકોનું અપમાન ન કરવું. તે શિવકૃપાથી તમને દૂર કરે છે.
સવારે મોડે સુધી સૂવાના બદલે નિત્યક્રમ પતાવીને એકાગ્રતાથી પૂજા કરવી. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.શ્રાવણ મહિનામાં જીવ હત્યા પાપ ગણાય છે. સાથે જ ચોમાસામાં પાચનક્રિયા મંદ પડે છે. તેથી
માંસાહારના સેવનને ટાળો.
કહેવાય છે કે જે ઘરમાં શાંતિ અને આનંદ હોય છે ત્યાં પરમેશ્વર વાસ કરે છે. માટે પતિ પત્નીએ ઘરમાં કંકાસ કરવો નહીં.
આમ કરવાથી શિવકૃપા પ્રાપ્ત થાય છે. ગુસ્સો માણસની સમજવાની અને વિચારવાની શક્તિને ખતમ કરી દે છે.શિવકૃપા મેળવવા માટે મનને શાંત રાખો અને પૂજા કરો.