નરેન્દ્ર મોદી અગાવ પણ ઘણી વિદેશી યાત્રા કરીચૂક્યા છે.ઘણા લોકો નું કહેવું છે આ વિદેશી યાત્રા ને ચલતે દેશ ને ઘણો ફાયદો થઇ છે પરંતુ વિપક્ષ નું કહેવું છે આ યાત્રા થી કઈ લાભ થતો નથી હવે સાચું તો આપણે જાણતા નથી પરંતુ આજે વધુ એક વિદેશ યાત્રા માટે વડા પ્રધાન તૈયાર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂતાન મુલાકાત શનિવારથી શરૂ થવા જઈ રહી છે. નરેન્દ્રભાઈ મોદી એ હાલ માં જંબુ અને કસમીર માં ધારા 307 હટાવવાના કારણે ખૂબ ચર્ચા માં છે એ હંમેશા કઈ નવું જ કરવા માંગતા હોય છે.
અને હવે એ દેશ ભૂતાન માં જવા જઇ રહ્યા છે.આ સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે, તેમની ભૂતાનની બે દિવસીય મુલાકાત બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ વેગ આપશે અને સમૃદ્ધ ભવિષ્ય માટે તેને મજબૂત બનાવશે.
વડા પ્રધાને કહ્યું કે, તેમની સરકારનાં વર્તમાન કાર્યકાળની શરૂઆતમાં આ મુલાકાત બતાવે છે કે ભારત આપણા વિશ્વસનીય મિત્ર અને પાડોશી ભૂતાન સાથેનાં સંબંધોને કેટલું મહત્ત્વ આપે છે.
નરેન્દ્રભાઈ મોદી હાલ માં દેશ બૂતાન માં જઇ રહ્યા છે મોદીએ તેમના પ્રસ્થાન સંબંધી નિવેદનમાં કહ્યું કે, ‘ભારત અને ભૂતાન વચ્ચે ઉત્તમ દ્વિપક્ષીય સંબંધો છે ભારત અને બૂતાન દેશ ઘણા સારા સંબંધો છે.
ભારત અને ભૂતાન ની મિત્રતા ને કારણે ભારત માં ઘણા આર્થિક કાર્યો થઈ શકે છે ભારત અને ભૂતાન ના સંબધો ખૂબ ઘાડ છે આપણી વિસ્તૃત વિકાસ ભાગીદારી, બંને દેશો માટે ફાયદાકારક છે.
જળવિદ્યાનો સહયોગ અને મજબૂત વેપાર સાથે આર્થિક સંબંધો તેના દાખલા છે.અને એ આપણા માટે આવનારા સમય માટે ખૂબ સારું છે.
આપણો આધ્યાત્મિક વારસો અને લોકો વચ્ચેનાં મજબૂત પરસ્પર જોડાણો તેને વધુ મજબૂત બનાવે છે.’ પીએમ મોદીએ આગળ કહ્યું કે, ‘મને વિશ્વાસ છે કે મારી મુલાકાત ભૂતાન સાથે સમયની કસોટી પર ખરી ઉતરશે અને અમારી મૂલ્યવાન મિત્રતાને પ્રોત્સાહિત કરશે.
અને બંને દેશોનાં લોકોની પ્રગતિ અને સમૃદ્ધ ભાવિને વધુ મજબૂત કરશે.’ પીએમ મોદીએ કહ્યું હતું કે,ભારત-ભૂતાન ભાગીદારી એ ‘પાડોશી પહેલ’ ની ભારતની નીતિનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.
દરમિયાન વડા પ્રધાન મોદી ભૂતાનનાં નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને ભૂતાનનાં ચોથા નરેશ જિગ્મે સિગ્યે વાંગચુકની સાથે મુલાકાત કરશે.
તેઓ તેમના ભૂતાની સમકક્ષ ડૉ. લોટે શેરિંગ સાથે પણ મુલાકાત કરશે. પીએમ મોદીએ કહ્યું કે, તે ભૂતાનનાં નરેશ, ભૂતાનનાં ભૂતપૂર્વ નરેશ અને ભૂતાનનાં વડા પ્રધાન સાથે દ્વિપક્ષીય સંબંધો પર ફળદાયી વાટાઘાટો કરવા માટે ઉત્સાહિત છે.
પીએમ મોદી આ મુલાકાતમાં ભૂતાનની પ્રતિષ્ઠિત ‘રોયલ યુનિવર્સિટી’ ના વિદ્યાર્થીઓને પણ સંબોધન કરશે.અને અંતે યાત્રા પતાવી ને તેઓ ભારત પાછા ફરશે.