છેલ્લા અમુક દિવસોથી સોશિયલ મીડિયામાં ધૈર્યરાજનું નામ ઘણું પ્રખ્યાત થયું હતું તેને એસએમએની બિમારી હતી જેથી તેના ઈલાજ માટે 16 કરોડ રૂપિયા જોઈતા હતા લોકોએ તેના માટે દાન કર્યું હતું અને હાલ તેને 16 કરોડનું ઈન્જેકશન આપવામાં આવ્યું છે આ બીમારીનું ઈલાજ ઘણું મોંઘું છે. સાથેજ ઈન્જેકશન પણ વિદેશથી મંગવામાં આવે છે.
લોકોએ થોડા થોડા રૂપિયા દાન આપ્યા હતા. જેથી 16 કરોડ જેટલી મોટી રકમ ભેગી થઈ જેથી તેના માટે વિદેશથી ઈન્જેકશન મંગાવામાં આવ્યું ઈન્જેકશન મંગાવ્યા બાદ તેના માતાપિતા મુંબઈની હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા મુંબઈમાં પહેલા આવોજ એક પાંચ મહિનાની તીરા કામત સાથે થયો હતો જેથી તેના માટે પણ 16 કરોડનું ઈન્જેકશન મંગાવામાં આવ્યું હતું.
મૂળ મહિસાગર જિલ્લાનો ધૈર્યરાજ છેલ્લા ઘણા સમયથી આ બિમારીનો સામનો કરી રહ્યો હતો તેની બિમારીના ઈલજ માટે તેના પરિવાર 16 કરોડ જેટલી રકમ ન હતી કારણકે તે એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મયો હતો એનજીઓ અને સોશિયલ મીડિયાની દ્વારા તેના માતા પિતાએ લોકો પાસેથી મદદ માગી ત્યારે તેના ઈલાજના રૂપિયા એકઠા થયા.
માત્ર ગુજરાતજ નહી પરંતુ દેશના ખૂણે ખૂણેથી લોકોએ તેના ઈલાજ માટે રૂપિયા દાન આપ્યા હતા સાથેજ એનઆરઆઈ લોકોએ પણ તેના ઈલાજ માટે રૂપિયા દાન આપ્યા સોશિયલ મીડિયા દ્વારા તેના માતા પિતાએ સંદેશ પહોચાડ્યો કે તેમના બાળકને ઈલાજની જરૂરથી જેથી લોકોએ શક્ય બને તેટલી તેના માટે મદદ કરી જેથી ઈલાજના રૂપિયા એકઠા થયા હતા.
સમગ્ર મામલે તેના પિતાએ એવું કહ્યું કે શરૂઆતમાં તેમને એવું લાગતું હતું કે ધૈર્યરાજનું ઈલાજ અશક્ય છે. જેથી તેમણે અભિયાન શરૂ કર્યું દરેક સમાજના લોકોએ તેમની દદ કરી હતી તની માતાએ જણાવ્યું કે તેમને લોકોનો સહકાર મળ્યો ત્યારે અમારો બાળક જીવતો છે.
મુંબઈમાં રહેતા ડૉ નીલુ દેસાઈ ધાર્યરાજને ઈન્જેકશન આપ્યું હતું. તેને મુંબઈની હોસ્પિટલમાંજ ઈન્જેકશન આપવામાં આવ્યું છે. હાલ ધૈર્યરાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેને જે ઈન્જેકશન આપવામાં આવ્યું છે. તેની અસર એક મહિના પછી તેનામાં જોવા મળશે.