મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાને કારણે થયા 920 લોકોના મોત, 57 હજારથી વધારે નોંધાયા નવા કેસો

કોરોના સંક્રમણથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં 57 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 920 લોકોનાં મોત પણ થયા છે. કોરોનાથી રાજ્યમાં એક દિવસમાં મૃત્યુ થયેલા આ સૌથી વધુ આંકડા છે. શહેર પ્રમાણે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના ના કેસ (9084 કેસ) પુણે શહેરમાં નોંધાયા છે. અને છેલ્લા 24 કલાકમાં અહીં 93 લોકોનાં મોત થયા છે.

રાજધાની મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 3882 કેસ નોંધાયા હતા અને 77 લોકોએ તેમનો જીવ પણ ગુમાવ્યો પડ્યો છે. નાગપુર શહેરમાં 4433 કેસો સામે આવ્યા છે, જ્યારે 57 લોકોનાં મોત થયાં છે, આવી જ રીતે નાસિકમાં પણ છેલ્લા 24 કલાકમાં 3,767 કેસ નોંધાયા હતા અને 101 લોકોનાં મોત થયા છે.

નાસિક જ એકમાત્ર એવું શહેર છે જ્યાં 24 કલાકમાં 100 થી વધુ લોકોના મોત થયા છે. જો કે અહીં રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 57,006 લોકો રિકવર થઈને સ્વસ્થ થયા છે. રાજ્યમાં હાલમાં કોરોના પોઝિટિવિટી રેટ 17.19% છે જ્યારે રિકવરી રેટ 85.32% છે. કોરોના મૃત્યુ દર લગભગ 1.49% ની આસપાસ છે, મહારાષ્ટ્રમાં એક્ટિવ કોરોના કેસની સંખ્યા 6,41,569 છે.

દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન સામે આવેલ કોરોના વાયરસના સંક્રમણના 3,82,315 નવા કેસોમાંથી 71 ટકા કેસ મહારાષ્ટ્ર (Maharashtra), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને દિલ્હી (Delhi) સહિત 10 રાજ્યો માંથી આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ આ નવા કેસો આવ્યા બાદ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,06,65,148 થઈ ગઈ છે.

નવા કેસોમાં 70.91 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાંથી સામે આવ્યા છે. કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા દેશમાં કોરોનાથી પીડત દર્દીઓની સંખ્યા વધીને 34,87,229 થઈ ગઈ છે. જે કુલ કોરોના સંક્રમિત કેસોના 16.87 ટકા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના એક્ટિવ કેસોમાં 40,096 નો વધારો થયો છે. દેશમાં કોરોનાથી રિકવરી સ્વસ્થ થવાનો રેટ 81.25 ટકા છે જ્યારે મૃત્યુ દર વધીને 1.09 ટકા થઈ ગયો છે. દેશમાં એક દિવસમાં કોવિડ -19 નો રેકોર્ડ 3780 લોકોનાં મોત થયા છે.

Scroll to Top