હવામાન ખાતાએ ગુજરાત સરકાર ને એવી માહિતી આપી હતી કે અરબી સમુદ્રના ઇશાન હિસ્સામાં તથા લક્ષદ્વિપ અને તેના આજુ બાજુના પરીસરમાં અચાનક હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે. સાથો સાથ સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર છે. આવાં બદલાયેલા કુદરતી પરીબળોને કારણે આજે મુંબઇ સહિત આજુ બાજુનાં સ્થળોનું આકાશ વાદળિયું રહ્યું છે.
આવું વાદળિયું વાતાવરણ હજી આવતા 48 કલાક સુધી રહે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થશે. હાલ વરસાદે વિદાય લઈ લીધી છે ત્યારે હવામાન વિભાગે ફરીથી આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.
બીજી બાજુ 21-22 ઓક્ટોબર દરમિયાન એકલા ગુજરાત જ નહીં પરંતુ સાથે સાથે મુંબઇ અને ચેન્નાઇ નજીકના પરીસરમાં પણ હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાય તેવાં કુદરતી પરીબળો આકાર લઇ રહ્યાં છે.
હવામાનના આવા બદલાયેલા મિજાજ ને કારણે 20-22 ઓક્ટોબર દરમિયાન મુંબઇ સહિત નજીકના વિસ્તારોમાં અને મધ્યમ મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભનાં અમુક સ્થળોએ મેઘ ગર્જના અને વીજળીના પ્રચંડ કડાકાભડાકા સાથે હળવાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડે તેવી સંભાવના છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે વિજળીના કડાકા-ભડાકા પણ જોવા મળશે તેવું કહ્યું છે. દક્ષિણ ગુજરાતનાં ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં આગામી રવિવાર-સોમવાર દરમિયાન 30 થી 40 કિલોમીટર પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડે તેવું હવામાન વિભાગે કહ્યું છે.
આ અંગે હવામાન વિભાગે જણાવ્યાં પ્રમાણે, અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા તેની વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં રવિવાર-સોમવારે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
આ ઉપરાંત વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદપડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતનાં અનેક જિલ્લામાં આગામી 22 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે. નૈઋત્ના ચોમાસાએ હજુ આ સપ્તાહના પ્રારંભે વિદાય લીધી છે ત્યાં માવઠાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
હવામાન વિભાગે આગાહી પ્રમાણે, દાદરા નગર હવેલી, દિવ અને દમણમાં વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે આગામી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
શુક્રવારે દાદરા નગર હવેલીમાં કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જ્યારે વલસાડ જિલ્લાના કપરાડામાં ભારે વરસાદ ખાબક્યો હતો. કપરાડાના કોલવેર, વાલવેરી, કરજૂન, સાહુડા અને આસપાસના વિસ્તારના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો.
એક તરફ બફારો-ઉકળાટ અને બીજી બાજુ અચાનક વરસાદી માહોલના વાતાવરણને કારણે મુંબઇમાં તાવ, માથું દુઃખવું અને અનિદ્રા જેવી બીમારી ફેલાવાની શક્યતા પણ તબીબી વર્તુળોએ વ્યક્ત કરી હતી. બીજી બાજુ હવામાન ખાતાએ જણાવ્યું હતું કે આજે વિદર્ભના નાગપુર સહિત અમુક વિસ્તારોમાં અચાનક વાદળીયું વાતાવરણ સર્જાયું હતું. સાથો સાથ મુશળધાર વરસાદ પણ વરસ્યો હતો.
આમતો મહારાષ્ટ્રમાં ચોમાસુ સમાપ્ત થઈ ગયું હોવા છતાં અચાનક સર્જાયેલા વરસાદી માહોલને કારણે ખેતીવાડીના પાકને નુકસાન થવાની શક્યતા છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ વરસાદ ના ચલતે રોગચાળો વધવાની શકયતા છે.