આંધ્રપ્રદેશ ના પશ્ચિમ ગોદાવરીમાં જંગરેડ્ડીગુડેમ ડિવિઝનમાં બસ અકસ્માતમાં ડ્રાઇવર સહિત 47 લોકો બસ માં હજાર હતા. જલારુ નજીક બસ ડ્રાઇવરે સંતુલન ગુમાવતા તે સીધી નહેરમાં પડી ગઈ. તે સમયે બસમાં 47 લોકો સવાર હતા જેમાં 5 મહિલાઓ સહિત 9 લોકોના મોત થયા છે.
Andhra Pradesh: Nine people died after their bus fell into a rivulet in Jangareddygudem of West Godavari district.
SP Rahul Dev Sharma says, “9 people died and 22 severely injured, out of the total 47 passengers on the bus”. pic.twitter.com/Dj6hruVXD7
— ANI (@ANI) December 15, 2021
સીએમ જગન મોહન રેડ્ડીએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યો છે અને મૃતકોના પરિવાર જનોને પાંચ-પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આંધ્રપ્રદેશના રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદને પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. રાજ્યપાલે અધિકારીઓને વહેલી તકે ઇજાગ્રસ્તોને આરોગ્ય સંભાળ પૂરી પાડવા નો નિર્દેશ આપ્યો છે.
Rescue operations at #Jalleru stream into which a #RTC bus fell killing atleast nine onboard #West #Godavari district @NewIndianXpress @apsrtc pic.twitter.com/gvpUqSyrqq
— TNIE Andhra Pradesh (@xpressandhra) December 15, 2021
આ ઘટના પશ્ચિમ ગોદાવરીના જંગારેડ્ડીગુડેમ ડિવિઝનના જલેરુ નજીક બની હતી. સીએમ જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તમામ મૃતકોના નજીકના સંબંધીઓને પાંચ-પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી હતી. સાથે જ તેમણે વહીવટીતંત્રને ઇજાગ્રસ્તોની વધુ સારી સારવાર માટે શક્ય તમામ પગલાં લેવાનો આદેશ આપ્યો છે.