શા માટે કહેવામાં આવે છે ગણપતિ બાપ્પા મોરિયા, જાણો તેમના 32 અલગ અલગ નામ

2 સપ્ટેમ્બર 2019 સોમવાર ગણેશ એ ચતુર્થીનો ઉત્સવ ચાલુ થઈ રહ્યો છે. આમતો આપણે ગણેશ ભગવાન વિષે ઘણું બધું જાણીયે એ છે પરંતુ શું તમે તેમના આ રાજ જનનો છો તો આવો જાણીયે.

આ સમયે દરેક ઘરોમાં ગણપતિ ઉત્સવ દરમિયાન ગણપતિ બાપ્પા મોરિયાની ધૂન બોલાવવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ગણપતિ બાપ્પા મોરિયા શા માટે કહેવામાં આવે છે.

અને સાથે જ જાણી લો કે ગણેશજીના 32 નામ કયા છે. જે તમે ભાગ્યે જ જાણતા હશો. ૧૯ મી સદીમાં મૈસૂરના વાડિયાર સામ્રાજ્યના રાજાએ ભગવાનની મુર્તિઓની યાદી બનાવડાવી હતી. કન્નડ ભાષામાં લખાયેલી આ યાદી શ્રી-તત્વ-નિધિ કહેવાય છે.

તેમાં ગણેશના ૩૨ જુદા જુદા સ્વરુપ મળે છે. જેમકે બાલ ગણેશ,તરુણ ગણેશ, ભક્ત ગણેશ, વીર ગણેશ, શ ક્તિ ગણેશ, દ્વીજ ગણેશ, સિદ્ધિ ગણેશ, ઉચ્ચીષ્ઠ ગણેશ, વિધ્ન ગણેશ, ક્ષીપ્રા ગણેશ, હેરમ્બ ગણેશ, લક્ષ્મી ગણેશ, મહા ગણેશ, વિજય ગણેશ, નૃત્ય ગણેશ, ઉર્ધ્વ ગણેશ, એકાક્ષરા ગણેશ,વર ગણેશ, એકદન્ત ગણેશ, ઉદંડ ગણેશ, દંડી ગણેશ, રણમોચન ગણેશ, દ્રિમુખ ગણેશ, ત્રિમુખ ગણેશ, સિંહ ગણેશ, દુર્ગા ગણેશ, યોગ ગણેશ, સૃષ્ટિ ગણેશ, સંકટહર ગણેશ વગેરે.

“ગણપતિ બાપ્પા મોરિયા” સૂત્ર કેમ બોલાય છે તેની પાછળની કથા પણ જાણીએ. મહારાષ્ટ્રના મોરગાંવ મંદિર સાથે નજીકથી જાડાયેલા મોરિયા ગોસાવીએ ગણેશ પૂજાને ખ્યાતિ અપાવી હતી.

સંત મોરિયા ગોસાવીએ જીવનભર માત્ર ગણેશની જ પૂજા કરી. તેમની યાદમાં મોરગાંવના ગણેશ મોરેશ્વર કહેવાયા અને ભક્તો ગણેશને ગણપતિ બાપ્પા મોરિયા કહે છે.

પેશ્વાઓએ મરાઠા સામ્રાજ્યનું શાસન સંભાળ્યુ ત્યારે તેમના રાજ ભગવાન ગણેશ બનાવ્યા. તેઓ જ્યાં ગયા ત્યાં ગણેશ પૂજન કરાવ્યું. ૧૮૯૩ સુધી ગણેશ ચતુર્થીનો ઉત્સવ મોટેભાગે રુઢિચુસ્ત બ્રાહ્મણો જ ઉજવતા હતા.

૧૮૯૩ માં બાળગંગાધર ટિળકે પૂનામાં આયોજન કરી આ ઉત્સવને જાહેર ઉત્સવ બનાવી દીધો. રાજકીય મેળાવડા અંગ્રેજાને પસંદ નહોતા એટલે ટિળકે અંગ્રેજા સામે સંગઠિત થવા ગણેશ ઉત્સવ જેવા ધાર્મિક ઉત્સવનો આશરો લીધો.

ભવિષ્યના રાજકીય મેળાવડાની રુપરેખા પણ અહી જ ઘડાવવા લાગી. આ હતિ પ્રાચીન કહાની હાલતો તે એક ટર્ન્ડ બની ગયો છે. અને બનવુંજ જોઈએ આખિર એ ગણપતિ ના દશ દિવસ એક તહેવાર જ તો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top