કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી એ રામ મંદિરના ઐતિહાસિક ચુકાદા પર આપ્યું નિવેદન, કહ્યું આવું…

આજે ઘણા વર્ષોથી ચાલી રહેલા રામ મંદિર ના વિવાદ પર ચુકાદો આવી ગયો છે.અને સુપ્રીમ કોર્ટ એ ચુકાદો કર્યો છે કે અયોધ્યાની વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવામાં આવશે,અને મુસ્લિમ લોકો માટે બીજી અન્ય જગ્યા પર 5 એક જમીન આપવામાં આવશે,આમ સુપ્રીમ કોર્ટ એ આજે અયોધ્યાનું જેસ પૂર્ણ કરી દીધો છે.

આ પછી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી એ નિવેદન આપ્યું છે.અયોધ્યા જમીન વિવાદ પર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે પોતાનો ચુકાદો આપી દીધો છે.અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી એ કહ્યું કે કોર્ટના આ નિર્ણયનું આપણે સન્માન કરવું જોઇએ તેમજ સદ્દભાવ બનાવી રાખવો જોઇએ. આ સમય ભાઇચાર, વિશ્વાસ અને પ્રેમ બનાવી રાખવાનો છે.અને સુપ્રીમ કોર્ટ એ કરેલા આ નિર્ણય નો આપણે સૌ એ સમ્માન કરવું જોઈએ.

આપણે સૌ જાણીએ છીએ કે આજે અયોધ્યા રામ મંદિર ને લઈ ને મહત્વનો નિર્ણય કર્યો છે.અને આ નિર્ણય થી કોઈ એ મન દુઃખ કરવું જોઈએ નહીં.રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે વિવાદીત જમીન રામલલાને સોંપી છે.

આ સાથે કેન્દ્ર સરકાર ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવે.અને રામ મંદિર નું નિર્માણ ચાલુ કરશે,આ સાથે મુસ્લિમોને અયોધ્યામાં અન્ય સ્થળે 5 એકર જમીન ફાળવવાનો આદેશ કર્યો છે.અને તેમને ત્યાં મજ્જિદ બનાવવાનો આદેશ આપ્યો છે.દેશના સૌથી અત્યાર સુધી રહેલા ચર્ચાસ્પદ તેમજ સંવેદનશીલ અયોધ્યા રામ મંદિર કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે.જેથી હિંદુ અને મુસ્લિમ ભાઈઓ એ કોઈ જાતનું મન દુઃખ કરવું નહીં.અને કોર્ટ નો ચુકાદા નું સમ્માન કરવું જોઈએ.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ ના નિર્ણય નું દરેક લોકો એ સ્વાગત કર્યું છે.અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક લોકો એ આ ચુકાદા નું સ્વાગત કર્યું છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાનું કોંગ્રેસ પાર્ટીએ સ્વાગત કર્યું છે.અને તેમના ચુકાદા નું સમ્માન કર્યું છે.પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી રામ મંદિરની પક્ષઘર છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રામ મંદિરના દ્વાર ખુલી ગયા છે,જ્યારે બીજી તરફ આ મામલે સતત રાજકારણ કરી સત્તા મેળવવાનો પ્રયત્ન કરી રહેલ ભાજપ જેવા રાજકીય પક્ષોના હંમેશા માટે દરવાજા બંધ થઇ ગયા છે. આમ કોંગ્રેસ પાર્ટી એ પણ કોર્ટ ના આ ચુકાદા નું સમ્માન કર્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top