ભારત સિવાય વિશ્વભરમાં પ્રખ્યાત એવું શ્રી આસાસૂરી અંબાજી માતાનું મંદિર બનાસકાંઢાના દાંતા તાલુકામાં આવેલુ છે. જે એક પુરાણસિદ્ઘ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. શક્તિપીઠ આગવુ મહત્વ હોવાથી શૈવ ઉપરાંત લકુલિશ સંપ્રદાયમાં પણ ઘોર સાધના માટે અંબાજી વિશિષ્ટ સ્થાન તરીકે પ્રખ્યાત છે.
અહીંયા ભવાનીની કોઇ મૂર્તિ નથી, પરંતુ ત્યાં એક વીસાયંત્ર સ્થાપિત છે. શુદ્ઘ સેનામાંથી બનાવેલા આ યંત્રમાં 51 અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનને નજરથી જોવાનું નિષેધ હોઇ પૂજારી આંખે પાટા બાંધીને પૂજા કરે છે.
આ મંદિરનું જીર્ણોદ્ઘાર 1975 થી શરૂ થયુ હતુ, જે હજુ સુધી ચાલુ છે. સફેદ સંગમરમરથી બનેલુ આ ભવ્ય મંદિર ભક્તો સિવાય પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે, જેનું શિખર 103 ફૂટ ઉચુ છે અને તેના પર 358 સુવર્ણ કળશ છે.
મંદિરથી લગભગ 3 કિમી દૂર એક ગબ્બર નામનો એક પર્વત છે, જ્યાં દેવીનું એક પ્રાચીન મંદિર સ્થાપિત છે. એવું માનવામાં આવે છે કે, આ પત્થર પર અહીંયા માના પદચિહ્ન તથા રથચિહ્ન બન્યા છે. અંબાજીના દર્શન પછી, શ્રદ્ઘાળુ ગબ્બર પહાડી પર સ્થિત આ મંદિરમાં ચોક્કસથી થાય છે.
51 શક્તિપીઠો પૈકી 358 સુવર્ણ કળશ ધરાવતી ભારતભરમાં એક માત્ર શક્તિપીઠ છે. અંબાજીથી નજીકનું એરપોર્ટ અમદાવાદ અને ઉદેપુર (170 કિમી) દૂર છે. 8 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી મેળાનો આજે છેલ્લો દિવસ છે.
અત્યારસુધી લગભગ 16 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે. મેળાના છેલ્લા દિવસે 2 લાખથી વધુ ભક્તો દર્શનનો લાભ લે તેવી શક્યતા છે. અંબાજી મહામેળામાં ભાવિક ભક્તોનો ઘટાડો 6 દિવસમાં 16 લાખ 34 હજાર ભક્તોએ કર્યા દર્શન.
સીએમ રૂપાણીના હસ્તે બનાસકાંઠામાં શરૂ થયેલા અંબાજી મેળાનો આજે છેલ્લો દિવસ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મેળામાં અંદાજે લગભગ 16 લાખથી વધુ લોકોએ લાભ લીધો છે. ઉલ્લેખનીય છે કે અંબાજીના મહામેળામાં ભાવિક ભક્તોનો ઘટાડો થયો છે.
મેળાના છેલ્લા દિવસે 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે.આજે છેલ્લો દિવસ હોવાના કારણે ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને ભાદરવી પૂનમે અંબાજી મંદિરનો દર્શનનો સમય બદલાયેલો રહેશે. મંદિરના દર્શનના સમયમાં આ મુજબ ફેરફાર કરાયા છે.
મેળાના છેલ્લા દિવસે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મા અંબાના દર્શનનો લાભ લીધો. તેઓએ પરિવાર સાથે મંદિરમાં પૂજા અર્ચના કરી આરતીનો પણ લાભ લીધો. છેલ્લા દિવસે જિલ્લા પોલીસ પણ મંદિરમાં મા અંબેને ધ્વજા ચઢાવશે.
બનાસકાંઠાના પ્રસિદ્વ યાત્રાધામ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મહામેળાનો આજે શનિવારે અંતિમ દિવસ છે. મહામેળામાં અત્યાર સુધી 20 લાખથી વધુ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા છે. દૂર-દૂરથી લાખો પદયાત્રિકો માના ચરણોમાં શીશ ઝૂકાવી પાવન બન્યા હતા.
