જાણો… નટુકાકા તરીકે નામ બનાવેલ આ દિગ્ગજ કલાકારની કારકિર્દી વિશે, કેવી રીતે ખાસ બન્યા સીરિયલમાં

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળનાર નટુકાકાનું પાત્ર નિભાવનાર અભિનેતા ઘનશ્યામ નાયકનું અવસાન થઈ ગયું છે. જે ઘણા લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. તેમની કેન્સરની સારવાર માટે કીમોથેરાપી સેશન્સ શરુ કરાયા હતાં. અગાઉ કરયેલા ગળાના ઓપેરશનમાં 8 ગાંઠ નીકળી હતી. જે નટુકાકા (ઘનશ્યામ નાયક) નું 77 વર્ષની વયે મુંબઇમાં પોતાના નિવાસસ્થાને નિધન થયું છે.

અભિનેતાના અવસાનથી તારક મેહતાની ટીમ ઘણી ઉદાસ છે. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ આ વાતની જાણકારી શેર કરી છે. “અમારા પ્યારા કાકા @TMKOC_NTF અમારી સાથે રહ્યા નથી. પરમ કૃપાળુ પરમેશ્વર તેમને પોતાના ચરણોમાં સ્થાન આપે અને પરમ શાંતિ આપે. તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. નટુકાકા અમે તમને ભૂલી શકીશું નહીં. @TMKOC_NTF, તેમને જણાવ્યું છે કે, નટુ કાકા ઘણા સમયથી બીમાર ચાલી રહ્યા હતા અને તેમને કેન્સર હતું. તે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની સાથે શરૂઆતથી જોડાયેલા હતા.

જે નટુકાકા (ઘનશ્યામ નાયક) મૂળ ઉત્તર ગુજરાતના વડનગરના ઉંઢઇ ગામના વતની હતા. ઘનશ્યામ નાયકનો જન્મ 12 મે 1944માં થયો હતો. ત્રણ મહિના પહેલા નટુ કાકાને કેન્સર ડિટેક્ટ થયું હતું. તેમને પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના અંતિમ શ્વાસ સુધી અભિનય સાથે જોડાયેલા રહી દર્શકોનું મનોરંજન કરતા રહેશે. જે એક સમયે માત્ર ત્રણ રૂપિયાથી પોતાના સંઘર્ષના દિવસો શરુ કરનારા ઘનશ્યામ નાયકઆજે ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયા હતા.

નટુકાકા (ઘનશ્યામ નાયક) એ કઈ કઈ સિરિયલ્સમાં કામ કર્યું: ગુજરાતી કલાકાર ઘનશ્યામ નાયકે ઘણી સિરિયલમાં કામ કર્યું છે, જેમાં ખીચડી, મણીમકતું (લીડ હીરો), એક મહલ હો સાપનો કા, દિલ મિલ ગયે, સારથી, સારાભાઈ વર્સીસ સારાભાઈ, છૂટા છેડા (ગુજરાતી સીરીયલ) અને 2008થી તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરીયલમાં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર જાણીતા થયા હતા.

નટુ કાકાએ પોતાની કોમેડીથી તેમની સિરિયલમાં બધાને ખૂબ હસાવ્યા છે. તેઓ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તે જેઠાલાલના આસિસ્ટન્ટનો રોલ પ્લે કરતા હતા અને તેમની દુકાનમાં કામ કરતા હતા. તે પોતાના ફની એક્સપ્રેશન્સથી બધાને હસાવી-હસાવીને લોથપોથ કરી દેતા હતા. બાઘા સાથે પણ તેમનો બોન્ડિંગ ખૂબ જ ખાસ હતી. શોમાં તેમની ક્યુટ સ્માઈલ અને ઈંગ્લીશ બોલવાના અંદાજના બધા દીવાના હતા.

ઘનશ્યામ નાયકે 34 જેટલી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. જે ઘનશ્યામ નાયક ભાવાઈ અને રંગભૂમિથી પ્રવેશીને હિન્દી ફિલ્મ/સીરીયાલ્સની દુનિયામાં ભારે સંઘર્ષ બાદ પહોચ્યા હતા. નટુકાકાએ અનીલ કપૂર અને સલમાન ખાનથી માંડીને સની દેઓલ જેવા કલાકારો સાથે પણ કામ કરી ચુક્યા છે.

નટુકાકાનું હિન્દી ફિલ્મમાં મોટું યોગદાન: નટુકાકા 1960માં બાળ કલાકાર તરીકે માસૂમ, 1974 માં બાળક ધ્રુવ, 1992માં બેટા, તિરંગા, 1993માં આંખે, 1994માં લાડલા, ક્રાંતિવીર, ઇના મીના ડીકા, 1995માં આંદોલન, બરસાત, 1996માં માફિયા, ચાહત, ક્રિશ્ના,ઘાતક, ઈશ્ક(1997) 1998માં શ્યામ-ઘનશ્યામ ચાયના ગેટ, બારૂદ, કચ્ચે ધાગે, (1999)માં હમ દિલ દે ચૂકે સનમ, (2000) તેરા જાદૂ ચલ ગયા, 2001માં ચહેરા મૌત કા, લજ્જા (2003) તેરે નામ, ખાખી, એક્કો, પોલીસ ફોર્સ, પંગા ના લો, અંદર ટ્રાયલ, હલ્લો, શિકારી ઘનશ્યામ, હમ લલ્લન બોલ રહે હૈ, બાદશાહ,રાણી, લવની ભવાઈ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

ઘનશ્યામ નાયકે આશરે 100 ગુજરાતી અને હિન્દી ફિલ્મો અને લગભગ 350 હિન્દી ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કર્યો છે. તેમણે 100 થી વધુ ગુજરાતી સ્ટેજ નાટકોમાં પણ અભિનય કર્યો છે. તેમણે આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂર જેવા મહાન કલાકારો સાથે 12 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક આપ્યું છે. તેમણે 350 થી વધુ ગુજરાતી ફિલ્મો પણ ડબ કરી છે. તેમણે દિગ્ગજ દિગ્ગજ અભિનેતા કન્હૈયાલાલ માટે હિન્દી ફિલ્મ એક ઔર સંગ્રામ અને ભોજપુરી ફિલ્મ બૈરી સાવન માટે પોતાનો અવાજ આપ્યો છે.

ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. તેમના વડદાદા, વાડીલાલ નાયક, શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથો સાથ ધરમપુર અને વાંસદાના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા. સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના જયકિશનના તેઓ ગુરૂ હતા.

નટુકાકા ના પરિવાર વિશે: 12 મેના રોજ જન્મેલા ઘનશ્યામની નાયકની પત્ની હાઉસવાઈફ છે. જ્યારે તેમની મોટી દીકરી ભાવના નાયક(51 વર્ષ), તેજલ નાયક(49 વર્ષ) તથા પુત્ર વિકાસ નાયક(39 વર્ષ) છે. ઘનશ્યામ નાયક પાસે પહેલાં કાર હતી પરંતુ તેમને ડ્રાઈવિંગ આવડતું ના હોવાથી તેમણે કાર વેચી નાખી હતી. તેમને રિક્ષામાં જ જવું પસંદ હતું. રિક્ષામાં બેસીને ચાહકો સાથે વાતો કરવી ઘનશ્યામ નાયકને ઘણી જ પસંદ હતું.

Scroll to Top