ઘણા વર્ષો થી ચાલી રહેલ રામ મંદિર કેસનો ચુકાદો આવી ગયો છે.અને અયોધ્યાની વિવાદિત જમીન રામલાલને આપી દેવામાં આવી છે,અને મુસ્લિમ પક્ષ ને અન્ય જગ્યાએ 5 એકર જમીન આપવામાં આવી છે.અને અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના 5 જજની બેન્ચે શનિવારે ચુકાદો સંભળાવ્યો છે.બેન્ચે કહ્યું છે કે, વિવાદિત જગ્યાઓ જ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
અને આ જગ્યા પર જ રામ મંદિર બનશે,આ ઉપરાંત મુસ્લિમ પક્ષને મંદિર નિર્માણ માટે 5 એકર જમીન અલગથી આપવામાં આવશે.જેથી તે જ્યાં મજ્જિદ બનાવી શકે.આ ઉપરાંત રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે,આ એક ઐતિહાસિક ચુકાદો છે.જનતાને અપીલ કરુ છું કે તેઓ શાંતિ જાળવી રાખે.અને કોઈ પણ જાતનું નુકશાન ન કરે,અને શાંતિ નું વાતાવરણ જાળવી રાખે.
સુપ્રીમ કોર્ટ એ કરેલા ચુકાદા બાદ દરેક ને શાંતિ જાળવવાની વાત કરી હતી,આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું કે,જેવું તમને બધાને ખબર છે એ પ્રમાણે, અયોધ્યા મામલે આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો છે.આ દરમિયાન કોર્ટનો જે પણ નિર્ણય હોય, દેશની એકતા, સામાજિક સદ્ભાવ અને એકબીજા પ્રત્યેનો પ્રેમ અને હજારો વર્ષ જૂની પરંપરા જાળવી રાખવી આપણાં દરેકની જવાબદારી છે.
આ પહેલાં વડાપ્રધાન મોદીએ શુક્રવારે સાંજે દેશના નાગરિકોને અપીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરવું, શાંતિ જાળવવી. આ નિર્ણય કોઈની જીત કે હાર નથી.અને મુશ્કિમ કે હિંદુ કોઈ પણ આ મુદ્દે વધુ ચર્ચા કરે નહીં અને શાંતિ જાળવી રાખે અને કોર્ટના નિર્ણયનું સમ્માન કરે તેની પીએમ નરેન્દ્ર મોદી એ અપીલ કરી હતી.
આ ઉપરાંત બીજા પણ અન્ય નેતાઓ એ પણ શાંતિ નો સંદેશ આપ્યો હતો.બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે કહ્યું- સુપ્રીમ કોર્ટનો નિર્ણય દરેક વ્યક્તિએ સ્વીકારવો જોઈએ.અને કોર્ટ જે પણ નિર્ણય કરે એને અવકારવો જોઈએ,આ વિશે કોઈ વિવાદ ન થવો જોઈએ.અને કોઈ એ પણ મનદુઃખ ન કરવું જોઈએ,અમે દરેકને અપીલ કરીયે છીએ કે નકારાત્મક માહોલ ન બનાવે. શાંતિ જાળવે.અને કોઈપણ જાતની અફવાઓ ફેલાવી ન જોઈએ.
આ ઉપરાંત ઓરિસ્સાના મુકયમંત્રી એ પણ આ મુદ્દે વાત કરી હતી.ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું- હું દરેકને અપીલ કરુ છું કે,સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારે.અને કોઈ પણ જાતની અફળતાફી ન કરે,શાંતિ અને એકતા જાળવે.ભાઈચારો આપણી ધર્મનિરપેક્ષતાની ઓળખ છે.અને કોઈ પણ જાતની સોસિયલ મીડિયા અફવાઓથી ચેતીને રહે તેવી મારો આદેશ છે.જેમ કહી ને શાંતિ જાળવી રાખવાની વાત કરી છે.અને કોર્ટનો નિર્ણય સ્વીકારવાની વાત કરી છે.