જામનગર પ્રોજેક્ટ: રાતે સૂતી વખતે પણ પ્રોજેક્ટ વિષે જ વાત કરતા હતા મુકેશ અંબાણી, આ પ્રોજેકટ માં નીતા અંબાણીનું મોટું નિવેદન

તાજેતરમાં જ ફોર્બ્સ મેગેઝિન દ્વારા અબજોપતિઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે જાહેર કરવામા આવ્યા છે. મુકેશ અંબાણીની સંપત્તિ 84.5 બિલિયન ડોલર છે. તેમના કામ પ્રત્યેના સમર્પણની હંમેશા ચર્ચા કરવામાં આવે છે. એકવાર સિમ્મી ગેરવાલના ટોક શો પર નીતા અંબાણીએ કહ્યું હતું કે જામનગરમાં પ્રોજેક્ટ માટે બંનેએ કેટલી મહેનત કરી હતી. નીતા અંબાણીએ કહ્યું હતું કે તે તેઓ સૂતા સૂતા પણ જામનગર વિશે જ વાત કરતા હતા.

સિમ્મી ગેરવાલે જયારે નીતા અંબાણીને જામનગર પ્રોજેક્ટ વિશે પ્રશ્નો પૂછ્યા ત્યારે તેણે કહ્યું કે, મુકેશે જ્યારે જામનગર વિશે વિચાર્યું ત્યાર પછી તેમનું ખાવાપીવાનું અને સુવાનું બધું જામનગરમાં જ રહેતું. અમે ત્યાં સખત મહેનત કરી. ધીરે ધીરે અમારું સ્વપ્ન ત્યાં સાકાર થયું. મુકેશ અંબાણીએ કહ્યું કે, નીતાએ તે પ્રોજેક્ટમાં ઘણું કામ કર્યું છે. આ ટોક શોમાં બંનેએ ઘણા મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરી હતી. નીતા અંબાણીએ એ પણ જણાવ્યું હતું કે, કેવી રીતે બંનેના લગ્ન થયા હતા.

સિમ્મી ગેરવાલના ટોક શોમાં મુકેશ અંબાણીએ લગ્ન પહેલાંની તેમની મુલાકાતનો કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે, અમે ત્રીજી કે ચોથી વાર મળ્યા હતા. ત્યારે અમે પ્રેસિડેન્ટ હોટલમાં ડિનર લીધું હતું. ડિનર બાદ વાતચીત દરમિયાન નીતાએ મને કહ્યું કે,તમારી બધી વસ્તુઓ બરાબર છે. પરંતુ મુકેશ તમે એક વસ્તુ જાણો છો કે મારે ચશ્મા પહેરવા પડે છે. આ સાંભળીને હું હસવા લાગ્યો. તેના પછી તે આગળ કહે છે કે નીતા હંમેશાં પ્રામાણિક અને કૃપાળુ રહી છે.

ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે નીતા અંબાણીને પૂછવામાં આવ્યું કે તમે અંબાણી તરીકે તમામ સામાજિક કાર્ય કરો છો? ત્યારે તેણે કહ્યું હતું કે તે સામાજિક કાર્ય કરે છે કારણ કે તેને આ બધું કરવાનું પસંદ છે. નીતાએ કહ્યું, ‘હું ખૂબ જ નાની હતી ત્યારથી જ આ કરી રહી છું. તેમણે વધુમાં જણાવ્યું કે, હું ક્યારેક મારા પિતા અને દાદી સાથે રવિવારે નજીકની ઝૂંપડપટ્ટીમાં પુસ્તકો અને ભોજન આપવા પણ જતી હતી. તેમણે કહ્યું કે, આજે માત્ર ફરક એટલો જ છે કે લોકો તેના વિશે લખે છે કારણ કે હવે હું અંબાણી પરિવારની સભ્ય છું.

Scroll to Top