ઓરોવિલ ફાઉન્ડેશન જયાં કરવામાં આવી છે ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની બદલી, ફરવા લાયક છે આ સ્થળ તેની વાતો જાણીને તમે પણ ચોકી જશો

જયંતી રવિ દ્વારા કરવામાં આવેલ માંગ બાદ કેન્દ્ર દ્વારા પ્રતિનયુક્તિ પર આદેશ આપી દેવામાં આવ્યા છે. 1991ની બેચના IAS જયંતી રવિની હવે ગુજરાતમાંથી તમિલનાડુમાં બદલી કરવામાં આવી છે. જયંતી રવિને હવે એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે વિખ્યાત ઓરોવિલા ફાઉન્ડેશન મહર્ષિ અને આઝાદીના લડવૈયા મહર્ષિ અરવિદ દ્વારા સ્થપાયેલા ઐતિહાસિક આશ્રમનું સંચાલન કરે છે. ત્યારે આ ખાસ શહેર જ્યાં નથી ચાલતું સરકારનું રાજ કે નથી ચાલતો પૈસાનો રૂઆબ. આ અમેઝિંગ સિટીમાં લોકો પોલિટિક્સ વગર રહે છે. ત્યાં ધર્મ નથી કે નથી પૈસા. તો આવો જાણીએ આ અનોખા શહેર ઓરિવિલ વિશે. એરોવિલ ફાઉન્ડેશન શું છે, તેની સ્થાપના કોને કરી ત્યાં કયા પ્રકારની કામગીરી ચાલે છે. તેમજ જયંતિ રવિની શા કારણે ત્યાં બદલી કરાઈ તે જાણીએ. જે ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ તરીકેની ભૂમિકા ભજવનાર જયંતિ રવિની અચાનક બદલી કરી દેવામાં આવી છે.

જે ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ તરીકેની ભૂમિકા ભજવનાર જયંતિ રવિની કોરોના કાળમાં રાજ્યના લોકોની સ્વાસ્થ્યની જવાબદારી જેમના શિરે હતી, તેમની બદલી તામિલનાડુના ઓરોવિલ ફાઉન્ડેશન ખાતે કરવામાં આવી છે. અરવિંદ આશ્રમ અને નજીકમાં આવેલા ઓરોવિલમાં સમગ્ર દુનિયામાંથી લોકો મહર્ષિ અરવિંદ ઘોષના અધ્યાત્મને જાણવા, સમજવા અને શાંતિ માટે આવે છે. જો કે ભારત વિવિધતાનો દેશ માનવામાં આવે છે.

ભારતમાં ઘણાં એવાં સ્થળો છે જ્યાં તમને અલગ-અલગ પ્રકારની વિવિધતા જોવા મળશે. આ ઓરોવિલ ભારતનું એક એવું શહેર છે, દરેક ધર્મને સમાન સ્વતંત્રતા મળે છે. અહીં દરેક ધર્મના લોકો સાથે રહે છે અને આ શહેર સ્થાયી કરવાની પાછળનો ઉદ્દેશ એ હતો કે એકબીજા સાથે ભેદભાવ રાખ્યા વગર લોકો ઉચ્ચ અને નીચી જાતિ જેવી વાતોને સંપૂર્ણપણે ભૂલી જાય. ઓરોવિલ ચેન્નાઈથી 150 કિમી દૂર આવેલું છે. ભારતમાં એક એવું શહેર છે જ્યાં કોઈ પણ જાતનો ભેદભાવ નથી. આ નગરમાં પૈસા નથી, ધર્મ નથી, રાજકારણ નથી. આ ખરેખર જીવવાનું સ્વર્ગ છે. આપણી પાસે હવે આ અદભૂત આંતરરાષ્ટ્રીય શહેર છે. આ શહેર પોતાને ટકાઉ ઇકો સિટીના મોડેલ તરીકે સ્થાન આપી રહ્યું છે.

ઉલ્લેકનીય છે કે આ શહેરની મધ્યમાં એક મંદિર પણ છે. પરંતુ આ મંદિરમાં કોઈ ભગવાનની પૂજા કરવામાં આવતી નથી. તેના બદલે લોકો અહીં આવે છે અને યોગ કરે છે. આ શહેરમાં લગભગ 50 વિવિધ દેશોના લોકો વસે છે. હાલમાં શહેરની વસ્તી 24000થી વધુ છે. તેની સ્થાપના ૧૯૬૮ માં કરવામાં આવી હતી અને યુનેસ્કો દ્વારા આંતરરાષ્ટ્રીય શહેર તરીકે આવકારવામાં આવ્યો હતો. કારણ કે તેના રહેવાસીઓમાં ૫૦ થી વધુ રાષ્ટ્રીયતા અને વિવિધ સંસ્કૃતિઓ છે. એવી જગ્યા કે જ્યાં ઇચ્છાઓ અને જુસ્સાના સંતોષ પર પ્રગતિની ભાવના અને રસની જરૂરિયાતો અથવા આનંદ અને ભૌતિક આનંદની શોધ, “અલ્ફાસાનો વિચાર હતો.

આ શહેરમાં મલ્ટિ-ક્રોપિંગ દ્વારા વિકસિત એક પદ્ધતિ છે જેમાં ફળોના ઝાડ, કોર્નફિલ્ડ અને ઓર્કાર્ડ્સને જોડીને 15 ફાર્મમાં ગોઠવવામાં આવ્યા છે. આ ખેતરોમાં 50 ગામ લોકો અને 300 પડોશીઓ કામ કરે છે. જેમાં 2% ચોખા અને અનાજનું ઉત્પાદન થાય છે. અને 50%માં શાકભાજી થાય છે. આ ઉપરાંત ગામમાં દૂધ અને ડેરી ઉત્પાદનો અને ફળોમાં પણ આત્મનિર્ભર છે. તે યુનેસ્કો દ્વારા સુરક્ષા પ્રાપ્ત કરવા માટે વિશેષ છે.

ઓરોવિલની ખાસ વાત છે અહીં રૂપિયા કે પૈસાનું ચલણ જ નથી. 1985-86માં એક ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારથી તે RBIની આજ્ઞાથી બેંકની જેમ જ આ કામ કરે છે. જેમાં અહીં રહેતા લોકો પોતાના પૈસા ઓનલાઈન કે ઓફલાઈન જમા કરાવે છે. જેના બદલામાં ઓરોવિલે ફાયનાન્સિયલ સર્વિસ એક એકાઉન્ટ નંબર આપે છે.

ઓરોવિલમાં આવેલા લગભગ 200 કોમર્શિયલ સેન્ટર અને નાની-મોટી દુકાનો પર આ એકાઉન્ટ નંબર બતાવીને કે ખરીદી કરવામાં આવે છે. અહીં કોઈ વિઝિટર્સ આવે છે, તો તેમના માટે એક ટેમ્પરરી એકાઉન્ટ ઓપન કરવામાં આવે છે અને ખાસ પ્રકારનું ડેબિટ કાર્ડ તેમને આપવામાં આવે છે જેને ઓરો કાર્ડ કહેવામાં આવે છે. અને તે તેને વાપરી શકે છે.

એરોવિલ ભારત સરકારની અંદર હોવા છતાં પણ તે સ્વતંત્ર છે, જ્યાં ભારત સરકારના પ્રતિનિધિ કે IAS અધિકારીની નિમણૂંક થાય છે. જે અંતર્ગત જ જયંતિ રવિની ઓરોવિલમાં બદલી કરાઈ છે.

Scroll to Top