અફઘાનિસ્તાનમાં થઈ રહેલી ખરાબ પરીસ્થિતિ અંગે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ચર્ચા કરવામાં આવી હતી. એન્ટોની બ્લિન્કેન દ્વારા તાલિબાનના કબજાવાળા દેશમાં પ્રત્યક્ષ હિતો ધરાવનાર વિદેશ મંત્રીઓને ફોન કરવામાં આવ્યા હતા. તેમાં બ્રિટન, રશિયા, ચીન, ભારત દેશનો સમાવેશ થાય છે જેના દ્વારા અફઘાનિસ્તાનના વિકાસ પર ઘણો ખર્ચ કરવામાં આવ્યો છે અને ઘણા પ્રોજેક્ટ્સ હજુ પૂર્ણ થવાના બાકી રહેલા છે.
આ દરમિયાન, અફઘાનિસ્તાન પર કબજો મેળવનાર તાલિબાનો દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં તેના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા જરૂરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં વિકાસ પરિયોજનાઓ પર ત્રણ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે.
પાકિસ્તાનની એક નામી ચેનલ સાથે વાતચીત દરમિયાન તાલિબાનના નેતાએ અફઘાનિસ્તાનની ધરતીનો અન્ય દેશો સામે ઉપયોગ ન કરવાની ખાતરી અપાઈ હતી. કહેવામાં આવ્યું હતું કે, ભારતે તેના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા જોઈએ. તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને જણાવ્યું છે કે, કોઈ પણ દેશને અફઘાન ભૂમિ અન્ય લોકો સામે વાપરવાની મંજૂરી અપાશે નહીં. ભારત અફઘાનિસ્તાનમાં તેના અધૂરા પ્રોજેક્ટ પૂર્ણ કરે તેવી શક્યતા રહેલી છે.
પાકિસ્તાનના ન્યૂઝ એન્કર દ્વારા તાલિબાનના પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે, ભારતે અફઘાનિસ્તાનમાં ઘણું રોકાણ કરેલ છે, પરંતુ તેણે તાલિબાનને ક્યારેય માન્યતા આપી નહોતી પરંતુ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે? આ અંગે સુહેલ શાહીને જણાવ્યું છે પહેલા, અમે કહ્યું હતું કે અમે કોઈ પણ દેશ, કોઈ પણ જૂથને અફઘાનિસ્તાનની ધરતી કોઈ પણ દેશ સામે વાપરવા દેશું નહીં. તે સ્પષ્ટ રહેલ છે. બીજી તરફ ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બનાવવામાં આવ્યા છે, રિકંસટ્રક્શન પણ કરવામાં આવી રહ્યું છે અને તે પૂર્ણ થયા નથી, તો તેઓએ તેને પૂર્ણ કરવા જોઈએ કારણ કે તે લોકો માટેના રહેલા છે.
તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીન દ્વારા કહેવામાં આવ્યું છે કે, પરંતુ જો કોઈ વ્યક્તિ અફઘાનિસ્તાનના પ્રદેશનો ઉપયોગ પોતાના હેતુ માટે અથવા તેના દેશના હેતુ માટે કરે છે તો અમે તમને તેને મંજૂરી આપવા તૈયાર નથી.
પાકિસ્તાની ન્યૂઝ એન્કર દ્વારા ફરી તાલિબાનના પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે, ભારતના અફઘાનિસ્તાનમાં એવા ઘણા કોન્સ્યુલેટ્સ રહેલા છે જે પાકિસ્તાન વિરુદ્ધ પણ કામ કરે છે અને તમે જણાવી રહ્યા છો કે, અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ પણ દેશ સામે થવા દેવાશે નહીં, તો હવે તમે ભારત સાથે સારા સંબંધો ઈચ્છી રહ્યા છો? ત્યાર બાદ પોતાની વાતનું પુનરાવર્તન કરતા સુહેલ શાહીને જણાવ્યું કે, જો ભારત પાસે અફઘાનિસ્તાનમાં ડેમ અને રોડ જેવા પ્રોજેક્ટ રહેલા છે અને તે હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યા નથી તો ભારત આવે અને તેને પૂર્ણ કરી જાય. પરંતુ બીજી તરફ એ પણ અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે, જો કોઈ પણ દેશ અફઘાનિસ્તાનનો ઉપયોગ બીજા દેશ સામે કરે તો અમારા તરફથી તેને મંજૂરી આપવામાં આવશે નહીં. તેની સાથે આ અમારી ક્લિયર કટ પોલિસી પણ રહેશે.