Breaking News: દેશ પર તૌક્તે વાવાઝોડા બાદ ‘જવાદ’ વાવાઝોડાનો ખતરો, આગામી 48 કલાક રહેશે ‘ભારે’

તૌકતે વાવાઝોડાએ ભારત સહિત ગુજરાતમાં પણ ભારે હાહાકાર સર્જ્યો હતો જ્યારે હવે વધુ એક વાવાઝોડાનો ખતરો ભારતમાં મંડરાઈ રહયો છે. આ વાવાઝોડાની વાત કરવામાં આવે તો તેનું નામ ‘જવાદ’ આપવામાં આવેલ છે. હાલ ભારતના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના લીધે પરીસ્થિતિ બગડેલી છે. આ બધા વચ્ચે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાન જવાદના મજબૂત થવાના આસાર રહેલા છે.

જ્યારે આગામી 48 કલાક કલાકમાં પ્રેશરના કારણે 3 ડિસેમ્બરના રોજ આ વાવાઝોડાનું સ્વરૂપ લઇ શકે છે. આ તોફાન ચોથી ડિસેમ્બરના ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે ત્યારે તમામ જિલ્લાઓમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં બની રહેલા હળવા દબાણના કારણે આંધ્ર પ્રદેશ અને ઓડિશા પર ચક્રવાતી તોફાન જવાદનો ભય મંડરાઈ રહ્યો છે.

તેની સાથે ચક્રવાતી તોફાન જવાદના કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં હવામાન બગડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ રાજ્યોમાં પૂરપાટ પવન ફૂંકાવવાની સાથે-સાથે ભારે વરસાદ વરસવાની શક્યતા છે. શનિવાર સુધીમાં આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કાંઠે પહોંચી આ વાવાઝોડાના પહોંચવાના અણસાર છે.

ત્યારબાદ આ ચક્રવાતી તોફાન જવાદનું સ્વરૂપ ધારણ કરી લેશે. તેને લઈને સમુદ્રી કાંઠાની આજુબાજુ રહેનારા માછીમારોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત સ્થળો પર પહોંચવાનું કહેવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ મુજબ જુદા-જુદા જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યેલો અલર્ટ આપવામાં આવેલ છે.

Scroll to Top