પિતા કુંવરજીભાઇના પગલે ચાલી રહ્યા છે પુત્ર ડો. મનીષ બાવળીયા

લોકોની પીડાને જોયા બાદ પળનોય વિલંબ કર્યા વિના પડખે આવીને ઊભો રહે એ જ સાચો લોકનેતા કહેવાય છે. હૃદયની વેદનાને વાંચીને સંકટના સમયે જે હમદર્દ બની સધિયારો આપે એનેજ સાચો સમાજસેવા, લોકસેવા કહેવાય છે.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં લોકોના સ્વાસ્થ્ય માટે હર હંમેશ ચિંતિત રહેનાર કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના ડોક્ટર પુત્ર મનીષભાઈ બાવળીયા છેલ્લા થોડા દિવસથી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમા દિવસ-રાત લોકોના સ્વાસ્થ્ય માટે પરીવારની જેમ સતત સેવા આપી રહ્યા છે.

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં વિંછીયા તાલુકાના દર્દીઓને તાલુકામથકે કોરોના વાયરસ કોવિડ-19 અંતર્ગત શંકાસ્પદ, પોઝીટીવ દર્દીઓની સારવાર માટે વિંછીયાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ૩૦ બેડ ઓક્સીજન અને 30 બેડ અન્ય લસારવાર માટેના બેડ મળી કુલ 60 બેડની સગવડતા ઉભી કરવામાં આવી છે. તેની સાથે 3 ઓક્સીજન સાથેની એમ્બુલન્સ સાથે ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર શરુ કરાયું છે.

Scroll to Top