વિશ્વાના સૌથી મોટા પાગલખાનાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર પ્રવાસી માટે સારા સમાચાર છે. વિશ્વનુ સૌથી મોટુ પાગલખાનુ એટલે કે મેન્ટલ હોસ્પિટલ અમેરિકાના જ્યોર્જિયામાં આવેલું છે. તેનું નામ સેન્ટ્રલ સ્ટેટ હોસ્પિટલ છે અને આ 1842 માં બનીને તૈયાર થયું હતું. જ્યારે હવે લગભગ 180 વર્ષ જૂના દુનિયાના સૌથી મોટા પાગલખાનામાં પર્યટક હવે ફરવા માટે આવશે. તેમ છતાં, હજુ પણ આ મેન્ટલ હોસ્પિટલમાં કેટલાક દર્દી રહેલા છે અને તેની સારવાર પણ ચાલી રહી છે.
રસપ્રદ વાત એ છે કે, પર્યટકો માટે ખોલવામાં આવેલુ આ પાગલખાનુ સમગ્ર દુનિયામાં ભૂતિયા હોસ્પિટલ તરીકે પણ પ્રખ્યાત છે અને તેથી અહીં જવા લોકોને ભય લાગતો હોય છે. લોકો દ્વારા કહેવામાં આવે છે કે, અહીં ભૂત રહે છે. તેમ છતાં એક સમય એવો પણ હતો કે, આને હોસ્પિટલ દુનિયાનુ સૌથી મોટુ પાગલખાનુ કહેવામાં પણ આવતુ હતુ. તેમ છતાં ધીમે-ધીમે અહીં લોકો ઓછા થતા ગયા અને આને હોસ્પિટલની કેટલીક ઈમારત ખંડેર પણ બની ગઈ હતી.
જ્યોર્જિયામાં આવેલ આ સેન્ટ્રલ સ્ટેટ હોસ્પિટલનુ વર્તમાન જેટલુ રસપ્રદ છે, ઈતિહાસ તેના કરતા પણ વધુ હેરાન કરનાર છે. આ હોસ્પિટલ 1842 માં બની હતી અને 1960 સુધી આ દુનિયાના સૌથી મોટા પાગલખાના હોસ્પિટલ તરીકે ચર્ચિત થઈ ગઈ હતી. ત્યારે અહીં એક સાથે લગભગ 12 હજાર દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી.
જ્યારે આ હોસ્પિટલમાં દર્દીઓને અમાનવીય રીતથી રાખવામાં આવતા હતા. ડોક્ટર સારવારના નામે બાળકોને લોખંડથી બનેલા પિંજરામાં બંધ રાખવામાં આવા હતા જ્યારે વયસ્કોને ગરમીમાં જબરદસ્તી સ્ટીમ બાથ અને ઠંડીમાં ઠંડા પાણીથી નહાવા માટે કહેવાતું હતુ. દાવો એ પણ કરવામાં આવી રહ્યો છે કે, આ પાગલખાનાના મેદાનમાં લગભગ 25 હજાર દર્દીઓને દફનાવવામાં આવેલા છે. આ સારવાર દરમિયાન આનુ અહીં મોત નીપજ્યું હતુ. અહીં તે દર્દીઓના નામની ધાતુથી બનેલી પ્લેટ પણ લગાવવામાં આવતી હતી.
જ્યારે સમય પસાર થતો ગયો અને તેની સાથે હોસ્પિટલની પરિસ્થિતિ પણ ખરાબ બનતી ગઈ હતી. દર્દી ઓછા થવા લાગ્યા હતા. પરિસ્થિતિ એવી ઉભી થઈ ગઈ હતી કે, લગભગ હજાર એકરમાં બનેલા હોસ્પિટલની 200 કરતા વધારે ખાલી પડેલી ઈમારતમાં ભૂત પકડનાર લોકોને પણ લાવવામાં આવી રહ્યા હતા. લોકો દ્વારા કહેવામાં આવે છે કે, ખાલી ભાગ ઘણો ભયાનક છે અને અહીં ભૂત પણ રહે છે.
તેમ છતાં આ વાતની હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. હાલમાં આ હોસ્પિટલનો એક નાનો ભાગ જ સક્રિય છે અને તેમાં લગભગ 300 લોકોની સારવાર ચાલી રહી છે. સારવારની રીતને બદલી દેવામાં આવી છે. જાન્યુઆરી 2020 માં કેટલાક લોકોનુ એક ગ્રૂપ આ હોસ્પિટલમાં ફરવા માટે મોકલવામાં આવ્યુ હતું અને ત્યાર બાદ આ સિલસિલો દર મહિને આયોજિત થવા લાગ્યો હતો. હવે તેને સમગ્ર રીતે પર્યટન સ્થળ તરીકે વિકસિત કરી દેવામાં આવ્યું છે.