જ્યારે ભક્તો દ્વારા દાન ભેટમાં આપેલી રકમ ચાર દિવસમાં રૂપીયા 2 કરોડ 74 લાખ જેટલી રકમ ભંડારામાં પધરાવી છે. આજે પણ સવારથી અવિરતપણે માતાજીના રથ અને ૫૨ ગજની ધજાઓ લઇ પદયાત્રીઓ મંદિર તરફ ધસી રહ્યા છે.
સમગ્ર મેળામાં શ્રદ્ધાળુઓનો આંકડો 25 થી 30 લાખ સુધી પહોંચે તેવી શક્યતા છે. અંબાજીના મહામેળા માટે વૃદ્ધો, વિકલાંગો તથા બાળ બક્તો માટે ખાસ એસટી બસનો પ્રારંભ કરાયો છે. જે નિઃશુલ્ક છે. આ સાથે જ ભક્તો માટે ટેન્ટ સિટી સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
અત્યાર સુધીમાં કુલ 11.60 હજાર પ્રસાદ પેકેટનું વિતરણ થયું છે ભંડારામાં દાનપેટી સહિત બેન્કની આવક એસટી તંત્ર દ્વારા ચાર દિવસમાં 10139 બસની ટ્રિપ કરવામાં આવી છે. કુલ બે લાખથી વધુ યાત્રીઓએ તબિયતની નાની મોટી બીમારીની સારવાર લીધી છે. 28 હજાર વૃદ્ધો અને દિવ્યાંગોએ નિઃશુલ્ક બસ મુસાફરી કરી છે. મંદિરને સોનાની 102.1 ગ્રામની આવક થઈ છે. 2900 ધજા ચઢાવાઇ છે પાંચ લાખ ભક્તોએ એસટીની મુસાફરી કરી છે.
આ ઉપરાંત અંબાજી મંદિરમાં અલગ અલગ શહેરો માંથી માં અંબે નો રથયાત્રા પણ આવે છે.જેમાં એક રથ રાજકોટ નો પણ આવ્યો હતો તેમને અંબાજી મંદિરમાં તલવાર બાજી અને અલગ અલગ કૃત્ય પણ કાર્ય હતા. અત્યારે અંબાજી ખાતે ભવ્ય મહોત્સવ જેવો માહોલ સર્જાયો છે. મા અંબાના પ્રાગટ્ય દિવસને વધાવવા લાખો ભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે. પદયાત્રા કરીને મા અંબાના દર્શન કરવાનું અનેરું મહત્વ છે. ભાદરવી પૂનમના દિવસોમાં લાખો ભક્તો માતા અંબાના દર્શન કરે છે.
હજારો સંઘ પણ પદયાત્રા કરીને અંબાજી આવે છે. માના શરણોમાં આવનારા હજારો સંઘોમાં અનેક વિવિધતા જોવા મળે છે. ત્યારે રાજકોટના સંઘે આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે.રાજકોટનો સંઘ પદયાત્રા કરીને અંબાજી પહોંચી ગયો છે. વર્ષોથી આવતો આ સંઘ માની માંડવી લઇને અંબાજી આવે છે.
રાજકોટના સંઘે અંબાજીમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. એક સરખા ડ્રેસકોર્ડ સાથે રાજકોટનો સંગ અલગ તરી આવે છે. આ સંઘમાં આવેલા મહિલા અને પુરુષોએ અંબાજી મંદિરના ચોકમાં ગરબા કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ કરીને મહિલાઓએ ચાચર ચોકમાં તલવાર બાજી કરીને મહિલા શક્તિનું પ્રદર્શન કર્યું હતું.
સંઘ લઇને આવેલા ભક્તે જણાવ્યું હતું કે, વર્ષોથી મા અંબાના દર્શન કરવા માટે આ સંઘ આવે છે. ખાસ શણગારેલી છત્રી અને માંડવી સાથે આવીને માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી આવી તૈયારી મા અંબાના માટે જ છે. માતાને લાગવું જોઇએ કે કોઇ ભક્ત તેમના દર્શન કરવામાં માટે આવ્યો છે.