દિલ્હીમાં ઓક્સિજનની અછત સાથેજ ICUમાં બેડનો પણ અભાવ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપી સમગ્ર માહિતી…

કોરોનાને કારણે દિલ્હીના લોકોમાં હાલ ભયનો માહોલ છે સાથેજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ વિકેન્ડ કર્ફયું જાહેર કરી દેવામાં આવ્યો છે જેથી કરીને ત્યા કોરોનાનું સંક્રમણ રોકી શકાય સમગ્ર મામલે મુખ્યમંત્રી કેજરીવાલે હવે એવું કહ્યું છે કે દિલ્હીમાં પોઝિટીવ રેટ 30 ટકા જેટલો છે જેના કારણે હવે ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે.

ICUમાં 100 બેડ

કેજરીવાલે વધુંમાં કહ્યું કે હોસ્પિટલોના આઈસીયું વોર્ડમાં પણ હવે 100 જેટલા બેડ વધ્યા છે સાથેજ તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો કે તેઓ સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં છે જેથી મોદી સરકાર દ્વારા પણ તેમને મદદ કરવામાં આવી રહી છે કેજરીવાલે કહ્યું કે કોરોનાની વકરતી સ્થિતીને કારણે કેન્દ્ર સરકાર દ્વારા 7 હજાર જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવે તેવી તેમની સાથે માગ કરવામાં આવી છે.

દર કલાકે 1 હજાર કેસ

હાલત દિલ્હીમાં એટલી હદે ખરાબ છે હવે અહીયા રોજના રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે જેના કારણે સંક્રમણ હવે અહીયા વાયુવેગે ફેલાઈ રહ્યું છે દર કલાકે દિલ્હીમાં 1 હજાર કરતા વધારે કેસ નોંધાઈ રહ્યા છે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 160 કરતા વધારે લોકોના મોત થયાછે જેના કારણે હવે રાજધાનીમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પોઝિટિવિટી રેટ વધીને 30 ટકા

પરિસ્થિતી એટલી હદે દિલ્હીમાં ખરાબ છે કે રોજના હવે અહીયા 24 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. સાથેજ દિલ્હીમાં પોઝિટિવિટી રેટ પણ વધીને 30 ટકા જેટલો થઈ ગયો છે આની પહેલા 24 ટકા રેટ હતો પરંતુ માત્ર 24 કલાકમાં 6 ટકા જેટલો પોઝિટવિટી રેટમાં ઉછાળો આવ્યો છે સાથેજ આઈસીયુંમાં બેડની પણ અછત છે અને કુલ  100 જેટલા બેડ હવે ખાલી છે.

ઓક્સિજનની અછત

ઓક્સિજનની પણ દિલ્હીમાં અછત સર્જાઈ છે પરંતુ કેજરીવાલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં રહીએ છે તેમના દ્વારા મદદ પણ કરવામાં આવી રહી છે જેથી મુખ્યમંત્રી કેજરીવાલે મોદી સરકારનો આભાર માન્યો છે બેડની જરૂરીયાત મુદ્દે પણ તેમણે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી છે જેથી બેડની સુવીધા પણ દિલ્હીમાં પૂરી પાડવામાં આવશે.

પરિસ્થિતી વિકટ

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે દેશમાં પરિસ્થિતી દિવસેને દિવસે વીકટ બનતી જાય છે જેના કારણે હવે લોકોનું જનજીવન પણ ખોરવાયું છે મહારાષ્ટ્રમાં સૌથી વધું કોરોના વકર્યો છે જેના કારણે શિવસેના દ્વારા પણ કેન્દ્ર સરકાર પાસેથી મદદ માગવામાં આવી હતી હવે દિલ્હીમાં પણ કોરોનાને કારણે સ્થિતી વધારે ખરાબ થઈ જેના કારણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કેન્દ્ર સરકાર પાસેથી મદદ માગી હતી.

Scroll to Top