આજે ભારતની આઝાદી માં મહત્વ નો ભાગ ભજવનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની જન્મજયંતિ છે.સરદાર પટેલે આઝાદ ભારત માટે અને આઝાદી પહેલા પણ ઘણાં પ્રશંસનીય કામ કર્યા છે.આજે તેમની જન્મજયંતિ પર તેમના યોગદાન વિષે વાત કરીશું, જે ભારત હંમેશા યાદ રાખશે.જો કદાચ સરદારે આ યોગદાન ના આપ્યાં હોત. તો ભારત નો નકશો આજે અલગજ હોત.
જાણો કેવી રીતે મળ્યું સરદારનું બિરૂદ.
સરદાર પટેલને બારડોલી સત્યાગ્રહમાં ભાગ લેતી મહિલાઓએ સરદારનું બિરુદ આપ્યુ હતું. 31 ઓક્ટોબર 1875ના રોજ તેમનો જન્મ થયો હતો અને 15 ડિસેમ્બર 1950ના રોજ તેમનું અવસાન થયુ હતુ.500 જેટલી હકૂમતોને ભારતમાં જોડવાનો શ્રેય સરદાર પટેલને જાય છે.તેમણે જ ગુજરાતના ખેડૂતોને ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યૂનિયન બનાવવા માટે પ્રેર્યા હતા, જે પછીથી અમૂલ બની. દેશના પહેલા ગૃહ મંત્રી અને ઉપ-પ્રધાનમંત્રી સરદાર પટેલને IAS, IPS અને કેન્દ્રીય સેવાઓના જનક કહેવામાં આવે છે.
સરદાર પટેલ ગાંધીજીથી હતા પ્રભાવિત.
સરદાર પટેલ પહેલા વકીલ પણ હતા. તે ગાંધીજીથી અત્યંત પ્રભાવિત હતા. વર્ષ 1917માં ગાંધીજીથી પ્રભાવિત થઈને તે આઝાદીના આંદોલનમાં જોડાઈ ગયા. આઝાદીની લડાઈ દરમિયાન તેમણે ગાંધીજીના નેતૃત્વમાં ભારતમાં કરવામાં આવેલા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહને આગળ વધાર્યો હતો. આ સાથે જ તેમણે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ પણ કર્યુ હતુ.
સંવિધાનનાં નિર્માણમાં પણ સરદાર નું યોગદાન.
સંવિધાન નિર્માણમાં પણ તેમનું મોટું યોગદાન હતુ. મૂળભૂત અધિકારો પર બનેલી સમીતિના તે અધ્યક્ષ હતા. તેમણે અધિકારોને બે ભાગમાં વહેંચવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
આ કારણે વડાપ્રધાન ના બન્યાં સરદાર.
1946માં આઝાદી પહેલા જ નક્કી થઈ ગયુ હતું કે કોંગ્રેસના અધ્યક્ષ જ દેશના વડાપ્રધાન બનશે.ગાંધીજીએ વડાપ્રધાન પદ માટે જવાહરલાલ નહેરુનું સમર્થન કર્યુ હતુ.નહેરુને ગાંધીનું સમર્થન હોવા છતા દેશનું સમર્થન નહોતુ મળ્યુ.15માંથી 12 રાજ્યોએ સરદાર પટેલનું સમર્થન કર્યુ હતું.આ સમયે ગાંધીજીને લાગ્યું કે જો કોંગ્રેસ તુટી જશે તો અંગ્રેજોને વધુ એક બહાનુ મળી જશે.સરદાર પટેલે ગાંધીજીના સન્માનમાં પોતાનું નામાંકન પાછુ લઈ લીધુ હતુ.