શિયાળામાં ફરવાનો અને બરફવર્ષા જોવાનો શોખ તો બધાને પસંદ છે. આ સમયે પર્વતો પર હિમવર્ષા થવા લાગી છે. અને સાથે જ ત્યાં આ સમયે ઘણા પ્રવાસીઓએ પણ ત્યાં આવવાનું શરૂ કરી દીધું છે. પરંતુ આ સમયે બરફવર્ષા માણવા માટે, ભારતના સ્વિઝરલેન્ડમાં જાઓ. સુંદર નજારાઓની સાથે અહીં ઘણી બધી વસ્તુઓ જોવા મળશે. તો ચાલો જાણીએ આ સુંદર જગ્યાએ બીજું શું છે જોવાલાયક.
કાશ્મીર.
કાશ્મીર હંમેશાં સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. હાલમાં, કાશ્મીરને પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું છે. પૃથ્વી પર સ્વર્ગ તરીકે ઓળખાતા આ ક્ષેત્રમાં ઘણું બધું જોવાલાયક છે. અહીંયા શ્રીનગરમાં જેલમ નદીના કાંઠે ઘણી બધી વસ્તુઓ છે જોવા માટે.
એક કરતા વધારે સુંદર મસ્જિદો.
શ્રીનગરમાં ઘણી સુંદર અને કોતરવામાં આવેલી મસ્જિદો છે. તેમાંથી એક પત્થર મસ્જિદ છે જે પથ્થરની બનેલી મસ્જિદ છે. તેનું નિર્માણ નૂરજહાં એ કરાવ્યું હતું. તેની સાથે શાહ હમદાન મસ્જિદ પણ છે જે શહેરની સૌથી પ્રાચીન જૂની મસ્જિદ છે. જેની દિવાલો પર પેપરમેશી કારીગરી કરેલી છે.
નગીન ઝીલ.
શ્રીનગરથી 8 કિમી દૂર નગીન ઝીલ છે. આ તળાવ તેના સુંદર દૃશ્યો માટે જાણીતું છે. ચારે બાજુ વાદળી પાણી અને ચારે બાજુ રિંગ જેવા દેખાતા ઝાડને કારણે આ ઝીલનું નામ નગીન ઝીલ પડ્યું.
હિન્દુઓના પવિત્ર કહેવાતા હરિ પર્વતનો કિલ્લો શ્રીનગર શહેરના ઉત્તર પૂર્વમાં શરિકા પર્વત પર છે. તેને નિર્માણ અત્તા મુહમ્મદ ખાન ઝોકી અફઘાની શાસક હતો તેને 18 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.
પરી મહેલ.
પરી મહેલ શહેરથી 11 કિલોમીટરના અંતરે સ્થિત છે, આ મહેલ એક સમયે બૌદ્ધ મઠ હતો. જેને મુઘલ સમ્રાટ શાહજહાંના પુત્ર દારાશીકોહએ જ્યોતિષના એક સ્કૂલના રૂપમાં બદલી નાખ્યો હતો.
શંકરાચાર્ય મંદિર.
શહેરથી એક હજાર ફૂટની ઉંચાઇ પર તખ્ત-એ-સુલેમાન નામની ટેકરી પર સ્થિત છે. તેનું નિર્માણ મહારાજા અશોકના પુત્ર જાલુકાએ કર્યું હતું. આ પીરપંજલથી પર્વતમાળાથી તેમજ શહેરના ઘણા ભાગો આ મંદિરમાંથી જોઇ શકાય છે.
મટ્ટન.
હિન્દુઓના પવિત્ર સ્થળ તરીકે ઓળખાય છે. અહીં એક શિવ મંદિર અને ખૂબ જ સુંદર ધોધ છે. મટ્ટન શ્રીનગરથી લગભગ 61 કિમી દૂર છે. અહીં માત્ર એક શિવ મંદિર જ નથી, પરંતુ ખૂબ જ જૂના ખંડેર છે જેને સૂર્ય મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
ગુલમર્ગ.
એક સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશનમાંથી ગુલમર્ગ છે, જેને ફૂલોની ખીણ પણ ઓળખવામાં આવે છે. આ સાથે અહીં એક ધોધ પણ છે જેને કોકરનાગ કહેવામાં આવે છે.