BRICS શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે PM નરેન્દ્ર મોદી, અજિત ડોભાલ સમિટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે, જાણો શું હશે ચર્ચાના મુદ્દા

ભારત ત્રીજી વખત BRICS શિખર સંમેલનનું આયોજન કરવા માટે તૈયાર છે. આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 9 મી સપ્ટેમ્બર 2021 ના રોજ 13 મી BRICS શિખર સમ્મેલનની અધ્યક્ષતા કરશે. કોરોના વાયરસ મહામારીને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આ વખતે કોન્ફરન્સ સંપૂર્ણપણે વર્ચ્યુઅલ હશે.

ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત સિવાય બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે બેઠકમાં તમામ દેશોનું ધ્યાન તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ બદલાતી પરિસ્થિતિ પર રહેશે. આ બેઠકમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ (India-China Disputes) પર પણ ચર્ચા થઈ શકે છે.

ગયા વર્ષે ગલવાન ખીણ વિવાદ બાદ આ સમિટ યોજાઈ હતી: છેલ્લી બ્રિક્સ સમિટ નવેમ્બર 2020 માં યોજાઈ હતી. ત્યારબાદ ગલવાન ઘાટી પ્રકરણ બાદ પ્રથમ વખત ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એક જ મંચ પર સામસામે આવ્યા હતા. ભારતે બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઉરુગ્વેને બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB) ના નવા સભ્યો તરીકે આવકાર્યા હતા.

છેલ્લી સમિટમાં ચીને કહ્યું હતું કે બ્રિક્સ ઉભરતા બજારો અને વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ માટે મહત્વનું મંચ છે. તે આંતરરાષ્ટ્રીય બાબતોમાં સકારાત્મક બળ જેવું છે. આ વખતે સમિટની થીમ ટકાઉપણું, એકત્રીકરણ અને સર્વસંમતિ માટે BRICS@15 ઇન્ટ્રા-બ્રિક્સ સહકાર છે.

એનએસએ અજિત ડોભાલ સમિટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval), નવી વિકાસ બેંકના પ્રમુખ માર્કોસ ટ્રોયજો, બ્રિક્સ વિમેન્સ બિઝનેસ એલાયન્સના પ્રોવિઝનલ ચેરપર્સન ડૉ.સંગીતા રેડ્ડી અને બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના પ્રોવિઝનલ ચેરપર્સન ઓંકાર કંવર (Onkar Kanwar) આ વખતે બ્રિક્સ સમિટ તેમનો રિપોર્ટ રજૂ કરશે. ભારતે અગાઉ 2012 અને 2016 માં બ્રિક્સ સમિટનું આયોજન કર્યું છે. ગયા વર્ષે, કોવિડ -19 મહામારી વચ્ચે રશિયાની અધ્યક્ષતામાં બ્રિક્સ સમિટ યોજાઈ હતી.

Scroll to Top