દિલ્હીમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે, જેના કારણે બ્લેક કેટ કમાન્ડો એટલે કે એનએસજી (NSG) ના ગ્રુપ કમાન્ડરનું મૃત્યુ થઇ ગયું છે. સૂત્રોથી મળેલ માહિતી અનુસાર, NSG ગ્રુપના કમાન્ડર બિરેન્દ્ર કુમાર ઝા ને દિલ્લીમાં તાત્કાલિક અસરથી ICU બેડ ન મળતા તેમનું મૃત્યુ થયું છે. જણાવવામાં આવ્યું છે કે બિરેન્દ્રકુમાર ઝા 22 એપ્રિલે અર્ધ લશ્કરી દળના રેફરલ હોસ્પિટલ નોઈડામાં કોરોનાથી સંક્રમિત થતા દાખલ થયા હતા. તે વખતે તેમની હાલત ઘણી સામાન્ય હતી, પરંતુ 4 મેના રોજ સાંજના 6:00 વાગ્યે અચાનક બિરેન્દ્રકુમાર ઝાની તબિયત લથડી ગઈ હતી, જેમાં તેનું ઓક્સિજન લેવલ એકદમ નીચે જવા લાગ્યું હતું.
બેડ મળવામાં થયું પાંચ કલાક મોડું
બિરેન્દ્ર કુમાર ઝાને ત્યારબાદ નોઈડાના રેફરલ હોસ્પિટલમાં આઇસીયુ બેડ ખાલી ન હોવાને કારણે બીજી હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપવામાં આવી હતી, ત્યારબાદ તરત જ દિલ્હીમાં હોસ્પિટલ શોધવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. સૂત્રોએ માહિતી આપી છે કે એનએસજી (NSG) ના ગ્રુપ કમાન્ડરને હોસ્પિટલમાં આઈસીયુ બેડ મળવામાં લગભગ 5 કલાકથી વધુ સમય જતો રહ્યો, આ દરમિયાન બિરેન્દ્ર કુમાર ઝાની તબિયત વધુ નાજુક બનતી ગઈ.
રસ્તામાં ગુમાવ્યો જીવ
જણાવવામાં આવ્યું છે કે શરૂઆત ના સમયમાં લગભગ રાત્રે 11 વાગ્યે મૈક્સ સુખદેવ બિહારમાં તેમને લઇ જવામાં આવ્યા હતા, ત્યાં પણ બેડ ન હોવાને કારણે NSG ના ગ્રુપ કમાન્ડરને એસ્કોર્ટ ફોટિસ દિલ્હીમાં દાખલ કરાવવા માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ એટલી ખરાબ હતી કે તે ત્યાં પહોંચતા પહોંચતા તેમનું મૃત્યુ થઇ ગયું હતું. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં જે રીતે હાલત ઉભી થઇ રહી છે, તેમાં લોકોને બેડ મળવું ઘણું મુશ્કેલ થઇ ગયું છે. એનએસજીના ગ્રુપ કમાન્ડર માટે ICU બેડ શોધી રહ્યા હતા, જેમાં સમય વધુ જતા બ્લેક કેટ કમાન્ડોના આ ગ્રુપ કમાન્ડરનું મૃત્યુ થઇ ગયું હતું.
દિલ્હીમાં અત્યંત ડરામણી પરિસ્થિતિ
જણાવી દઈએ કે કોરોના સંક્રમણ ના આંકડા રાજધાની દિલ્હીમાં ખૂબ જ ડરામણા છે. દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20960 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 311 કોરોના દર્દીઓના મોત થયા છે. દિલ્હીમાં હવે કોરોના ના 91859 એક્ટિવ દર્દીઓ થઈ ગયા છે, જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 18 હજારને પાર પહોંચી ગયો છે. દિલ્હીમાં અત્યાર સુધી કોરોના વાયરસને કારણે 18063 લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે. જયારે હોમ આઇસોલેશનમાં 50077 દર્દીઓ છે. અહીં સંક્રમણ દળ 26.37% છે. છેલ્લા 24 કલાકમાં 79491 ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 20960 લોકો પોઝીટિવ સામે આવ્યા છે.