અગાવ પણ ”માં” કાળ ની મદદ થી લોકો ને ઘણા ફાયદા થાય છે અને હલહવે તેમાં થોડી વધારે કેપિસિટી સાથે નવું કાર્ડ બહાર આવી રહ્યું છે તો આવો જાણીયે તેના વિશે.
યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના હેઠળ તમને જલ્દી કેન્સરની સારવાર અને ઘૂંટણ ચેન્જ કરાવવા જેવી મહત્વની સર્જરીનો વિકલ્પ પણ મળી શકે છે. એને લઇને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટીએ પોતાની તૈયારી પૂર્ણ કરી લીધી છે.
ઓથોરિટીએ આ યોજના હેઠળ આપવામાં આવેલી 1300 મેડિકલ પેકેજની સમીક્ષા માટે નીતિ પંચના સભ્ય પ્રોફેસર વિનોદ કે પૉલના નેતૃત્વમાં એક કમિટીનું ગઠન કર્યું હતું.
આ કમિટીમાં સ્વાસ્થ્ય સતચિવ અને આયુષ્માન ભારતના સીઇઓ પણ સામેલ છે. કમિટીએ હવે પોતાના રિપોર્ટનું અંતિમ રૂપ આપી દીધું છે. કમિટીની ભલામણો અનુસાર, આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સર કેર અને એમ્પ્લાન્ટ સર્જરી જેવી સુવિધાઓ પણ લાભાર્થિઓને આપવામાં આવી શકે છે.
કમિટીએ સારવારના બદલે હોસ્પિટલોને કરવામાં આવતી ચુકવણીમાં પણ ફેરફાર કરવાની ભલામણ કરી છે. રિપોર્ટ અનુસાર 200 પેકેજની ચુકવણી વધારો અને 63 પેકજની ચુકવણીમાં ઘટાડો કરી શકાય છે.
બંધ કરવામાં આવી શકે છે મોતિયાબંઘ ઑપરેશનની સુવિધા.એક્સપર્ટ કમિટીએ આયુષ્માન ભારત હેઠળ ઉપલબ્ધ કરવામાં આવેલી મોતિયાબંધ ઓપરેશનની સુવિધાને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
કમિટીનું કહેવું છે કે આયુષ્માન ભારત હેઠળ સ્વાસ્થ્ય સુવિધાઓ લેનાર લોકોને ડબલ લાભથી રોકવા માટે કોઇ સિસ્ટમ નથી.
જ્યારે અન્ય સ્વાસ્થ્ય સુવિધાઓ હેઠળ પણ મોતિયાબંધ ઑપરેશનની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જણાવીએ કે રાષ્ટ્રીય અંધતા નિવારણ કાર્યક્રમ હેઠળ સરકાર મફત મોતિયાબંધ ઓપરેશનની સુવિધા પૂરી પાડી રહી છે.
આયુષ્માન ભારત હેઠળ આ બિમારીઓની થાય છે ફ્રી સારવાર.આયુષ્માન ભારત હેઠળ હાડકાં, ઓર્થો, બર્ન, નસબંધી, પ્રસુતિ, નવજાત શિશુ, ઇમરજેન્સી રૂમ પેકેજ, જાનવરની સારવાર, શરીરના અંગના તૂટવા પર પ્લાસ્ટર, ફૂડ પોઇજનિંગ, નવજાત બાળક, જનરલ સર્જરી, જનરલ મેડિસિન વગેરેની મફત સારવારની જોગવાઇ છે.
વર્ષ 2011ના સામાજિક આર્થિક અને જાતિગત જનગણનામાં ચિન્હિત ગરીબ પરિવારોને આ યોજનાનો પાત્ર બનાવવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેછળ લાભાર્થી પરિવાર પેનલમાં સામેલ સરકારી અથવા ખાનગી હોસ્પિટલોમાં પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયા સુધી કેશલેસ સારવાર કરાવી શકે છે.
યોજનાનો લાભ ઊઠાવવા માટે ઉંમરની મર્યાદા અને પરિવારના કદ પર કોઈ પ્રતિબંધ નથી. યોજનાને સંચાલિત કરનાર નેશનલ હેલ્થ એજન્સીએ એક વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર જારી કર્યો હતો.
એના દ્વારા લાભાર્થી એવું જાણી શકે છે કે એનું નામ લિસ્ટમાં સામેલ છે કે નહીં. લિસ્ટમાં નામ તપાસવા માટે mera.pmjay.gov.in વેબસાઇટ જોઇ શકો છો અથવા હેલ્પલાઇન નંબર 14555 પર કોલ કરીને જાણકારી લઇ શકાય છે.
આયુષ્માન ભારત યોજનામાં 60 ટકા રકમ કેન્દ્ર સરકાર અને 40 ટકા રકમ રાજ્ય સરકાર પૂરી પાડે છે.કઇ હોસ્પિટલમાં થશે ABY ના લાભાર્થીની સારવાર.
તમામ સરકારી હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી સારવાર કરાવી શકે છે. આ સાથે જ સરકારની પેનલમાં સામેલ ખાનગી હોસ્પિટલમાં પણ ABY ના લાભાર્થી સારવાર કરાવી શકે છે.
પેનલમાં સામેલ થવા માટે ખાનગી હોસ્પિટલમાં ઓછામાં ઓછા 10 બેજ અને એને વધારવાની ક્ષમતા હોવી જોઇએ.ગોલ્ડન કાર્ડ કેવી રીતે અને ક્યાં બનાવશો.ગોલ્ડન કાર્ડને બે જગ્યાએ બનાવી શકો છો.
હોસ્પિટલમાં અને કૉમન સર્વિસ સેન્ટર પર. દેશના ગ્રામીણ વિસ્તારોમાં સીએસસી બનાવવામાં આવ્યા છે.જ્યાં કાર્ડ બનાવવાનું કામ શરૂ થઇ ગયું છે.
કાર્ડ બનાવવા માટે તમારે 30 રૂપિયા આપવા પડશે. સીએસઇ ઉપરાંત કાર્ડ હોસ્પિટલોમાં પણ બનશે. હોસ્પિટલમાં કાર્ડ ફ્રી માં બનશે.તો જલ્દીજ જયારે ખબર મળે ત્યારે આ યોજના નો લાભ લેવાનો ભૂલશો નહિ.