અમદાવાદના આનંદનગરથી એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. તેમાં પતિ પત્ની ઔર પાડોસીની ઘટના સામે આવી છે જેમાં પત્ની દ્વારા કંટાળીને પોલીસના દ્વારા ખખડાવવામાં આવ્યા છે. જ્યારે આ કેસમાં સામે આવ્યું છે કે, પરિણીતા પતિને દગો આપી રહી હતી જેના કારણે તેના પ્રેમ પડેલ પાડોશીની પતિ દ્વારા હત્યા કરવામાં આવી છે.
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં શનિવારના મોડી રાત્રીના થયેલ હત્યાનો ભેદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઉકેલી લેવામાં આવ્યો હતો. પડોશમાં રહેનાર આરોપી સુરેશભાઈ કિશોરલાલ વડગાની આનંદનગર પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. તેમ છતાં હત્યા કરવા પાછળનું કારણ આશ્ચર્યચકિત સામે આવ્યું છે. પોલીસ કસ્ટડીમાં ધરપકડ કરવામાં આવેલ આરોપીનું નામ સુરેશ વડગા છે. તેના પર પોતાના પાડોશીની હત્યા કરવાનો આરોપ છે. આરોપી આનંદ નગરમાં આવેલ કૃષા ફ્લેટમાં વસવાટ કરે છે.
પ્રાપ્ત માહતી અનુસાર, ગઇકાલના મોડી રાત્રીના પડોશમાં રહેનાર સંજય નવલખાને પેટ અને છાતીના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ કરતા હત્યા કરવા પાછળનું કારણ ચોંકાવનારૂ સામે આવ્યું છે. આરોપી સુરેશની પત્નીના મૃતક સાથે આડાસંબંધ હોવાની જાણ આરોપીને થઇ ગઈ હતી. તેના કારણે સંજય નવલખા નામના પત્નીના આશિકને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
રાત્રીના સમયે મૃતક સંજય નવલખા ઘરે જઈ રહ્યો હતો તે સમયે આરોપી દ્વારા સોસાયટીમાં જાહેરમાં જ સંજય નવલખાનના પેટ અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પતાવી દેવામાં આવ્યો હતો. જ્યારે હત્યા કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. તેમ છતાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.
જ્યારે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, સુરેશ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેમ છતાં આ અગાઉ આ બાબતને લઈને મૃતક અને આરોપી વચ્ચે માથાકૂટ પણ થઈ હોવાનું સામે આવ્યું છે. તેમ છતા પણ મૃતક દ્વારા આરોપીની પત્ની સાથે આડા સંબંધો ચાલુ રાખવામાં આવ્યા હતા.
જ્યારે તકરાર પહેલા મૃતકના પુત્ર અને તેની પત્નીના આડાસંબંધની શંકા કરીને તેની સાથે પણ માથાકૂટ કરવામાં આવી હતી. હાલના સમયે પોલીસ દ્વારા આરોપી સુરેશની પોલીસ દ્વારા ધરપકડ કરીને લેવામાં આવી છે જ્યારે આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.