શુ તમે પણ વરસાદી માહોલ માં ટ્રીપ નો પ્લાન કરો છો,તો અચૂક જાવ આ જગ્યાએ આવશે ખુબજ આંનદ

અત્યારે સરકાર દ્વારા ટુરિસ્ટ પ્લેસ ખૂબ જ કાળજી લેવા માં આવે છે તેવા માં હવે ટુરિસ્ટ ને પણ નવા નવા પ્લેસ પર જવું ખૂબ ગમે છે.પરંતુ વરસાદી માહોલ માં ઘણા ટુરિસ્ટ પ્લેસ બંધ થઇ જાય છે.પરંતુ તમારે ગભરાવવા ની જરૂર નથી. ફરવાનો શોખ દરેક માણસને હોય છે.

લોકો ફરવા જવા માટે મીનિ વેકેશનની જ રાહ જોતા હોય છે. હવે સાતમ-આઠમ આવી રહી છે તમે પણ ક્યાંક ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હશો તો અમે તમને જણાવીએ છીએ કે કઇ જગ્યાએ જશો તો તમને મજાવશે.આ સિઝનનો પ્રાકૃતિક નજારો તમને પણ ખુશ કરી દે છે.

એટલા માટે શ્રાવણના મહિનામાં તમારે પણ તમારા મિત્રો સાથે ફરવાનો પ્લાન જરૂરથી કરી લેવો જોઇએ. જો હજુ પણ તમે એના માટે જગ્યા શોધી રહ્યા છો તો અમે તમને એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં એકજ વાર તમે જશો તો બીજી વાર જવાની રાહ જોશો.

(૧) ઉદેયપુર, રાજસ્થાન

ભારતનું સૌથી આકર્ષક પર્યટન સ્થળ ઉદેયપુર માનવામાં આવે છે. એને ઝીલોનું શહેર પણ કહેવામાં આવે છે. અરાવલી પહાડો પર વસેલા આ શહેરનો નજારો વરસાદમાં ખુબજ સુંદર લાગે છે.

વરસાદી માહોલ માં ફરવા લાયક બેસ્ટ ટુરીસ્ટ પ્લેસ માંનું એક પ્લેસ આ પણ છે.

(૨) મુન્નાર, કેરળ

વરસાદમાં કેરળની સુંદરતા જોવાલાયક હોય છે અને એની સાથે એની આસપાસના વિસ્તારોના નજારો દિલ ખુશ કરી દે છે. ચારે બાજુ ફેલાયેલી હરિયાળી આંખોને શુકૂન આપે છે અને સાથે મનને તાજગીથી ભરી દે છે.

કેરળ વરસાદ માં ખુબજ આકર્ષિત બને છે તેની પાછળ નું કારણ ત્યાં ની હરિયાલી છે.વરસાદ પડતાં જ ત્યાં ખુબજ હરિયાલી થઈ જાય છે જે સૌ કોઈ નું મન મોહી લે છે.

(૩) ઝીરો, અરુણાચલ પ્રદેશ

વર્લ્ડ હેરિટેડમાં સામેલ આ ટાઉનને અરુણાચલ પ્રદેશની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે.એ જોવાનો સારો સમય મોન્સૂનથી સારો કોઇ હોઇ શકે નહીં. વરસાદ માં ત્યાં જ્યાં નજર કરીએ ત્યાં લીલું છમ જોવા મળે કગે જે તમારી આંખો ને એક અનોખી ઠંડક આપે છે.

(૪)માલશેજ ઘાટ, મહારાષ્ટ્ર

માલશેજ ઘાટ મહારાષ્ટ્રના પુણા જિલ્લામાં પશ્વિમી ઘાટોની શ્રેણીમાં સ્થિત એક ફેમસ ઘાટ છે. આ સ્થાન પોતાની અગણિત ઝીલો, ઊંચા પર્વતો માટે જાણીતી છે.

અહીં નો નઝારો એટલો સુંદર છે કે આવું કેહવાઈ છે કે અહીં લોકો એક બે દિવસ માટે આવતા હોય છે પરંતુ અહીં નો નઝારો જોઈ ને તેઓ બીજા બે ત્રણ દિવસ રોકાઈ જાય છે.

(૫)કોડાઇકેનાલ, તમિલનાડુ

તમિલનાડુના દિનદીગુલના સુંદર પહાડોમાં વસેલુ કોડાઇકેનાલ અહીંયાનો એક મનમોહક પર્વતીય સ્થળ છે. ચારે બાજુ ફેલાયેલી હરિયાળી અને સુંદર નજારો મોન્સૂનમાં વધારે મન મોહી લે છે. જો તમે ક્યાંય ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો આમાંથી કોઈ એક ને તમારી લિસ્ટમાં જરૂરથી સામેલ કરો.

જો તમે આમાંથી કોઈ એક જગ્યા એ પણ જશો તો તમને ખુબજ મજા આવશે આ તમામ જગ્યા નો મહોલજ એવો છે જે તમારા મનને મોહિલેશે.તો જો તમે ફરવાનો પ્લાન કરો છો તો આ જગ્યા ને ભૂલશો નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top