દેશની રાજધાનીમાં કોરોના વાયરસ સંકટ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે, દિલ્હીમાં 72 લાખ રેશનકાર્ડ ધારકો છે. આ બધાને દિલ્લી સરકાર દ્વારા બે મહિના સુધી ફ્રીમાં રાશન આપવામાં આવશે. તેના સિવાય દિલ્લીમાં જટલા પણ ઓટો ચાલક અને ટેક્સી ચાલક છે તે બધાને પાંચ-પાંચ હજાર રૂપિયાની મદદ મળશે.
એવામાં દિલ્લીમાં લગભગ દોઢ લાખ ઓટો અને ટેક્સી ચાલકોને ફાયદો થશે. દિલ્લીના મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, દિલ્લી સરકાર બધા ઓટો અને ટેક્સી ચાલકોને 5,000 રૂપિયા આપી તેમની મદદ કરશે જેથી આ આર્થિક તંગીના સમયગાળામાં થોડી તેમને મદદ મળી શકે છે.
દિલ્લીના મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, બે મહિના માટે મફત રાશનનો મળવાનો અર્થ એ નથી કે, લોકડાઉન બે મહિના ચાલશે. આ ફક્ત આર્થિક મુદ્દાઓમાંથી પસાર થઈ રહેલા ગરીબોની સહાય માટે કરવામાં આવી રહી છે.