મહારાષ્ટ્રમાં દારૂ ન મળતા હેન્ડ સેનિટાઇઝર પી લેતા 7 મજૂરોના કરુણ મોત

મહારાષ્ટ્રના યવતમાલની વાનીમાં હેન્ડ સેનિટાઇઝર કારણે સાત લોકોનાં મોત થયાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, દારૂની દુકાનો બંધ હોવાને કારણે આ લોકોને દારૂ મળી શક્યો ન હતો જેના કારણે તેઓ હેન્ડ સેનિટાઇઝર પી ગયા હતા.

તેની સાથે જ આ મામલે પોલીસનું કહેવું છે કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બધા લોકો મજૂર હતા. તેમણે હાથનું સેનિટાઇઝર પીધું હતું કારણ કે તેમને દારૂ મળી રહ્યો નહોતો.

તમને જણાવી દઇએ કે, કોરોનાની બીજી લહેરે મહારાષ્ટ્રમાં કોહરામ મચાવ્યો છે. જેના કારણે રાજ્યમાં ઘણા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, કોવિડ -19 ના રોજનાં નવા કેસોમાંથી 74.15 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત કુલ દસ રાજ્યોથી છે.

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, “દેશમાં સામે આવેલ સંક્રમણના કુલ કેસોમાંથી 74.15 ટકા મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનના છે. જ્યારે 66.66 ટકા દર્દીઓ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, ગુજરાત અને કેરળમાં સારવાર હેઠળ રહેલા છે.

Scroll to Top