દિલ્હીમાં ખાનગી એમ્બ્યુલન્સના ભાડા નક્કી, નફાખોરો સામે થશે કડક કાર્યવાહી

કોરોના (COVID-19) નો માર સહન કરી રહેલ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી (Delhi) માં ખાનગી એમ્બ્યુલન્સ ડ્રાઇવરો દ્વારા ગેરકાયદેસર વસૂલીની ઘણી ફરિયાદો મળી રહી હતી. દર્દીઓની સમસ્યાઓ સામે આવ્યા બાદ હવે દિલ્હીની કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે. નફાખોરો પર લગામ લગાવવા માટે સરકારે ખાનગી એમ્બ્યુલન્સના ભાવ નક્કી કરી દીધા છે. સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે જો આદેશનો ભંગ કરવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારે એમ્બ્યુલન્સ સેવાને ત્રણ કેટેગરીમાં વહેંચી છે અને અંતરના હિસાબે ભાડુ નક્કી કરી દીધું છે.

આ નિર્ણય અંગે માહિતી આપતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, “આ અમારા ધ્યાનમાં આવ્યું છે કે દિલ્હીમાં ખાનગી એમ્બ્યુલન્સ સેવાઓ ગેરકાયદેસર રીતે દર્દીઓ પાસેથી પૈસા વસૂલી રહી છે.” આનાથી બચવા માટે, દિલ્હી સરકારે મહત્તમ ભાવ નિર્ધારિત કર્યા છે, જે ખાનગી એમ્બ્યુલન્સ સેવાઓ લઈ શકે છે. આદેશનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સરકારની મોટી તૈયારીઓ

કોરોના સંક્રમણના વધતા કેસ અને ઓક્સિજનની અછત નો માર સહન કરી રહેલ દિલ્હી માટે એક સારા સમાચાર છે. દિલ્હી સરકારે હવે કોવિડ -19 પર ડબલ એટેક કરવાની યોજના તૈયાર કરી લીધી છે. રાજધાનીમાં 10 મે સુધી 1200 આઈસીયુ બેડ તૈયાર કરવાની યોજના કેજરીવાલ સરકાર બનાવી રહી છે. ગુરુવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે માહિતી આપી છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં ઓક્સિજનની ઘણી મોટી અછત થઇ રહી હતી. દિલ્હીમાં 700 ટનની જરૂર છે, પરંતુ ક્યારેક 300, 400 અને 450 ટન જ મળી રહી હતી. ગઈકાલે પહેલીવાર દિલ્હીને 730 ટન ઓક્સિજન કેન્દ્ર સરકારે મોકલ્યું છે. હું વિનંતી કરું છું કે આને તમે ઓછું ન કરો, અમે બધા દિલ્હી વાળા આભારી રહીશુ.”

દિલ્હી હાઈકોર્ટની સૂચના

દિલ્હી હાઈકોર્ટે બુધવારે કહ્યું કે હોસ્પિટલ મેનેજમેંટ દ્વારા ઓક્સિજનના અભાવ અંગે ખોટા ચેતવણી સંદેશાઓ આપવા જોઈએ નહીં, કારણ કે તેનાથી પહેલાથી તણાવયુક્ત સરકારી તંત્ર પરનો ભાર બિનજરૂરી રીતે વધુ વધી જાય છે. આ સાથે દિલ્હી હાઇકોર્ટે માર્ગદર્શિકા નિર્ધારિત કર્યા કે ક્યારે આવી રીતે એસઓએસ (ત્રિમાસિક સંદેશ) જારી કરવામાં આવશે.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જ્યારે હોસ્પિટલ પાસે છ કલાક કે તેથી ઓછા સમય માટે ઑક્સિજન બાકી હોય તો તેને પહેલા તેના સપ્લાયરનો સંપર્ક કરવો જોઇએ. તેમણે કહ્યું કે જો કોઈ કાર્યવાહી નથી થતી તો હોસ્પિટલને નોડલ અધિકારીને જાણ કરવી જોઈએ. આ પછી પણ પુરવઠો મળતો નથી અને ફક્ત ત્રણ કલાકનો ઓક્સિજન બચ્યો હૉય તેવા હાલતમાં તે ન્યાય મિત્ર અને વરિષ્ઠ વકીલ રાજશેખર રાવ અથવા વરિષ્ઠ વકીલ રાહુલ મહેરા અથવા દિલ્હી સરકારના અધિક કાયમી વકીલ સત્યકામનો સંપર્ક કરી શકે છે.

Scroll to Top