“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના આ દિગ્ગજ કલાકાર નું થયું અવસાન, ચાહકો શોક માં ડૂબ્યાં

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળનાર નટુ કાકાને લઈને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. નટુ કાકાનું પાત્ર નિભાવનાર અભિનેતા ઘનશ્યામ નાયકનું અવસાન થઈ ગયું છે.

તે ઘણા લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ આ વાતની જાણકારી શેર કરી છે. તેમને જણાવ્યું છે કે, નટુ કાકા ઘણા સમયથી બીમાર ચાલી રહ્યા હતા અને તેમને કેન્સર હતું. તે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની સાથે શરૂઆતથી જોડાયેલા હતા.

નટુ કાકાએ પોતાની કોમેડીથી બધાને ખૂબ હસાવ્યા છે. શોમાં તે જેઠાલાલના આસિસ્ટન્ટનો રોલ પ્લે કરતા હતા અને તેમની દુકાનમાં કામ કરતા હતા. તે પોતાના ફની એક્સપ્રેશન્સથી બધાને હસાવી-હસાવીને લોથપોથ કરી દેતા હતા. બાઘા સાથે પણ તેમનો બોન્ડિંગ ખૂબ જ ખાસ હતી. શોમાં તેમની ક્યુટ સ્માઈલ અને ઈંગ્લીશ બોલવાના અંદાજના બધા દીવાના હતા.

ઘનશ્યામ નાયકનો જન્મ 12 મે 1944 ના થયો હતો. તે 77 વર્ષના હતા. છેલ્લા ઘણા સમયથી તે બીમાર હતા અને કેન્સરથી જંગ લડી રહ્યા હતા. અભિનેતાના અવસાનથી તારક મેહતાની ટીમ ઘણી ઉદાસ છે. શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ ઘનશ્યામ નાયકની એક તસ્વીર શેર કરતા જણાવ્યું છે કે, “અમારા પ્યારા કાકા @TMKOC_NTF અમારી સાથે રહ્યા નથી. પરમ કૃપાળુ પરમેશ્વર તેમને પોતાના ચરણોમાં સ્થાન આપે અને પરમ શાંતિ આપે. તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. નટુકાકા અમે તમને ભૂલી શકીશું નહીં. @TMKOC_NTF

 

Scroll to Top