ખેડૂત આંદોલન: આજે પૂરા થયા છ મહિના, આગળ પણ ચાલુ રહેવાની આશા, વાંચો- 6 મહિનાની 6 મોટી વાતો

ત્રણેય કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનને આજે છ મહિના પૂરા થયા છે. આ આંદોલન હજુ આગળ કેટલા દિવસ સુધી ચાલશે તે ખબર નથી. ખેડુતોનું કહેવું છે કે આંદોલનનું પરિણામ ભવિષ્યના ગર્ભમાં છે. જો કે, તેમને આશા છે કે સરકાર કોરોના અથવા કોઈ પણ બહાને તેમેને યુપીની સરહદથી દૂર કરી શકે છે. ભાકિયુએ પશ્ચિમ યુપીના કેટલાંક જિલ્લાના પાંચ હજાર ખેડુતોની યાદી તૈયાર કરી છે. જેમને એક કોલ પર બે થી અઢી કલાકમાં બોર્ડર પર પહોંચવા માટે તૈયારી રાખવામાં આવ્યા છે. હાલમાં છ મહિના પૂરા થતાં 26 મેના રોજ આજે ખેડૂતોએ કાળો દિવસ ઉજવવાની જાહેરાત કરી છે.

26 નવેમ્બરથી ખેડૂત આંદોલન શરૂ થયું હતું. આ છ મહિનામાં આંદોલનના ઘણા રંગો જોવા મળ્યા. 26 જાન્યુઆરીનો દિવસ ક્યારેય ભૂલી શકાય તેમ નથી. જ્યારે આખી દિલ્હીમાં ખેડૂતોના હજારો ટ્રેકટરો દોડ્યા હતા. આ પહેલા પણ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હજારો ખેડૂત યુપી ગેટ પર એકઠા થયા હતા. આ દરમિયાન, સરકાર સાથે આઠ તબક્કાની વાટાઘાટો થઈ હતી, જે તમામ નિષ્ફળ ગઈ હતી.

29 જાન્યુઆરીએ જ્યારે રાકેશ ટિકૈત ના આંસુ પડવાથી હજારો ખેડૂત ફરી યુપીના દરવાજા પર એકઠા થઇ ગયા હતા, ત્યારે વાટાઘાટોની આશા ઉભી થઈ હતી. આ પછી વડાપ્રધાને આંદોલન સ્થળને એક કોલનું અંતર જણાવ્યું હતું. ત્યારબાદ શેરડી અને ઘઉંની લણણીને લીધે ભીડ ઓછી થતી ગઈ. પછી કોરોનાને કારણે સંખ્યા હજારથી પણ નીચે થતી ગઈ. હવે પાંચ કિલોમીટરમાં ફેલાયેલા તંબુનો વિસ્તારમાં પણ નોંધપાત્ર ઘટાડો થઇ ગયો છે. કોરોનાને કારણે આંદોલન સ્થળનું પ્રવેશદ્વાર બંધ કરવામાં આવ્યું છે.

સરકાર સાથે હજુ પણ વાટાઘાટોની અપેક્ષા: રાકેશ ટિકૈત

આ તૂટી ગયેલા આંદોલન પર રાકેશ ટિકૈતનું કહેવું છે કે અમને નજર અંદાજ કરવાની ભૂલ ના કરશો. જે પાંચ હજાર ખેડુતોને સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે તે અમારા કેડર છે. તેમની પાછળ લાખો ખેડૂત છે. તેમણે કહ્યું કે હકીકતમાં સરકારે એમ વિચારી લીધું છે કે એક દિવસ અમે થાકીને અમારા ગામમાં જતા રહીશુ, તેથી અમે આ માટે લાંબા આંદોલનની વ્યૂહરચના ઘડી છે. એક કોલ પર અહીં બે થી અઢી કલાકમાં પાંચ હજાર ખેડૂતો ભેગા થઇ જશે, જ્યારે તેમની પાછળ પણ હજારો ખેડૂત આવશે. તેમણે કહ્યું કે ક્યાં સુધી આંદોલન ચાલશે, તે તો કહી શકાતું નથી, પરંતુ અમે આજે પણ સરકાર સાથે વાતચીતની આશા રાખીએ છીએ. 26 મેના રોજ ખેડુતો ખેતરો, ગામડાનાચોક, વાહનો અને આંદોલન સ્થળોએ કાળા ધ્વજ લગાવીને કાળા દિવસની ઉજવણી કરશે.

આંદોલનની શરૂઆતથી ઘરે પરત ન ફરતા વૃદ્ધ ખેડૂતો સાથે વાતચીત

કેવી રીતે ઘરે પાછા જતા રહીએ, શું આ વિચારીને ઘરે જતા રહીએ કે હમારે હંમેશા નુકસાનીમાં ખેતી કરવાની છે. આ વર્ષે ઘઉં પરનો એમએસપી 1975 રૂપિયા ક્વિન્ટલ છે. વેપારીઓને 1720 રૂપિયા ક્વિન્ટલ વેચવું પડ્યું. અઢી સો ક્વિન્ટલ ઘઉં વેચ્યા તો 62 હજાર રૂપિયાનું નુકસાન થયું. – રાજબીર સિંહ

આંદોલનના પહેલા દિવસથી આજદિન સુધી ઘરે પાછા ફરવાનું મન થયું નહીં. બાબા ટિકૈતે અંત સુધી સંઘર્ષનો સંકલ્પ લઈને તે અમને છોડીને ગયા હતા. અમારે અહીં દફનાય જઇશુ પરંતુ માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ઘરે પાછા નહીં ફરીએ. – ધરમવીર બાલિયાન

અમે ક્યાં જીવિત છીએ. જો અમને કોરોનાના થી બીક લાગશે. સરકારે તો જીવતા મારી નાખ્યા છે. ખાલી હાથે ઘરે પાછા ફરશુ તો બાળકોનું ભવિષ્ય જોઈને અમે મળી જઇશુ – રઘુનાથ વૈદ

સતત સરકારનું પતન જોવા મળી રહ્યું છે. આ દરમિયાન પંચાયતની ચૂંટણીથી લઈને પશ્ચિમ બંગાળ સુધી ભાજપને નુકસાન થયું છે. એક દિવસ સરકારે અમારી માંગ સ્વીકારવી પડશે. અમે આની રાહમાં બેઠા છીએ. – યતેન્દ્ર ઠાકરાન

છ મહિનાના આંદોલનમાં છ મોટી વાતો

  • 10 ડિસેમ્બરે એક્સપ્રેસ વેની 14 લેનને ખેડૂતોએ બંધ કરી દીધી હતી.
  • 15 ડિસેમ્બરે નરેશ ટિકૈત ની મહાપંચાયતમાં એકઠા થયા હતા ખેડુતો.
  • 22 જાન્યુઆરીએ સરકાર સાથે આઠમા રાઉન્ડની વાતચીત બાદ ફરી કોઈ વાત થઈ નહિ.
  • 26 જાન્યુઆરીએ આખી દિલ્હીમાં ખેડૂતોના હજારો ટ્રેકટરો દોડ્યા.
  • 28 જાન્યુઆરીએ રાકેશ ટિકૈતના આંખ માંથી આંસુ ટપક્યાં, તો થઇ ગયા ખેડુતો એકઠા.
  • 18 એપ્રિલના રોજ દિલ્હીથી ગાઝિયાબાદ જતી લેનને પોલીસે ખોલી દીધી.
Scroll to Top