જો તમે કોઈ સરકારી બેંકમાં છે એકાઉન્ટ ખોલાવેલું છે તો આજે અમે તમને એક ખાસ અને મહત્વની જાણકારી વિશે જણાવીશું. આનાથી તમને ખુબ ફાયદો થશે. સરકારી બેન્કો ઘણી બધી સ્કીમ ચલાવતી હોય છે પણ મોટા ભાગના ગ્રાહકોને તેની જાણકારી હોતી નથી. આવી જ એક સ્કીમ છે જેમાં તમે દર મહિને 28.5 રૂપિયા જમા કરીને પુરા 4 લાખ રૂપિયાનો ફાયદો ઉઠાવી શકો છો. તો ચાલો જાણીએ બેંકની આ મહત્વપૂર્ણ સ્કીમ વિશે…
સરકારી બેન્કો આપશે આ લાભ: 4 લાખ રૂપિયા મેળવવા માટે તમારે સરકારની આ બે યોજનામાં પૈસા ભરવા પડશે. આ સ્કીમ છે ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના(PMJJBY) અને ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના(PMSBY).’ આ સ્કીમમાં રોકાણની રકમ વર્ષના ફક્ત 342 રૂપિયા જ છે.
PMSBY યોજના: પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ખુબ જ ઓછા ખર્ચમાં જીવન વીમો આપે છે. કેન્દ્ર સરકારની આ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એક એવી યોજના છેકે જેમાં ફક્ત 12 રૂપિયામાં જ ખાતાધારકને 2 લાખનો ઇન્શ્યોરન્સ આપે છે.
PMJJBY યોજના: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના માટે એક વર્ષનું પ્રીમિયમ 330 રૂપિયા છે. જે વ્યક્તિનો વીમો હોય એ વ્યક્તિનું અવસાન થઈ જાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળવાપાત્ર છે. 330 રૂપિયાની આ રકમ તમારા બેંક ખાતામાંથી ઈસીએસ દ્વારા લેવામાં આવે છે.
અટલ પેન્શન યોજના: કેન્દ્ર સરકારે નાગરિકોને તેની વૃધ્ધવસ્થા માં પેન્શન ગેરેંટી માટે અટલ પેન્શન યોજના શરુ કરી હતી. આ ઉઓજન અનુસાર સરકાર 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા મહિનાને પેન્શનની ગેરેંટી આપે છે. 40 વર્ષ ઉંમર સુધીનો કોઈ પણ વ્યક્તિ સરકારની આ સ્કીમમાં આવેદન કરી શકે છે.