મહિલા પોલીસકર્મીના પ્રેમમાં પત્ની અને બાળકોની હત્યા કરી ઘરમાં દાટી દીધા, ત્રણ વર્ષ બાદ સત્ય આવ્યું સામે

પ્રેમ સંબંધને લઈને ઉત્તર પ્રદેશથી ભયંકર ઘટના સામે આવી છે જેણે જાણી તમે હેરાન થઈ જશો. લગ્ન બાદ પ્રેમ સંબંધના કારણે બે પરિવારોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આવી ઘટનાઓ અવારનવાર બને છે તેમ છતાં બંધ થવાનું નામ લઇ રહી નથી. ઉત્તર પ્રદેશમાં થયેલી આવી ઘટનાનો ખુલાસો ત્રણ વર્ષ બાદ થયો છે.

ઉત્તર પ્રદેશ મહિલા પોલીસના પ્રેમમાં પડેલા વ્યક્તિ દ્વારા તેની પત્ની તથા બે નાના-નાના બાળકોને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જ્યારે હત્યા બાદ આરોપીએ પત્ની તથા બાળકોના મૃતદેહને બેઝમેન્ટની અંદર દાટી દેવામાં આવ્યા હતા. આરોપી દ્વારા આખી ઘટનાને છૂપાવવા માટે મૃતદેહોને દાટ્યા બાદ તેના પર મજૂરને બોલાવીને દિવાલ બનાવી દેવામાં આવી હતી.

ત્યાર બાદ તેને મકાન ભાડે આપી દીધું હતું. જ્યારે આ ઘટના બાદ યુવક પોતાના માતા-પિતા સાથે રહેવા લાગ્યો હતા. જ્યારે રાકેશના લગ્ન વર્ષ 2012 માં એટાની રહેવાસી રત્નેશ સાથે કરાયા હતા. રાકેશ દ્વારા પરિવારના દબાણમાં આવવાના કારણે લગ્ન કરવામાં આવ્યા હતા. આરોપ એ પણ છે કે, રાકેશનો પ્રેમસંબંધ ગામમાં જ રહેનારી યુવતી સાથે ચાલી રહ્યો હતો.

યુવતીની ભરતી 2015 માં પોલીસમાં પણ થઈ હતી. ત્યાર બાદ રાકેશ પર લગ્ન માટે તેના દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હતું. ત્યાર બાદ પત્ની અને પ્રેમિકાની વચ્ચે અટવાયેલા રાકેશ દ્વારા આ મુશ્કેલીથી બહાર આવવા માટે ભયંકર પગલું ભરવામાં આવ્યું હતું. તેના કારણે તેને મુશ્કેલીઓથી બહાર આવવા માટે પોતાની પત્ની અને બાળકોને મોતને ઘાટ ઉતારીને નાખ્યા અને તેમના દ્વારા મૃતદેહને ઘરમાં જ દાટી દેવામાં આવ્યા હતા.

તેના કરૂણતા એ જોવા મળી કે, રાકેશની દીકરીની અવનીની ઉમર બે વર્ષ અને દીકરા અર્પિતની ઉંમર માત્ર ત્રણ વર્ષની હતી. આરોપ એ પણ છે કે, આ કેસમાં રાકેશના પિતા બનવારીલાલ, માતા ઈન્દ્રવતી અને ભાઈ રાજીવ તથા પ્રવેશ દ્વારા સાથ આપવામાં આવ્યો હતો. આરોપી ચિપિયાના બુઝુર્ગ ગામની પંચવિહાર કોલોનીમાં વસવાટ કરી રહ્યો હતો.

પરિવારના લોકો દ્વારા પત્ની અને બાળકોના મૃતદેહને ઠેકાણે કરવા માટે બેઝમેન્ટમાં દાટી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેની ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે 6 મહિના બાદ સ્થિતિ શાંત થતા જ રાકેશ દ્વારા મકાન ભાડે આપી દેવામાં આવ્યું અને પરિવાર સાથે ઘર છોડીને ચાલ્યો ગયો હતો.

તેની સાથે આરોપી રાકેશ દ્વારા 25 એપ્રિલ 2021 ના પોતાના મિત્રની હત્યા કરી નાખવામાં આવી હતી. તેના મૃતદેહ પાસે પોતાનું આધારકાર્ડ અને એલઆઈસીના પેપર મૂકી દેવામાં આવ્યા હતા. જેના કારણે પોલીસને એવું જાણવા મળ્યું કે, તેની હત્યા જ કરવામાં આવી છે. ત્યાર બાદ આરોપી ઓળખ છુપાવીને જીવન પસાર કરી લાગવામાં આવ્યો હતો.

ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી તો તપાસ દરમિયાન તેની પત્ની અને બે બાળકોની હત્યાનો પણ ભેદ ઉકેલી દેવામાં આવ્યો હતો. જ્યારે હાડપિંજર સહિત હત્યાના અવશેષોની તપાસ માટે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આરોપી રાકેશને લઈને કાસગંજ પોલીસ ગ્રેટર નોઈડા વેસ્ટ પહોંચી ગઈ છે. અધિકારીઓ સાથેની ટીમ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી છે.

જ્યારે ઘટના સ્થળ પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જેથી હાડપિંજરને બહાર કાઢવામાં આવે. જ્યારે તેની સાથે મહિલા પોલીસકર્મીની પણ પૂછપરછ કરાઈ રહી છે. આરોપી રાકેશના પિતા બનવારીલાલ પણ આ કેસમાં આરોપી રહેલા છે તે એક નિવૃત્ત પોલીસકર્મી પણ છે.

Scroll to Top