જો તમે ઘરમાં ગણેશજી ની સ્થાપના કરી છે તો હવે તમારા જીવનમાં ચાલતો કકરાટ દૂર થઈને શાંતિ અને સમૃદ્ધિ મળશે જે તમે ખુશ રહેશો. ગણપતિ બાપાની સ્થાપના કરી હોય તો સમજજો કે તમારી દરેક પ્રકારની મુશ્કેલીઓનો અંત આવી જવાનો છે.
ગણેશ ભગવાનને વિઘ્નહર્તા કહેવામાં આવે છે અને તેમને લોકો બહુ માને છે ભગવાન વિઘ્નહર્તા ગણપતિ ખૂબ જ ભાવના અને શ્રદ્ધાના દેવતા છે. એટલે એમના માટે એવું કહેવાય છે કે તેમની કરેલી પૂજા ભક્તિ આરાધના કરેલી એળે જતી નથી.
ભગવાનની આરાધના કરવીએ ભક્તો માટે શુભ માનવામાં આવે છે ગણપતિ પોતાના ભક્તોના વિઘ્નો દૂર કરવા માટે એ વિઘ્નોના રસ્તામાં વિકટ રૂપ ધારણ કરીને ઊભા રહી જતા હોય છે. એટલે કોઈપણ શુભ કાર્યના પ્રારંભમાં ભગવાન શ્રી ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
શુદ્ધ શ્રદ્ધાભાવથી જો તેમની ભક્તિ કરવામાં આવે તો તમામ પ્રકારની તકલીફો અને દુર્ભાગ્ય દૂર થાય છે. ઘર અને જીવનમાં ખુશીઓ રેલાય છે.
ધનલાભ મેળવવા માટે ગણેશોત્સવના દિવસો દરમિયાન જ નહીં પરંતુ વર્ષના કોઈ પણ સમયે ગણપતિને નાની ઈલાયચી નાખી ને મીઠું પાન અર્પણ કરવું જોઈએ. નોકરીમાં પ્રમોશન જો ન મળતું હોય તો પણ તેનાથી કામ થઈ જશે. અને તમારા નોકરી ક્ષેત્રમાં વૃદ્ધિ થશે જે તમે ખુશ રહેશો અને તમને આનંદ થશે.
જો તમે ગણેશ ચતુર્થીના દિવસે કરો છો આ કામ તો તમને નોકરીમાં તરક્કી મળી શકે છે ગણેશ ચતુર્થી અથવા કોઈપણ મંગળવારે ગણપતિને 4 સોપારી અર્પણ કરવાથી વ્યાપાર-ધંધામાં ફાયદો થાય છે એમાંની એક સોપારી આખો દિવસ પોતાના ખિસ્સામાં સુરક્ષિત રીતે રાખવાથી દિવસ દરમિયાન તમારાં તમામ કામો સફળ થાય છે.
જો તમે ઘરમાં ગણેશજીની મૂર્તિઓ સ્થાપના કરો છો તો કોઈ સારી બેઠક સ્થિતિમાં ગણેશજીની મૂર્તિ સ્થાપના કરો જેથી તમારા પરિવારમાં ખુશીઓ મળશે. ઘરમાં ગણપતિ બાપાની સ્થાપના કરી હોય તો સમજજો કે તમારી દરેક પ્રકારની મુશ્કેલીઓનો અંત આવી જવાનો છે.
આમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગણપતિની મૂર્તિ બેઠેલી સ્થિતિમાં હોય એવી જ પ્રસ્થાપિત કરવી. ઊભેલા ગણપતિ સ્થાપિત કરવા નહીં ગણપતિ જ નહીં પરંતુ મા સરસ્વતી અને મા લક્ષ્મી દેવીની મૂર્તિઓ પણ કદાપિ ઊભેલી સ્થિતિમાં ન રાખવી. ઊભેલી સ્થિતિ ચલ હોય છે. તમારી પાસે જે હોય તે જે સમૃદ્ધિ હોય તે દૂર જતી રહે છે.
ગણેશ ચતુર્થી દરમિયાન ઘરમાં જો ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હોય તો તેમની દશ દિવસ પૂજા કરવી જરૂરી હોય છે. સવારે શુદ્ધ થઈને ભગવાન સમક્ષ મુખ રાખીને શુદ્ધ આસન પર બેસવું. એ પછી ભગવાનનું ધ્યાન કરવું. ફૂલ ધૂપ, દીપ, કપૂર, લાલ ચંદન વગેરે પૂજન સામગ્રી વડે ભગવાનને સરસ નવડાવીને પૂજા કરવી. વસ્ત્ર અર્પણ કરવાં પરંતુ ગણપતિને તુલસી અર્પણ કરવી નહીં તેને બદલે કોઈ ચોખ્ખી જગ્યાએથી ચૂંટેલુ ઘાસ દૂર્વા- ધરો ગણપતિ ને અર્પણ કરવી.
જેટલા દિવસ તમારા ઘરમાં ગણપતિની સ્થાપના કરેલી હોય એટલા દિવસ તમારે ઘરમાં શુદ્ધતા અને સભ્યતાનું વાતાવરણ રાખવું. અસત્ય ન બોલવું, દુરાચાર ન કરવો, કોઇપણ જાતનું વ્યસન ન કરવું, કોઈના પ્રત્યે દ્વેષભાવ પણ ન રાખવો. ગુસ્સે તો ન જ થવું.
મનની ઈચ્છાઓ પૂરી થાય એ માટે ‘ઓમ ગં ગણપતયે નમઃ’ એ મંત્રના 108 વાર જાપ કરવા જોઈએ. આ મંત્રનો અર્થ એવો થાય છે કે હું એવા પ્રભુનું સ્મરણ કરું છું, નમન કરું છું, જેઓ તમામ દુઃખ દૂર કરે છે.
મંગળવારના દિવસે ગરબા સફેદ રંગના ગણપતિ લાવીને પ્રસ્થાપિત કરવાથી કોઇપણ પ્રકારની તંત્ર મંત્ર શક્તિઓની આપણા પર કોઈ અસર થતી નથી.
આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે અને નોકરી રોજગાર ધંધામાં સફળતા મેળવવા માટે મંગળવારે તો ગણપતિ ને ગોળ અને ઘી અચૂક જ પ્રસાદ રૂપે ધરાવવા જોઈએ બાકી રોજેરોજ ધરાવવામાં આવે તો પણ ઉત્તમ. ઘણા લોકો ગણપતિને ગોળ ગાયને ખવડાવી દેતા હોય છે.
જો તમારા ઘરમાં મુશ્કેલી હોય તો, ખરાબ સંગત હોય તો દુર્ગુણ બનેલા ગણપતિને ઘરના પૂજાસ્થાને રાખીને તેની પૂજા કરવી. ધીરે ધીરે પરિવારનો માહોલ શાંત થઈ જશે.
ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ ના થાય એ માટે ઘરના દરવાજે બહારની બાજુ ગણપતિની મૂર્તિ સ્થાપના કરવી. એવી જ મૂર્તિ ઘર અંદરની તરફ દરવાજે લગાવવી. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.