‘હિજાબ ન પહેરતી છોકરીઓ પર બળાત્કાર થાય છે..’, કોંગ્રેસ નેતા ઝમીર અહેમદનું વિવાદાસ્પદ નિવેદન

કર્ણાટકની પીયુ કોલેજથી શરૂ થયેલા હિજાબ વિવાદને હવે રાજકીય રંગ મળી રહ્યો છે. તાજેતરમાં આ મુદ્દે હુબલીમાં કોંગ્રેસના એક નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના નેતા જમીર અહેમદે પ્રેસ સાથે વાત કરતા કહ્યું છે કે ઇસ્લામમાં હિજાબનો અર્થ એક પડદો છે, જે સ્ત્રીની સુંદરતાને ઢાંકી દે છે. તેમના મતે, જો મહિલાઓ તેને પહેરે નહીં તો તેમની સાથે બળાત્કાર થઈ શકે છે.

ઝમીર અહેમદે વધુમાં કહ્યું કે, ‘ઈસ્લામમાં હિજાબનો અર્થ પડદો છે. જ્યારે છોકરી મોટી થાય છે, ત્યારે તેને હિજાબ પહેરવામાં આવે છે, એટલે કે હિજાબ છુપાવવા માટે પહેરવામાં આવે છે, તેની સુંદરતા બતાવવા માટે નહીં. ઝમીર અહેમદે કહ્યું કે, ‘આજે તમે જુઓ છો કે દેશમાં બળાત્કાર ઝડપથી વધી રહ્યો છે. આ બધું એટલા માટે છે કારણ કે સ્ત્રીઓ પડદામાં નથી રહેતી. તે આજથી નથી અને ફરજિયાત પણ નથી. પરંતુ જેઓ પોતાની સુંદરતા છુપાવવા માંગે છે, પોતાનું રક્ષણ ઈચ્છે છે, તે લોકો હિજાબ પહેરે છે. આ આજથી નથી, વર્ષોથી છે.

જણાવી દઈએ કે જમીર અહેમદનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ન્યૂઝ એજન્સી ANIના પત્રકારે તેમને સવાલ કર્યો હતો કે કુરાનમાં ક્યાંય એવું નથી કહેવામાં આવ્યું કે મહિલાઓનો ડ્રેસ કોડ હિજાબ હોવો જોઈએ. તેના પર ઝમીર અહેમદે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે ફરજિયાત નથી, પરંતુ તે ન પહેરવાના કારણે જ રેપ થઈ રહ્યો છે.

Scroll to Top