પાટીદારોને 25 ટકા અનામત મળવું જોઈએ: કેન્દ્રિયમંત્રી રામદાસ આઠવલે

ખેડૂતોના દેવા માફી અને અનામતની માંગને લઈ પોતાના નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ પર બેઠલા હાર્દિક પટેલના સમર્થનમાં અનેલ નેતાઓ આવી ચુક્યા છે. જેમાં આજે કેન્દ્રિયમંત્રી રામદાસ આઠવલેનું હાર્દિકને સમર્થન મળ્યું છે.પટેલ સમાજને અનામત મળવું જોઈએ તેવું રામદાસ આઠવલે જણાવ્યું છે. કેન્દ્રિયમંત્રી રામદાસ આઠવલે વધુમાં જણાવ્યું હતુ કે પટેલને આરક્ષણ આપવાની ફેવરમાં અમે છીએ. હું પાટીદારોના સમર્થનમાં છુ.

તેમજ 25 ટકા આરક્ષણ પાટીદારોને મળવું જોઈએ. તથા 25 ટકા અનામત મળે તેવો કાયદો પાસ થવો જોઈએ. હાર્દિક પટેલે સરકાર સાથે વાતચીત કરવી જોઈએ. તેમજ હું મધ્યસ્થી કરવા માટે તૈયાર છું. હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર બધે આરક્ષણની માંગ છે.

ઉલ્લેખનિય છે કે પાટીદારોને અનામત આપો, ખેડૂતોના દેવા માફ કરોની માગણી સાથે હાર્દિકે આમરણાંત ઉપવાસના છઠ્ઠા દિવસે ગુરુવારે અન્ન બાદ હવે પીવાના પાણીનો પણ ત્યાગ કર્યો હતો. બુધવારની સરખામણીએ ગુરુવારે હાર્દિકનું વજન 6૦૦ ગ્રામ ઘટયું હતુ. આજે તેને બોલવામાં તકલીફ થઈ રહી છે, મોટા ભાગનો સમય સૂવામાં કાઢી રહ્યો છે. ડોક્ટરોના મતે શ્વાસ, હૃદય, મગજમાં તકલીફ થઈ શકે છે.

ચોંકાવનારી વાત એ છે કે, સોલા સિવિલ હોસ્પિટલ અને ખાનગી લેબોરેટરીના રિપોર્ટના કાઉન્ટમાં તફાવત છે, હાર્દિકના સિવિલના આરબીસી કાઉન્ટ 112 તો ખાનગી લેબના 47 બતાવે છે. હાર્દિકે આક્ષેપ કર્યો છે કે, સરકાર ખોટા ઈન્જેક્શનો આપી મારી કિડની ફેલ કરવાની કોશિશ કરી રહી છે. સોલા સિવિલ તરફથી રિપોર્ટ અપાતાં ન હોવાથી ખાનગીમાં ચેક કરાવ્યું છે.

ગ્રીનવૂડ રિસોર્ટની બહાર પોલીસનો જંગી કાફલો તૈનાત છે તેમ છતાં છત્રપતિ નિવાસમાં અનામત, ખેડૂતો સહિતના મુદ્દે વિવિધ માગ કરતાં પોસ્ટરો લાગી ગયા છે. હાર્દિકને મળવા તેના દાદા આવ્યા હતા. પાટીદાર આંદોલનને સમર્થન આપવા આવેલા લોકો પોલીસની દાદાગીરીનો ભોગ બન્યા હતા.ઉપવાસના છઠ્ઠા દિવસે હાર્દિક સહિત છ જણાએ મુંડન કરાવ્યું હતું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top