પુતિને રશિયામાં માર્શલ લૉ લગાવવાથી કર્યો ઇનકાર, યુક્રેન સમર્થક દેશોને ફરીથી આપી આવી ધમકી

યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને માર્શલ લૉ અંગે શનિવારે કહ્યું હતું કે આ સમયે એવું કંઈ નથી કે જેના લીધે યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયામાં માર્શલ લૉ લગાવવો પડે. તમને જણાવી દઈએ કે પુતિને આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે એવી અટકળો ચાલી રહી હતી કે રશિયામાં માર્શલ લૉ લાગુ થઈ શકે છે.

માર્શલ લૉ લગાવવાની સ્થિતિ નથી!

પુતિને કહ્યું કે જે દેશમાં બહારી હુમલો થાય છે ત્યાં માર્શલ લૉ લગાવવામાં આવે છે. તેમણે કહ્યું કે તેમને રશિયામાં આવી કોઈ સ્થિતિ દેખાતી નથી અને આશા છે કે આવી સ્થિતિ ઊભી ન થાય.

બહારની દખલગીરી સ્વીકારવામાં આવશે નહીં

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એવું પણ કહ્યું કે કોઈ પણ ત્રીજા પક્ષ દ્વારા યુક્રેન ઉપર ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવાને મોસ્કો “યુદ્ધમાં જોડાવા”નું કરાર આપશે. મહિલા પાયલોટ સાથેની બેઠકમાં પુતિને શનિવારે કહ્યું હતું કે આ દિશામાં લીધેલા કોઈપણ પગલાને રશિયા દ્વારા બહારની દખલ અને રશિયન સૈન્ય માટે ખતરો માનવામાં આવશે. તેમણે કહ્યું, “તે જ ક્ષણે અમે તેમને લશ્કરી સંઘર્ષમાં સામેલ હોવાનું માની લઈશું અને તેનાથી કોઈ ફરક નથી પડતો કે તેઓ કોના સભ્યો છે.”

નાટોને આ વાત કહી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ નાટોને વિનંતી કરી છે કે તેઓ તેમના દેશની એરસ્પેસને ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરે. નાટોનું કહેવું છે કે આવા ‘નો ફ્લાય ઝોન’ જાહેર કરવાથી યુક્રેનની ઉપર તમામ અનધિકૃત એરક્રાફ્ટ પર પ્રતિબંધ લાગશે, જે પરમાણુ સશસ્ત્ર રશિયા સાથે યુરોપિયન દેશો વચ્ચે મોટા પાયે યુદ્ધ તરફ દોરી જશે.

Scroll to Top