બોલીવૂંડના ખેલાડી અક્ષય કુમરા હંમેશા કપરા સમયે લોકોની મદદ માટે આગળ આવતા હોય છે. આ પહેલા જ્યારે લોકડાઉન થયું હતું. ત્યારે પણ તેમણે લોકોની મદદ કરી હતી. જોકે હાલ અક્ષય કુમારે ગૌતમ ગંભીર ફાઉન્ડેશનમાં 1 કરોડ રૂપિયા દાન કર્યા છે. જે રૂપિયા તેમણે જરૂરિયાતમંદ લોકોને પહોચાડવા માટે અપીલ કરી છે.
ક્રિકેટરમાંથી પોલિટિશન બનેલા ગૌતમ ગંભીરના ફાઉન્ડેશનમાં જ્યારે તેમણે રૂપિયા નાખ્યા ત્યારે ગૌતમ ગંભીરે અક્ષય કુમારને એવું કહ્યું કે જરૂરિયાતમંદોને ભોજન દવા અને ઓક્સિજન સપ્લાય કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અગાઉ પણ જ્યારે કોરોનોનો ફેલાયો હતો. ત્યારે પણ અક્ષય કુમાર લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા હતા.
ગૌતમ ગંભીરે ટ્વીટર પર પોસ્ટ કરતા આ સમગ્ર મામલે માહિતી આપી હતી. જોકે આ મામલે અક્ષય કુમારે પણ તેની પોસ્ચ પર રિપ્લાય કર્યો અને કહ્યું કે સાચે આ કપરો સમય છે. મને ખુશી છે કે હું મદદ કરી શક્યો. સાથેજ અક્ષય કુમારે એવું પણ કહ્યું હતું કે આપણે જલદી આ સંકટમાંથી બહાર આવી જઈશું. સુરક્ષિત રહો.
અક્ષય કુમાર અગાઉ પણ પીએમ કેર ફંડમાં 25 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું જે બાબતે ગૌતમ ગંભીરે ઉલ્લેખ કર્યો. જેમા તેણે એવું કહ્યું કે અક્ષય દિલ ખોલીને તે સમયે લોકોની મદદ કરી હતી. સાથેજ તેમણે પીપી કીટ માટે ણ 3 કરોડ રૂપિયા આપ્યા હતા. ઉપરાંત અક્ષય કુમારે મુબંઈ પોલીસની મદદ કરવા માટે પણ 2 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.
સાથેજ અક્ષય કુમારે મહામારીમાં શ્રમીકોથી લઈને ઈન્ડસ્ટ્રીના ફોટોગ્રાફરોને પણ આર્થિક મદદ કરી હતી ગત 4 એપ્રિલે તેનો પણ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી તેને મુંબઈની હિરાનંદા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. આ મામલે પણ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને માહિતગાર કર્યા હતા. જેમા તેમણે કહ્યું હતું કે તેઓ કોવીડ પોઝિટીવ છે જેથી સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવા તેમણે વિનંતી કરી.
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે હાલ દેશમાં સૌથી ખરાબ પરિસ્થિતી સર્જાઈ છે. કેટલાય લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા છે. સાથેજ આ મહામારીને કારણે હવે રોજના 2 હજાર કરતા વધું લોકોના મોત થઈ રહ્યા છે. જેના કારણે લોકોમાં હે ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને સંક્રમણ હવે ક્યારે અટકશે તે એક ગંભીર પ્રશ્ન બન્યો છે.