જુનાગઢના વિસાવદર નજીક આવેલા સતાધારની જગ્યાના પૂર્વ મહંત પૂ. જીવરાજ બાપુ ૯૩ વર્ષની વયે સોમવારે રાત્રે દસ વાગ્યે દેવલોક પામતા.
અનુયાયી, સેવકો અને સાધુ સંતોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. સત્તાધારની પાવન તીર્થધામ એવી આપા ગીગાની દિવ્ય જગ્યાના સંત જીવરાજબાપુનો સોમવારે રાત્રે દેહવિલય થતા ભક્તો અને સંત સમુદાયમા શોકનુ મોજુ ફરી વળ્યું છે.
સત્તાધારની જગ્યામાં ભજન,ગૌસેવા સહિતમાં જીવન ન્યોછાવર કરનાર પૂર્વ મહંત જીવરાજ બાપુ છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા.
છેલ્લા બે દિવસથી સ્થિતિ વધુ ગંભીર બની હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે રૂબરૂ મુલાકાત લઈને તેઓના ખબર અંતર પુછયા હતા.
ત્યારે સોમવારે રાત્રે દેવલોક પામતા અનુયાયી વર્ગમાં ઘેરો શોક પ્રસર્યો છે.મંગળવારે બપોરે ત્રણ વાગ્યે સંતો-મહંતો અને અનુયાયોની હાજરીમાં સમાધી આપવામાં આવશે.
આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સતાધાર આપા ગીગાની જગ્યાના પરિસરમાં બાપુને સમાધિ અપાશે.સતાધારના પૂર્વ મહંતનું 93 વર્ષની ઉંમરે નિધન થયુ છે.
તેઓ છેલ્લા કેટલાક સમયથી શ્વાસ અને આંતરડાની બિમારીથી પીડિતા હતા,તેમની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.અને ત્યાં જ તેમને અંતિમ વિદાય લીધી હતી.
જીવરાજબાપુનો જન્મ માધવપુર (ઘેડ)નાં સરમા ગામે થયો હતો. અને નાની વયથીજ સત્તાધારની જગ્યામાં આવી ગયા હતા અને વર્ષ 1982માં મહંત બન્યા હતા.
બાપુ બાલ્યાવસ્થાથી જ સતાધાર હતા.ગુરૂ શામજીબાપૂએ તેમને તિલકવિધી કરાવેલી,અને આગળ જતા શામજીબાપૂએ તેમને મહંત તરીકે બિરાજમાન કર્યા હતા.
35 વર્ષથી સતાધારની જગ્યામાં ભક્તિભાવમાં લીન રહી તે સદા’યે સેવારત રહ્યા હતા.
મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ કરી કહ્યું હતુ કે,સૌરાષ્ટ્રના તીર્થધામ સતાધારની સુપ્રસિદ્ધ આપાગીગાની જગ્યાના સંત શ્રી જીવરાજબાપુના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું.
તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સતાધાર પહોંચ્યા હતા. પ્રેમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના,ઓમ શાંતિ.રવિવારે રાત્રે જ મુખ્ય મંત્રી રૂપાણીએ હૉસ્પિટલમાં પહોંચીને જીવરાજ બાપુના ખબરઅંતર પૂછ્યા હતા.
આપાગીગા દ્વારા સતાધારની સ્થાપના કરવામાં આવી હતી, 225 વર્ષ અગાઉ આપા ગીગાએ સતાધારની જગ્યા સ્થાપી હતી.
સૌપ્રથમ આપા ગીગા કરમણબાપૂ,રામબાપૂ,હરિબાપૂ, લક્ષ્મણબાપૂ,શામજી બાપૂ પછી જીવરાજ બાપૂ આ જગ્યાએ બિરાજ્યા હતા.
તેમના બિરાજમાન થયા પછી સતાધારની જગ્યામાં શ્યામ ઘાટ, જીવરાજ ભુવન,જગદીશ ભુવન જેવા પ્રકલ્પોએ આકાર લીધો હતો.હાલમાં આપા ગીગાની જગ્યાએ વિજયબાપુ લઘુમહંત તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે.
જીવરાજબાપૂ 90 વર્ષની ઉંમર સુધી સતત કાર્યરત હતા.3 વર્ષ પૂર્વે તેમને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આમ છતા લઘુમહંત વિજયબાપૂને સતત માર્ગદર્શન આપી તે ભક્તોને ધર્મભાવથી જીવન જીવવાનો બોધ આપતા હતા.
તાજેતરમાં તેમને શ્વાસની બિમારી વધી હતી.ગઈકાલે મુખ્યમંત્રી તેમના ખબરઅંતર પૂછવા સતાધાર ગયા હતા.આજે રાત્રે 10 વાગે સતાધારની જગ્યામાં ત્રણ દાયકાથી મહંતપદને દિપાવી બાપૂએ દેહત્યાગ કર્યો હતો.જીવરાજ બાપુએ આજીવન લગ્ન નહોતા કર્યા.
જવરાજ બાપુ ગાયોની સેવા કરી ગૌશાળામાં જ રહેતા હતા.તેમણે 1982માં મહંતની ગાદી સંભાળી હતી. શ્યામજીબાપુએ તેમને મંહત બનાવ્યા હતા.
નાની ઉમંરથી તેઓ સતાધારમાં સેવા કરતા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે,આપાગીગા દ્વારા સતાધારની સ્થાપના કરવામાં આવી હતી.
ત્યારબાદ સતાધારમાં તેમના શિષ્ય કરમણ બાપુ,ત્યારબાદ રામબાપુ અને તેવીજ રીતે હરિબાપુ અને ત્યારબાદ લક્ષ્મણબાપુ,પછી શ્યામજીબાપુ અને તે પછી જીવરાજ બાપુ.
એ સતાધારની જવાબદારી સંભાળી હતી,ત્યારબાદ તેમનાં શિષ્ય જગદીશબાપુ દેવ થયા બાદ હાલ લઘુમહંત તરીકે વિજયબાપુ સતાધારની જવાબદારી સંભાળી રહ્યા છે.