દોસ્તો આમ તો ફિલ્મી સિતારાઓ ઘણી બાબતોમાં હેડ લાઇન્સમાં રહેતા હોય છે. આ બધાયમાં શિલ્પા શેટ્ટી એ એક એવી ફિલ્મ સ્ટાર છે જે ઘણા ટાઇમથી ફિલ્મો થી દૂર હોવા છતાં પોતાના ફેન્સ સાથે અવસ્ય સંપર્ક માં રહે છે. અને રિયાલીટી શો માં જજ નુ પદ મેંળવવાથી લઈને સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહેનારી શિલ્પા શેટ્ટી નું ફૈન ફોલોઈંગ પણ સૌથી વધુ છે.
હાલમજ ૪૪ વર્ષ ની ઉંમર ધરાવતી હોવા છતાં શિલ્પા શેટ્ટી એકદમ ફિટ છે. અને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન વ્યતીત કરે છે. તો હાલ આપણે ચર્ચા કરીશું કે આ સ્ટાર એક પુત્ર ની માતા હોવા છતાં પણ શિલ્પા શેટ્ટી આટલી બધી ફીટ અને તંદુરસ્ત કેવી રીતે રહે શકે છે અને એ પણ આજના આ ફાસ્ટ ફૂડના જમાનામાં તો ચાલો જાણીએ મિત્રો આમ તો શિલ્પા શેટ્ટી જીમ કરવા કરતાં પણ વધુ યોગ અને યોગાસન ને મહત્વ આપે છે.
શિલ્પા તેના જીવન માં આ ખાસ સૂત્ર ને અનુસરે છે. ‘યોગા સે હી હોગા’ તે પોતે પણ આ વાત જણાવે છે કે પોતાના પુત્ર ને જન્મ આપ્યા બાદ મે યોગ ના માધ્યમ થી ફકત 4 મહિનામાં જ 32 કિલો જેટલું વજન તેણે ઘટાડયું હતું, તેની 1993 માં આવેલી ફિલ્મ બાઝીગરથી તેણે પોતાના કરિયર ની શરૂઆત કરી હતી. અને આજે પણ શિલ્પા શેટ્ટી તે સમય જેટલી જ ફીટ અને તંદુરસ્ત છે અને તેના પાછળ નું કારણ તે ફક્ત યોગને જ બતાવે છે. 44 વર્ષ ની ઉંમર ધરાવતી આ સ્ટાર હોવા છતાં પણ શિલ્પા શેટ્ટી પોતાના સૌંદર્ય થી વર્તમાન સમય ની અભિનેત્રીઓ ને પણ ટકકર આપતી હતી.
અને આજે પણ એ ભલે ફિલ્મી દુનિયાથી અલગ થઈ ગઈ હોય તે કોઈ સ્ટારથી ઓછી દેખાતી નથી. આમ તો શિલ્પા કહે છે, યોગા ની સાથોસાથ તમારે તમારા ખોરાકમાં પણ કાળજી રાખવી પડશે. કારણ કે જો શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા હોય તો 30% યોગ અને 70% આહાર નું યોગદાન રાખવું જરૂરી છે. તમે યોગા કરવાની સાથોસાથ આહાર માં શું-શું લઈ રહ્યા છો તે પણ મહત્વ નું છે. તે કહે છે કે યોગ એ આપણી જીવનશૈલીનો એક મહત્વનો ભાગ છે.
જે આપણા માટે ખાસ છે.શિલ્પા કહે છે કે તેનું પોતાનું વજન ઘટાડવા માં યોગા ની સાથોસાથ સાદું અને સ્વાદિષ્ટ ભોજન પણ મદદરૂપ બન્યું છે.
શિલ્પા શેટ્ટી એ પોતાની બુક ‘ધ ગ્રેટ ઈન્ડિયા ડાઈટ’ માં તેણે પોતાનું વજન કેવી રીતે ઓછું કર્યુ તેના વિશે બધું જ જણાવ્યું છે. હાલમાં અમે તમને શિલ્પા શેટ્ટી ના રોજિંદા આહાર વિશે જણાવીએ જેના દ્વારા તે પોતાના શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. જે જાણવું આપણા માટે ખાસ છે.
શિલ્પા પોતે પોતાના દિવસ નો પ્રારંભ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નીંચોવી અને તેનુ સેવન કરીને કરે છે.અને પછી તે ભૂખ્યા પેટે એક પ્લેટ જેટલું પપૈયા નું સેવન કરે છે. અને ત્યાર પછી તે દાડમ સફરજન ગાજર, અને ટામેટા એમાંથી કોઈ એક ફ્રુટ નું જયુસ બનાવીને પીવે છે. ત્યારબાદ તે એક કપ દૂધ ની ચા અને ઓમલેટ અથવા તો બે બાફેલા ઈંડા ખાય છે. મિત્રો શિલ્પા શેટ્ટી બપોર ના સમયે થોડું ભારે ભોજન લે છે.
જેમાં ભાત , 2 રોટલી કે જે પાંચ અલગ અલગ પ્રકાર ના ધાન માંથી બનાવેલી હોય છે અને ત્યાર બાદ તે જેવા કે 2 ચમચી ઘી, શાક, દાળ, ફિશ અથવા તો ઈંડા ભૂર્જી વગેરેનો લંચ કર્યા બાદ થોડા ગોળ નું પણ સેવન કરે છે અને તે રાત્રિ નું ભોજન 8 વાગ્યાની આજુ બાજુ કરે છે. જેમાં પ્રોટીન થી ભરપૂર સૂપ અને શાકભાજી નો સમાવેશ થાય છે. શિલ્પા શેટ્ટીએ યોગા ની સાથોસાથ સ્વાદિષ્ટ ભોજનને પણ એટલું જ મહત્વ આપેલું છે.
દોસ્તો શિલ્પા શેટ્ટીના જણાવ્યા મુજબ જો તમે પણ દરરોજ યોગા ને તમારી રોજિંદી જીવનશૈલી માં સમાવેશ કરો છો. તો તમને તેનો અવશ્ય લાભ થશે.અને તમને અહેસાસ થશે કે તમારા જીવનમાં અનેક ઘણા પરિવર્તનો આવ્યા છે.
જે જાણીને તમને ખુશી મળશે.તે ખાસ કહે છે કે યોગાથી ખાલી શારીરિક લાભ જ નહી પરંતુ, મનને શાંતિ પણ પ્રાપ્ત થાય છે. આ માટે દરેક વ્યક્તિ એ યોગા ને પોતાના જીવન નો એક મહત્વ નો હિસ્સો બનાવવો જોઈએ જેનાથી ખુબજ લાભ થશે.